Morbi,તા.02
હડમતીયા ગામની સીમમાં મજુરી કરતી ૧૯ વર્ષીય પરિણીતાનો પગ લપસી જતા કુવામાં પડી જતા મોત થયું હતું
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં રહીને મજુરી કરતા ફીરકીબેન મુન્નાભાઈ બારેલા (ઉ.વ.૧૯) નામની પરિણીતા ગત તા. ૦૧ ના રોજ સવારના કુવામાં પાણી ભરવા જતા પગ લપસી જતા મોત થયું હતું મૃતકનો લગ્નગાળો એક વર્ષનો છે અને સંતાનમાં ૦૨ માસનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે