ભારતીય ક્રિકેટ ટીમની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટુર્નામેન્ટમાં કૅપ્ટન રોહિત શર્માએ બહાર બેસવાનો નિર્ણય લીધો હતો
Mumbai,તા.08
ભારતીય ક્રિકેટ ટીમની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટુર્નામેન્ટમાં કૅપ્ટન રોહિત શર્માએ બહાર બેસવાનો નિર્ણય લીધો હતો. તેની પાછળ તેનો પોતાનો ખરાબ દેખાવ જવાબદાર હોવાનું માનવામાં આવતું હતું. જોકે, આ મુદ્દે તેને ઘણી ટીકોઓનો સામનો કરવો પડ્યો હતો અને સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફૅન્સ તેમજ જાણીતા લોકો પણ બે જૂથમાં વહેંચાઈ ગયાં હતાં. જોકે, ઘણા લોકો એવા પણ આક્ષેપ કર્યા હતા કે આ રોહિત શર્માની પીઆર ટીમે રોહિતને બચાવવા માટે કરેલા પ્રયત્નોના ભાગે હતું. હવે આ મુદ્દે પોતાને બચાવી લેવા માટે વિદ્યા બાલનની ટીમ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.રોહિત શર્માએ જ્યારે મેચમાંથી બહાર લેવા નિર્ણય કર્યો તો ઘણા લોકોએ તેની નિવૃત્તિની માગણી કરી હતી. આ મુદ્દે રોહિત શર્માએ સ્ટાર સ્પોટ્ર્સને કહ્યું હતું, “હું જ્યારે કૅપ્ટન તરીકે કામ કરતો હોઉં ત્યારે આવનારા પાંચ કે છ મહિનામાં શું થવાનું છે એ અંગે હું વિચારતો નથી. તમારે નજીકના ભવિષ્યમાં શું જોઈએ છે એ તેના પર ધ્યાન આપવું મહત્વનું છે. અમારું બધું જ ધ્યાન આ પાંચ મેચ પર હતું. અમારે ટ્રોફી બચાવવાની હતી, અમારે જીતવાનું હતું. તો જ્યારે આપણે આવો નિર્ણય લઇએ છીએ, તો આપણે ટીમને ધ્યાનમાં રાખીને લઇએ છીએ.”વિદ્યા બાલનની રોહિતની તરફેણમાં ટ્વીટથી આ ચર્ચાએ જોર પકડ્યું હતું. તેણે લખ્યું, “રોહિત શર્મા, કેવો સુપર સ્ટાર!! એક વિરામ લેવો અને શ્વાસ લેવા માટે ઘણી હિંમત જોઈએ..તને હજુ વધુ શક્તિ મળેપ સન્માન..!! રોહિત” તેણે કરેલાં આ સપોર્ટ પછી ઘણા લોકોએ એવાં નિવેદનો કર્યાં હતાં કે વિદ્યા તો રોહિતને ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરતી નથી એટલે ટ્વીટ તો પીઆરનો એક ભાગ છે. ઘણા લોકોનો એવો દાવો પણ હતો કે વિદ્યાને રોહિતની પીઆર ટીમ દ્વારા આવું કરવા કહેવાયું હતું અને તેણે એ બાબતનો સ્ક્રીનશોટ પણ પહેલાં શેર કર્યો હતો પણ પછીથી એ ડિલીટ કરી દેવાયો હતો. રવિવારે વિદ્યા બાલનની ટીમ દ્વારા એક નિવેદન જાહેર કરાયું હતું, જેમાં કહેવાયું, “ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્માએ છેલ્લી મૅચમાંથી એક તરફ ખસીને જે ગરિમા જાળવી તેના માટે વિદ્યા બાલને જે લાગણી દર્શાવી તે ટ્વીટ અંગે કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે. આ વાતને નિઃશંક જ રહેવા દઈએ કે વિદ્યા બાલને આ ટ્વીટ બિલકુલ પોતાની વ્યક્તિગત રીતે કરેલી કારણ કે તેમનો નિઃસ્વાર્થ નિર્ણય તેને સ્પર્ષી ગયો હતો અને એ તેની પીઆર ટીમ દ્વારા કહેવાયું નહોતું. બાલન કોઈ બહુ નિયમિત ક્રિકેટ પ્રસંશક નથી, પરંતુ જે લોકો કોઈ પણ પરિસ્થિતિમાં ગરિમા અને ગૌરવ દર્શાવે છે તેમના પ્રસંશક છે. ત્યારે તેમનીં લાગણીને સહજ પ્રતિસાદથી અલગ કશું પણ માનવું એ બિલકુલ અવિવેક ગણી શકાય.”