Amreli,તા.7
અમરેલીનાં લેટર કાંડમાં જેલ મુકત થયેલ પાટીદાર સમાજની દીકરીએ પોલીસે પટ્ટાથી મારમાર્યોનો આક્ષેપ કર્યાના બનાવના પંગલે પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. દીકરીને ન્યાય અપાવવાની પ્રચંડ માંગ ઉઠી રહી છે. ગુજરાત-સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં રેલી-આવેદનપત્ર અપાતા આખરે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખેરાને આ બનાવમાં એચઆઈટીની રચના કરવામાં આવી છે.
અમરેલીનાં બહુચર્ચિત લેટર કાંડની તપાસ માટે પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. ટીમનાં અઘ્યક્ષ એ.જી. ગોહીલની સાથે મહિલા પીઆઈ ઈન્દુબા ગીડા, પીએસઆઈ બરવાડીયાની ટીમ દ્રારા પોલીસ તંત્ર સામે પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનીકસ મીડિયામાં ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ બાબતે પોલીસ વિરૂધ્ધ કરાયેલ આક્ષેપ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવશે.
કારણદર્શક નોટીસ:-
અમરેલીનાં બહુ ચર્ચિત લેટર કાંડનાં આરોપી અને જસવંતગઢ ગામનાં સરપંચ અશોકભાઈ માંગરોળીયાને જિલ્લા વિકાસ અધિકારીએ કારણ દર્શકનોઠિસ પાઠવીને દિન-3માં લેખિત ખુલાસો કરવા જણાવેલ છે.
નોટિસમાં જણાવેલ છે કે તમો ગ્રામ પંચાયત જશવંતગઢનાં જવાબદાર સરપંચનો હોદો ધારણ કરતા હોય ત્યારે તમારી વિરૂદ્વ ગુન્હો નોંધાવો તેમજ અટક થયેલ હોય, જાહેર સેવકને ન છાજે તેવું કૃત્ય કરેલ હોય, જે આપનુ નૈતિક અધ:પતન ગણવાને પુરતુ હોય, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-પ9 (1) અન્વયે આપની સામે કાર્યવાહી કરી આપીને સરપંચના હોદા પરથી મોકુફ શા માટે ન કરવા ?
તે અંગેનો લેખિત ખુલાસો આ કારણ દર્શક નોટિસ મળ્યેથી દિન-3માં અત્રે રજુ કરશો. જો આપના દ્વારા સમય મર્યાદામાં ખુલાસો રજુ કરવામાં નહિ આવે તો આપને આ બાબતે કશું કહેવું નથી એવું માની નિયમ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે.