Junagadh, તા. 30
જુનાગઢમાં સાધુઓ વચ્ચેનો વિવાદ પુરો થયો નથી ત્યાં એક વધુ વિવાદ છેડાયો છે. પ્રથમ દર્શનીય રીતે વહીવટી તંત્રની ભુલના કારણે મોટી ગેરસમજ થાય તેમ છે, ગુરૂ દતાત્રેય શિખરનું ટ્રસ્ટ જ અલગ હોવા છતાં ગઇકાલે કલેકટરે (તંત્રએ) તેના હસ્તક લેવાનો ઓર્ડર કરવામાં આવતા મહેશગીરીએ સીધી એવી ચીમકી ઉચ્ચારી છે કે તંત્રની ભુલ છે અને તે નહીં સુધારે તો આગામી દિવસોમાં નવો વિવાદ થશે તેના પરિણામ ભોગવવા પડશે.
ગુરૂ દતાત્રેય શિખર પર આવેલ મંદિરનું ટ્રસ્ટ અલગ છે તેમાં હાલ ત્રણ ટ્રસ્ટીઓ હતા તેમાં એક ટ્રસ્ટીનું નિધન થતા હાલ તો ટ્રસ્ટી દ્વારા વહીવટ કરવામાં આવે છે તેના મહંત તરીકે મહેશગીરી છે, સરકાર દ્વારા વિવાદને શાંત પાડવા ગઇકાલે કલેકટરને આપવામાં આવેલી સચુના મુજબ તેમણે અંબાજી, ભીડભંજન મંદિરને તંત્ર હસ્તક લઇ મામલતદારની વહીવટદાર તીરકે નિયુકિત કરી છે.
આ પ્રક્રિયાના ભાગરૂપે તેમણે ચેરીટી કમિશ્નરનો અભિપ્રાય લઇ સમગ્ર પ્રક્રિયા કરવાની હતી પરંતુ ચેરીટી કમિશ્નર હાજર ન હતા કર્મચારીઓએ કલેકટરને જે રીતે સમજાવ્યા તે પ્રમાણે કલેકટરને મંદિરના બદલે ત્રણ મંદિરનો વહીવટ તંત્ર હસ્તક લેવાનો નિર્ણય કરી ઓર્ડર કરી દીધો છે હોવાની ચર્ચા શરૂ થઇ છે. ભીડભંજન મહાદેવ મંદિરમાં અંબાજી મંદિર (ગીરનાર)ની સાથે ગુરૂ દતાત્રેય મંદિર પણ તંત્ર હસ્તક લઇ મામલતદારની વહીવટદાર તરીકે નિમણુંક કરી દેતા વિવાદ ઉભો થયો છે. આ સમગ્ર મામલે ગુરૂ દતાત્રેય શિખરના મહંત મહેશગીરીએ જણાવ્યું છે કે તંત્રની આ ભુલ છે.
આ ભુલ જાણી જોઇને નહીં પરંતુ વહીવટી પ્રક્રિયામાં થઇ છે જેને આજ સુધીમાં સુધારી લે નહીંતર મારે નિર્ણય લેવો પડશે. બે મંદિરો સરકાર હસ્તક લેવાના હતા તેમાં દતાત્રેય મંદિરને પણ જોડી દીધુ છે ત્રણ ટ્રસ્ટીઓ હતા તેમાં તનસુખગીરી બ્રહ્મલીન થયા હાલ બે ટ્રસ્ટીઓ દ્વારા તેમનો વહીવટ ચલાવાયા છે. તંત્રની ભુલ નહીં સુધરે તો નવો વિવાદ ઉભો થશે. આ ઓર્ડર રદ કરી દે.
ગુરૂ દતાત્રેય શિખર દરરોજ હજારો યાત્રીકો દર્શને આવે છે અને આ શિખરને લઇને તંત્રની ભુલના કારણે સમગ્ર દેશમાં ગેરસમજ ફેલાઇ અને નવો વિવાદ થાય તે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર તાત્કાલીક ભુલ સુધારી લે નહીંતર નવા પરિણામો ભોગવવાનો વારો આવશે. તેમ મહેશગીરીએ જણાવ્યું છે દતાત્રેય શીખરનો કોઇ વિવાદ જ નથી શિખરના મંદિરમાં ત્રણ ટ્રસ્ટીઓ હતા એક ટ્રસ્ટીનું નિધન થતા હું ત્યાં મહંત છું મારા સહિત ત્રણમાંથી બે ટ્રસ્ટીઓ રોજ તંત્રની ભુલના કારણે આ વિવાદ સાથે જોડી દેવામાં આવેલ છે.
દતાત્રેય મંદિર સ્વતંત્ર અને અલગ ટ્રસ્ટ છે તેને અંબાજી મંદિર કે ભીડભંજન મંદિર સાથે કોઇ જ લેવા દેવા જ નથી કે લગાતું વળગતું નથી. તંત્ર આવી ગંભીર ભુલ કરે તેના કારણે સરકરારને બદનામી ભોગવવી પડે છે અને નવો વિવાદ સર્જાય છે. ગંભીર બાબતો ઉપર નિર્ણય કરવાનો હોય ત્યારે આવું કાચુ કપાય તે ખુબ જ બેદરકારી ગણી શકાય ગઇકાલે મહેશગીરીને તંત્રને પણ જાણ કરી છે હવે તંત્ર શું નિર્ણય કરે તેના પર મીટ મંડાયેલી છે.