Junagadh, તા.7
માંગરોળના મીતી ગામે રહેતા બાવાજી ઉમેશગીરી ઉર્ફે ખેરો અરજણગીરી અપારનાથી (ઉ.35) એ ગળેફાંસો ખાઈ લેતા મોત નોંધાયું છે. આ અંગે મૃતકના ભાઈ લખમણગીરી અરજણગીરી અપારનાથીએ શીલ પોલીસમાં જણાવ્યા મુજબ મીતી ગામે તેમની શેરીમાં રહેતા જીવતીબેન જીવાભાઈ ઓડેદરાને અગાઉ હાર્ટનો હુમલો આવેલ ત્યારે તેના કાનમાંથી વેઢલા સોનાના કોઈ કાઢી ગયેલ જેમાં ઉમેશગીરીના પત્ની જયોત્સનાબેને લીધેલ હોવાની ચર્ચા થતી હોય ઉમેશગીરીનું નામ ગામમાં સારૂ હોય જેથી ગામમાં મોઢું કેમ બતાવીશ તેવી સરમના કારણે ગળે ફાંસો ખાઈ લેતા મોત નિપજયું હતું. શીલ પોલીસે તપાસ હાથ ધરી છે.
એકટીવા ચાલકનું મોત
માણાવદર બહારપરામાં રહેતા ફરીયાદી અનીલભાઈ પોપટભાઈ ચૌહાણ માળીયાહાટીના ખાતે ગયેલ હોય ગત તા.5-12ના બપોરના 3-30 કલાકે એકટીવા નં. જીજે 11 વીકે 7656માં જઈ રહ્યા હતા. ત્યારે મોળીયા કોર્ટ પાસે અજાણ્યા ફોરવીલ ચાલકે તેમનું ફોરવીલ ગફલતભરી રીતે ચલાવી મૃતક જયેશભાઈ મથુરભાઈ ચૌહાણ (ઉ.51)ને માથામાં ગંભીર ઈજા થતા મોત નોંધાયું હતું. જયારે તેમના માતા સુસીલાબેન ફંગોળાઈ જતા શરીરે ઈજા થવા પામી હતી. ફોરવીલ ચાલક કાર સાથે ભાગી છુટયો હતો. માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.
કુવામાં પડી જતા આધેડનું મોત
માળીયાહાટીના ભાંખરવડ ગામે રહેતા ધીરૂભાઈ બાબુભાઈ સિંધવ (ઉ.67) ગઈકાલે સવારે તેમની ભાખરવડ ગામની સીમમાં વાડીએ આવેલ ત્યારે મો.સા. સાથે કુવામાં પડી જતા મોત નોંધાતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.