તાજેતરમાં પીડ અભિનેતા જેકી શ્રોફે કહ્યુ હતું કે પરિણીત યુગલોએ પોતાના પરિવારનો વિસ્તાર કરવાથી પહેલા, એટલે કે માતાપિતા બ૭નવાનું આયોજન કરવા અગાઉ થેલેસેમિયા ટેસ્ટ અચૂક કરાવી લેવું જોઈએ. આનું કારણ જણાવતાં તેણે કહ્યું હતું કે આ જેનેટિક બીમારી માતાપિતામાંથી સંતાનોમાં ઉતરી આવવાની સંભાવના હોવાથી પરિણીતા ગર્ભ ધારણ કરે તેનાથી પહેલા જ દંપતિ થેલેસેમિયા ટેસ્ટ કરાવી લે તે સલાહભર્યું ગણાય.
અભિનેતાની વાતમાં તથ્ય પણ છે. બોલીવૂડના લાડકા યુગલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તો લગ્નથી થોડાં મહિના પહેલા જ ‘પ્રી મેરિટલ હેલ્થ ચેકઅપ કરાવી લીધું હતું જેથી પોતાના ભાવિ સંતાનને વારસાગત વ્યાધિથી બચાવી શકાય. મહત્ત્વની વાત એ છે કે આજે યુએઈ સહિત અનેક દેશોમાં ‘પ્રી મેરિટલ ટેસ્ટ’ કરાવવું જરૂરી બની ગયું છે જેથી ભાવિ પેઢીને જેનેટિક વ્યાધિઓથી બચાવી શકાય.
તજજ્ઞાો કહે છે કે પ્રી-મેરિટલ ચેકઅપ એવી સ્વાસ્થ્ય ચકાસણી ચે જે આ પૃથ્વી પર અવારનવાર શિશુને માતાપિતા તરફથી વારસામાં મળનારી બીમારીઓથી બચાવી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં નવા જન્મેલા બાળકોમાં જનટિક અને બ્લડ ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે કે વારસાગત બીમારીનું પ્રમાણ ઝપાટાભેર વધી રહ્યું છે તે જોતાં વિસ્વના કેટલાંક દેશોમાં પ્રી-મેરિટલ હેલ્થ ચેકઅપ જરૂરી બનાવી દેવામાં આવ્યું છે. તેઓ વધુમાં કહે છે કે પ્રી-મેરિટલ ટેસ્ટ કરાવવાથી જે તે યુવક તેમ જ યુવતીમાં રહેલી સ્વાસ્થ્ય વિષયક સમસ્યોની આગોતરી જાણકારી મળી જાય છે આવી સ્થિતિમાં જો યુગલ માતાપિતા બનવાની તૈયીર કરવા માગતું હોય તો ભાવિ સંતાનના સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય એવી સઘળી સાવધાની રાખીને આગળ વધી શકે. પ્રી-મેરિટલ હેલ્થ ચેકઅપ આવનારા બાળકની સ્વાસ્થ્ય વિષયક સમસ્યાઓમાં ૪૦ થી ૫૦ ટકા જેટલો ઘટાડો કરી શકે છે. જો કે મોટાભાગના યુવકો અને યુવતીઓ આવી ચકાસણી માટે તૈયાર નથી થતાં. તેમને એવું લાગે છે જાણે તેમની પરીક્ષા લેવામાં આવી રહી છે. જ્યારે હકીકતમાં આ આરોગ્ય તપાસણી ભાવિ પેઢીને સંભવિત જોખમોથી બચાવવાનો પ્રયાસ માત્ર હોય છે. તેને કારણે તેમને ઘરે સ્વસ્થ શિશુ અવતરે છે અને તેમનું કુટુંબ પણ વ્યાધિની ઉપાધિ વિના રાજીખુશીથી રહી શકે છે.
નિષ્ણાતો સંબંધિત ટેસ્ટ વિશેની જાણકારી આપતાં કહે છે કે તેમાં ચાર પ્રકારની તપાસણીનો સમાવેશ થાય છે. (૧) જેનેટિક સ્ક્રીનિંગ – આ ટેસ્ટ દ્વારા જે તે વ્યક્તિના ડીએનએના સ્વાસ્થ્યની જાણકારી મળે છે. વાસ્તવમાં ભવિષ્યમાં થનારી વ્યાધિઓના મૂળ ડીએનએમાં જ રહેલાં હોય છે. (૨) અલ્ટ્રાસાઉન્ડ એબ્ડોમેન એન્ડ પેલિવસ : સામાન્ય રીતે પેલ્વિસનું અલ્ટ્રાસાઉન્ડ ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવે છે. પરંતુ સિસ્ટ, ફાઈબ્રોઈડ ટયુમર, મૂત્રાશયનો ફેલાવો જેવી સમસ્યાઓ જાણવા માટે પણ આ ટેસ્ટ ખપ લાગે છે. સાથે સાથે એબ્ડોમેનના અલ્ટ્રાસાઉન્ડથી મૂત્રાશયમાં થતી પથરી, લીવર ડિસીસ અને અન્ય કેટલીક સ્થિતિની તપાસમાં મદદ કરી શકે છે. (૩) એન્ટિ-મલેરિયન હોર્મોન (એએમએચ) ટેસ્ટ. : આ ચકાસણીથી જે તે વ્યક્તિના પ્રજનન સ્વાસ્થ્યનું આકલન કરવામાં મદદ મળે છે. એએચએમ એક હોર્મોન છે જે મહિલાઓના અંડાશય અને પુરુષોના અંડકોષમાં પેદા થાય છે.
(૪) સેરોલોજિકલ ટેસ્ટ: આ પરીક્ષણને એન્ટિબોડી ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેસ્ટ દ્વારા રોગપ્રતિકારક શક્તિ સંબંધિત વિકારો તેમ જ જે તે વ્યક્તિ કોઈ વાયરસ અથવા અન્ય ચેપી એજન્ટના સંપર્કમાં આવ્યો છે કે નહીં, તેનાથી તેને સંક્રમણ થયું છે કે કેમ તેની જાણકારી મળે છે.