Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025

    ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court

    November 6, 2025

    Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો

    November 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો
    • ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court
    • Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો
    • દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી
    • જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી
    • ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Khushi એ મમ્મી શ્રીદેવીની મોમ ફિલ્મની સીકવલનું શૂટિંગ શરુ કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Kashi and Ayodhya માં પણ ભકતોની ભીડ
    અન્ય રાજ્યો

    Kashi and Ayodhya માં પણ ભકતોની ભીડ

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Prayagraj,તા.10
    મહાકુંભનાં 144 વર્ષ બાદ બનેલા સંયોગને લઈને શ્રધ્ધાળુઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના ખુણે ખુણામાંથી લોકો મહાકૂંભમાં આવી રહ્યા છે.ભીડનું કારણ એટલુ તો છે કે સંગમ જતા દરેક રસ્તા જામ થઈ ગયા છે.નેશનલ હાઈવેથી માંડીને પ્રયાગરાજ શહેરમાં પણ વાહનોનો જમાવડો થઈ ગયો છે.

    દરેક માર્ગો પર ટ્રાફીકજામ થઈ ગયો છે. ટ્રાફીક જામ માત્ર પ્રયાગરાજમાં નહિ પણ તીર્થસ્થળ અને અયોધ્યામાં પણ થઈ ગયો છે. પ્રયાગરાજમાં લોકો મહાકુંભમાં પૂણ્યની ડુબકી લગાવનારા શ્રધ્ધાળુઓ પ્રયાગરાજની યાત્રાની સાથે સાથે અયોધ્યામાં પણ યાત્રા કરી રહ્યા હોવાના કારણે આ તીર્થસ્થળો પણ શ્રધ્ધાળુઓથી છવાઈ ગયા છે.એક સાથે યાત્રાળુઓનો સમુહ પ્રયાગરાજની સાથે સાથે અયોધ્યા અને કાશી પહોંચ્યા હતા.

    વીક એન્ડમાં મહાકુંભ પહોંચનારાઓએ પ્લાન કઈંક આ રીતે બનાવ્યો હતો. પહેલા સંગમમાં ડૂબકી લગાવવાની ઈચ્છા પુરી કરી, ત્યારબાદ અયોધ્યામાં બાલક રામના દર્શન કર્યા. બાદમાં કાશીમાં બાબા વિશ્વનાથનાં દર્શન કર્યા હતા.ત્રણ-ચાર દિવસની રજામાં આ ત્રણેય તીર્થસ્થળોને જોડતા માર્ગો પર જબરજસ્ત ભીડ રહી હતી અને લોકો કલાકો સુધી ટ્રાફીક જામમાં ફસાયેલા રહ્યા હતા.

    પ્રયાગરાજ
    મહાકુંભના કારણે અહીં ઉમટી પડેલી ભીડના કારણે સ્ટેશન પર રેલવેએ અમૃત સ્નાન માટે બનાવવામાં આવેલ નિયમો ફરી લાગુ કરી દીધા છે. મોટાભાગનાં પુલ બંધ કરી દીધા અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ જયાં પણ નદી કિનારે હોય ત્યાં સ્નાન કરી લે. હાલ પરિસ્થિતિ એ છે કે કેટલાંક લોકોને મહાકૂંભ મેળા ક્ષેત્રમાં પહોંચવા માટે 25 થી 30 કિલોમીટર સુધી પગપાળા જવુ પડે છે તો હાઈવેમાં ટ્રાફિક જામ છે.

    અયોધ્યા
    રામનગરીમાં રવિવારે લગભગ 10 લાખ શ્રધ્ધાળુઓની ભીડ પહોંચી હતી, ભીડને નિયંત્રીત કરવા માટે 17 જગ્યાઓ પર લાગેલા બેરિયર બંધ કરવા પડયા હતા. રામમંદિર અને હનુમાનગઢીથી બે કિલોમીટરથી જ રૂટ ડાયવર્ઝન અને ક્રાઉડ હોલ્ડીંગ કરવામાં આવ્યું હતું.

    દર્શનનો સમય વધાર્યા પછી પણ લોકોને બાલકરામનાં દર્શન માટે બેથી ત્રણ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડે છે. અયોધ્યાનાં ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર માધ પૂર્ણિમા સુધીમાં 20 લાખથી વધુ લોકો પહોંચવાનું અનુમાન છે.

    કાશી
    વીક એન્ડમાં મહાકુંભથી પરત ફરેલ ભીડના કારણે રવિવારે હાઈવે અને તેની સાથે જોડાયેલ શહેરના બધા રસ્તા ચોક થઈ ગયા છે. કાશી વિશ્વનાથ મંદિરવાળા રસ્તા પર તો પગ રાખવાની જગ્યા પણ નહોતી રાની તળાવથી મોહનસરાય સુધી લગભગ અઢી કલાકનું અંતર કાપવામાં બાઈક સવારોને દોઢ કલાક લાગ્યો હતો.

    બીજી બાજુ વારાણસીનાં કેન્ટ રેલ્વે સ્ટેશને જયારે યાત્રીઓને જગ્યા ન મળે તો બન્ને ટ્રેનોનાં એન્જીન પર જ કબજો જમાવીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

    મહાકુંભમાં હાઈટેક બાળ સાધુ-સંન્યાસીઓ: મંત્રોની સાથે એઆઈનું હુનર શીખે છે!
    વેદ વિદ્યાલયોને હાઈટેક બનાવવાની યોજના
    મહાકુંભમાં હાઈટેક સાધુ સંન્યાસીઓ શ્રદ્ધાળુઓને આકર્ષિત કરી રહ્યા છે તો આ હાઈટેક બાળ વેદપાઠી છાત્રો પણ કુતુહલનો વિષય બન્યા છે. ડિઝીટલ ઈન્ડિયામાં હાઈટેક વૈદિક બટુકો વેદાના કહોર મંત્રો, પુરાણ, ઉપનિષદ, ગીતા, અંગ્રેજી, ગણીતથી માંડીને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) સુધીનું શિક્ષણ હાંસલ કરી રહ્યા છે.

    એકથી પાંચ ફેબ્રુઆરી સુધી યોજાયેલી વેદ વિદ્યાલયોની શિબિરમાં પોતાની મેધાનો હુનર બતાવતા સ્વામી નરોતમાનંદ ગિરિ વેદ વિદ્યાલય ઝૂંસીના વેદપાઠી છાત્ર ટેકનીકની મદદથી વેદ ગ્રંથો, મંત્રોને સંરક્ષિત કરવા અને તેમને વૈશ્વિક સ્તર પર શેર કરવાનું શીખવી રહ્યા છે.

    બીજી બાજુ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત દેશભરના વેદ વિદ્યાલયોને હાઈટેક બનાવવા માટે શિક્ષણ મંત્રાલયે હાલમાં જ મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય સંસ્કૃત શિક્ષણ બોર્ડ સાથે બેઠક કરી હતી.

    Kashi and Ayodhya Prayagraj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો

    November 6, 2025
    રાષ્ટ્રીય

    દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી

    November 6, 2025
    મુખ્ય સમાચાર

    જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી

    November 6, 2025
    ખેલ જગત

    ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું

    November 6, 2025
    રાષ્ટ્રીય

    ભારત સંપૂર્ણપણે સ્વદેશી મોબાઇલ હબ બનશે : ડેટા રહેશે સુરક્ષિત

    November 6, 2025
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં વિવાદીત ધાર્મિક સ્થળ પાસે દેવદિવાળીની પુજા કરાતા તનાવ

    November 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025

    ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court

    November 6, 2025

    Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો

    November 6, 2025

    દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી

    November 6, 2025

    જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી

    November 6, 2025

    ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું

    November 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025

    ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court

    November 6, 2025

    Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો

    November 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.