Keshod તા. 2
કેશોદ નગરપાલિકા દ્વારા રોડ રસ્તા પરના ઓટા ઓટલી તોડી રોડ પરના દબાણને દુર કરવાની જાહેરાત કરી છે જેને પગલે વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી છે.કેશોદ નગરપાલિકા દ્વારા શહેરની બજારોમાં જાહેર રિક્ષા ને ફેરવી જાહેરાત કરવામાં આવી હતી કે આગામી પાંચ જુન સુધીમાં રોડ રસ્તા પર ટ્રાફિક ને અડચણ રૂપ દબાણો અને ઓટા ઓટલી ને વેપારીઓ અને દુકાનદારો દ્વારા સ્વેચ્છાથી દુર કરવા માટે ની અપીલ કરવામાં આવી છે અને જો આવા દબાણો સ્વેચ્છાથી દુર નહીં કરવામાં આવે તો પાલિકા દ્વારા પોલીસ ને સાથે રાખી ગેરકાયદેસર આવા દબાણને તોડી પાડવા માટેની જાહેરાત કરી છે જેને લયને વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે.
તો બીજી તરફ લોકોમાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે સામાન્ય વેપારીઓના ઓટાઓ પાલિકા ને નડે છે પરંતુ અન્ય ગેરકાયદેસર મોટા દબાણ નગરપાલિકા નથી દેખાતા કે શું ? તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.