Amreli,તા.4
અમરેલી શહેર લેટરકાંડમાં જેલ હવાલે થયેલ પાટિદાર સમાજની યુવતીની ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લઈ હિંમત આપી હતી.દરમિયાન જેલ મુકત થયેલ યુવતી પાયલ ગોટીને જિલ્લા બેંકમાં નોકરી આપવા બેંકનાં ચેરમેન દિલીપ સંઘાણીએ નિર્ણય લીધો છે.
અમરેલી ભાજપનાં ચાલતી જુથ બંધીનો શિકાર બનેલ મઘ્યવર્ગીય પરિવારની નિર્દોષ યુવતી “પાયલને” ભાનપનાં નેતા દિલીપ સંઘાણી જે બેન્કનાં ચેરમેન છે તે જિલ્લા મઘ્યસ્થ બેન્કમાં નોકરી આપીને આત્મનિર્ભર બનાવવાનાં નિર્ણય ચેરમેનની દરખાસ્તને બોર્ડ ઓફ ડાયરેકટરની મંજુરીથી થયો છે.
અમરેલી જેલમાં રહેલ પાયલ નામની યુવતિને આજે હિંમત અને હુંફ આપવા ભાજપનાં દિગ્ગજ નેતા જિલ્લા જેલ ખાતે દોડી ગયા હતા. અમરેલી જિલ્લામાં ભાજપનાં ચક્રવ્યુહમાં ફસાયેલ નિર્દોષ યુવતિ છેલ્લા પાંચેક દિવસથી જેલમાં એક એક મિનિટ નિસાસા સાથે પસાર કરી હતી.
તેમનો વાંક શું હતો કે તેમની વિરૂધ્ધ ભાજપનાં એક આગેવાને ફરિયાદ નોંધાવી. પાયલનો પરિવાર પણ ચિંતિત હતો તેવા સમયે ભાજપનાં જ એક કદાવર નેતા દિલીપ સંઘાણી અને અમર ડેરીનાં ચેરમેન અશ્વિન સાવલીયાએ જેલમાં જઈને પાયલને હિંમત અને હુંફ આપી હતી અને માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.