Keshod તા.૧૬
કેશોદમાં સમ્યક સેવા સમિતિ આયોજીત ડૉ.નાથાલાલ ગોહિલ લિખિત‘‘તથાગત બુધ્ધ અને બૌધ ધમ્મ દર્શન‘‘ ગ્રંથ લોકાર્પણ સમારોહ અને સંગોષ્ઠિ સાથે પુસ્તક વિમોચન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું..પુસ્તક વિમોચનનો અમૂલ્ય પ્રસંગ કેશોદના આંબેડકર ભવનના આંગણે યોજાયો હતો.ડો.નાથાલાલ ગોહિલ દ્વારા લિખિતતથાગત બુધ્ધ અને બૌધ ધમ્મ દર્શન પુસ્તકનું વિમોચન પેહલા દીપ પ્રાગટય બાળાઓ દ્વારા બુધ્ધ વંદનાબાદ મહેમાનો આવકાર સમ્યક સેવા સમિતિના જેન્તીભાઈ ધુડા દ્વારા કરાયા બાદ માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્રંથ અને ગ્રંથકારોનો પરિચય આપતા પધારેલ ડૉ.અશ્વિન કાબા ડૉ.રમેશ સાગઠીયા ડૉ.જીવરાજ પારઘી દ્વારા લિખિત પુસ્તક નો પરિચય અપાતા પુસ્તકમાં ઇતિહાસ અને જૂના રીતિ રિવાજોનું આલેખન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પુસ્તકના લેખક ડો નાથાલાલ ગોહિલ નું તેમજ ઉપસ્થિત મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ એન.યુ ગોહિલ સાહેબ દ્વારા પોતાના દ્વારા લખાયેલ પુસ્તકની ઝાંખી રજૂ કરી હતી. ડૉ નાથાલાલ ગોહિલે કુલ ૫૩ પુસ્તકો લખેલા છે.. આ પ્રસંગે માજી ધારાસભ્ય, અમેરિકાથી ખાસ નાથાલાલ ગ્રંથકાર ના મિત્ર સી.ડી લાડાણી સાહેબ,તેમજ અતિથી વિશેસ અન્ય મહેમાનો સહિત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં.