Amreli, તા.5
સાવરકુંડલા તાલુકાના ખોડીયાણા ગામે રહેતા મનસુખભાઈ નનુભાઇ વાઘમશીએ સને ર013 સાવર કુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સુખાભાઈ બાધા ભાઈ મોર તથા લાલજીભાઈ બાઘાભાઈ મોર (રહે. બન્ને ખોડીયાણા તા. સાવરકુંડલા) વિરૂદ્ધ આઈપીસી કલમ 325, 323, 504, 114 જી.પી. એકટ 135 મુજબનો ગુન્હો દાખલ કરાવેલ હતો.
જે ગુન્હો સાવરકુંડલા એડી.ચીફ કોર્ટમાં ચાલી જતા ગત તા. ર0/1ર/ર3ના રોજ સુખાભાઈ વિરૂદ્ધ ગુન્હો સાબિત થતાકોર્ટે તેને સજા ફરમાવેલ હતી. અને બીજા આરોપી લાલજીભાઇ મોરને શકનો લાભ આપી નિર્દોષ છોડી મુકેલ હતા. તે ચુકાદા સામે મનસુખભાઇ નનુભાઈ વાઘમશીએ ઉપરની કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી.
સદર કેસ પાછો ખેંચી લેવા અને સમાધાન કરી લેવા સાવરકુંડલા તાલુકાના ખોડીયાણા ગામે રહેતા આરોપી સુખાભાઈ બાઘાભાઈ મોર, લાલજીભાઈ બાધાભાઈ મોર, ધવલભાઈ લાલજીભાઈ મોર, કાનજીભાઈ ભાયાભાઈ બગડા તથા મનસુખભાઈ મનજીભાઈ વેકરીયા તેમજ સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે રહેતા શરદભાઈ નાનાભાઈ ગોદાણીએ અવાર નવાર વારાફરતી મનસુખભાઇ નનુભાઇ વાઘમશીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મરી જવા મજબુર કરતા જે માનસિક ત્રાસના લીધે મરણ જનારે સાવરકુંડલા કોર્ટમાં પોતાની જાતે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ફરિયાદ ગુણવંતભાઇ નનુભાઇ વાઘમશીએ સાવરકુંડલા પોલીસમાં નોંધાવી છે.