Morbi,તા.03
મોરબી જીલ્લામાં વ્યાજખોરો બેલગામ બન્યા હોવાની રાવ વચ્ચે રેંજ આઈજીની મુલાકાત વેળાએ અરજદારો ફરિયાદ લઈને પહોંચ્યા હતા જે રજૂઆત બાદ પોલીસે ફરિયાદ નોંધી છે મોરબી જીલ્લામાં ૧૨ વ્યાજખોરો સામે પાંચ ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી છે
જેમાં પ્રથમ ફરિયાદમાં મોરબીની ગૌરાંગ શેરીમાં રહેતા ઉમંગ બિમલ મકવાણાએ આરોપીઓ પ્રકાશ ઉર્ફે બાબુ મનસુખ રાઠોડ, તુફેલ અલી ગલરીયા, અનિરુદ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા, હસન અલી બલોચ, હીરા દેવસી રબારી, જુબેર અલી ગલરીયા, ભાવિક વિમલ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી અને તેના પિતાએ આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય જેની પથાની ઉઘરાણી કરી ત્રણ એકટીવા અને એક સ્વીફ્ટ કાર લઇ લીધા હોય તેમજ ચેક રીટર્ન કેસ કરાવવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે
બીજી ફરિયાદમાં ટંકારાના ઓટાળા ગામે રહેતા ભાજપ અગ્રણી બેચરભાઈ મગનભાઈ ઘોડાસરાએ આરોપી હિરેન રાજેશ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધી હોવા છતાં વ્યાજ માટે નોટરી લખાણ લઈને કોરા ચેકમાં રકમ ભરી ચેક રીટર્ન થતા કોર્ટમાં ચેક રીટર્ન કેસ કરી ઊંચા વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપી હતી ત્રીજી ફરિયાદમાં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા હેમંતભાઈ ઘોઘાભાઇ સુરેલાએ આરોપી અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ આરોપીના મોટાભાઈ શક્તિસિંહ ઝાલા પાસેથી રૂ ૪ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા બાદમાં તેઓનું મોત થતા આરોપી અશોકસિંહને વ્યાજ સહીત રૂપિયા પરત આપ્યા છતાં ઓફિસે બોલાવી તેમજ ફોન પર ગાળો આપી પોતે એક મર્ડર કરેલ છે તેમાંથી છૂટીને આવ્યાનું કહીને બીજું મર્ડર કરતા વાર નહિ લાગે કહીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે
ચોથી ફરિયાદમાં માળિયા તાલુકાના બગસરા ગામે રહેતા સુધીર વલ્લભભાઈ પાટડીયાએ આરોપી દેવશી લાલજીભાઈ સરડવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી પાસેથી રૂપિયા ૯૦ હજાર ૫ ટકા લેખે વ્યાજે લીધા હતા જે પેટે ૧ લાખ ૧૩ હજાર વ્યાજ સહીત આપ્યા છઠા વધુ ૬૫ હજાર રૂપિયાની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપે છે તેમજ કોરા ચેકમાં સહી કરાવી ચેક પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે પાંચમી ફરિયાદમાં માળિયાના ફગસીય ગામના રહેવાસી ભાનુબેન જયંતીલાલ માકાસણાએ આરોપી સુરેશ ઉર્ફે રમેશભાઈ વાણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ધરમપુર ગામે રહેતા હોય ત્યારે પતિની સારવાર માટે માસિક ૧૦ ટકા લેખે રૂ ૩ લાખ વ્યાજે લીધા હતા અને રૂ ૩.૨૫ લાખ મુદલ ઉપરંત ચૂકવી દીધા છતાં ઘરે આવી ઉઘરાણી કરી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી જીલ્લા પોલીસે વ્યાજખોરોની વિવિધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે