Vadodara,તા.03
વડોદરાના પ્રતાપ નગર વિસ્તારની નમ્રતા પાર્ક સોસાયટીમાં રહેતા સતીશકુમાર ભાગવત પ્રસાદ શુક્લા કર્મકાંડી બ્રાહ્મણ છે. તેમના પત્ની શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગત ચોથી નવેમ્બરે સવારે 10:30 વાગે તેઓ સાસુના મરણ પ્રસંગની વિધિ માટે કાર લઈને પરિવાર સાથે મધ્યપ્રદેશના અજયગઢ ખાતે ગયા હતા. બે દિવસ પછી સવારે પાડોશી સંજયભાઈએ ફોન કરીને તેઓને જણાવ્યું કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને તાળું તૂટેલું છે. તેઓ બહારગામ હોવાથી સંબંધીઓને ઘરે મોકલી તપાસ કરાવતા ચોરી થવાનું જણાવ્યું હતું. બેડરૂમનો સામાન અને તિજોરીનો સામાન વેરવિખેર હતો. સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. ચોર ટોળકી રોકડા 80,000 તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 3.37 લાખની માતા લઈ ગઈ હતી.