Ahmedabad,તા.11
ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક વિજય સુવાળા પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે 7 લોકોના ટોળાએ વિજય સુવાળાના ઘાતકી હુમલો કર્યો હતો વિગતો મુજબ વિજય સુવાળા પોતાના મિત્રો સાથે કોઈ સામાજિક પ્રસંગમાં જઈ રહ્યાં હતા ત્યારે અમદાવાદના ઝુંડાલ સર્કલ પાસે આશરે 10.30 વાગ્યાની આસપાસ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ કોઈએ પહેલા ફોન કરીને ધમકી આપી હતી કે, તું અમારા પ્રોગ્રામ કેમ નથી કરતો અને બીજાના પ્રોગ્રામ કરે છે. આ મામલે ફોનમાં બોલાચાલી પણ થઈ હતી. ત્યારે બાદ પોતાના પ્રોગ્રામ ખુબ જ શિડ્યુઅલ હોય છે તેવું વિજય સુવાળાએ જણાવ્યું હતું.
જેથી ફોન કરનારાઓએ ધમકી આપી કે, તારે અમે કહીંએ તો પ્રોગ્રામ કરવા પડશે, નહીં તો તને જાનથી મારી નાખીશું. નોંધનીય છે કે, પહેલા આવી ધમકી મળી અને બાદમાં કાલે મોડી રાત્રે તલવારો સહિતાના હથિયારો વડે હિંસક હુમલો થયો હતો.
નોંધનીય છે કે, વિજય સુવાળાને મારવા માટે કેટલાક લોકો આવ્યાં ત્યારે ડ્રાઈવરે ગાડીને ભગાડી દીધી હતી. જો કે, હુમલાખોરોએ ગાડીનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું જેથી વિજય સુવાળાએ પોલીસને જાણ કરીને જાણ કરી હતી.
પોલીસને ફોન કરતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના ગાંધીનગરની હદમાં થઈ હોવાથી વિજય સુવાળાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં હુમલાની ફરિયાદ નોંધાવી હતી. અડાલજ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.