Botad,તા.31
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.31 ને મંગળવારના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતી તથા હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.
આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે સેવંતી તથા હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાને મોરની ડિઝાઈન અને જરદોશી વર્કવાળા સિલ્કના વાઘા ધરાવાયા છે.દાદાને દાડમ,સંતરા, મોસંબી,ચેરી,જામફળ,બોર,સફરજન વિગેરે ફળોનો અન્નકૂટ ધરાવાયો છે.
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે યજ્ઞમાં પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. અનેક ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.