New York,તા.27
ચેમ્પીયન ટ્રોફીમાં વિરાટ કોહલીની શાનદાર સદીથી મળેલા પરાજયના ઘાવ હજુ પાક અનુભવી રહ્યું છે તો ડિપ્લોમેટીક મોરચે પણ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકની જબરી ધોલાઈ કરી છે અને આ મેચની જીનીવા ખાતેની સંયુક્ત રાષ્ટ્રસંઘ માનવ અધિકાર પરિષદમાં પાક પ્રતિનિધિએ કાશ્મીર સહિતના મુદે માનવ અધિકારને આગળ ધરીને ભારત પર જે આક્ષેપો કર્યા.
તેના આકરો જવાબ આપતા ભારતના પ્રતિનિધિએ પાકને તેના મનઘડત વિચારમાંથી બહાર આવવાની સલાહ આપી હતી અને કહ્યું કે લોકતાંત્રીક મુલ્યોનું ઉલ્લંઘન અને લઘુમતીઓ પર અત્યાચારો પાકની નીતિનો એક ભાગ રહ્યો છે તે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જે પ્રતિબંધીત જાહેર કરાયા છે.
તે આતંકી સંગઠન અને આતંકવાદીઓને આશરો આપે છે અને તે ભારતને ઉપદેશ દે નહી તે સારૂ ગણાશે અને પાકિસ્તાન આ રીતે આ સમીટનો સમય બર્બાદ કરે છે. આ માનવ અધિકાર પરિષદના 50માં સત્રની સાતમી બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ કહ્યું એ દુ:ખદ છે કે પાકિસ્તાની નેતાઓ અને પ્રતિનિધિઓ તેના સેન્યના આતંકવાદી સમૂહ પ્રત્યેની સહાનુભૂતિ દર્શાવીને જૂઠ ફેલાવે છે.
ત્યાગીએ પાકિસ્તાન જૂઠ ફેલાવનારો દેશ છે તે આંતરરાષ્ટ્રીય દાન પર નભે છે તેની બયાનબાજી એ પાખેડુ અમાનવીયતા અને અસક્ષમતાથી ભરેલી છે. ભારત એ લોકતાંત્રીક, પ્રગતિ અને તેના લોકો માટે સન્માન સુરક્ષિત કરવા પર કેન્દ્રીત છે.
પાકે તે મુલ્યોને શિખવા જોઈએ. પાકે એ સમજી લેવુ જોઈએ કે જમ્મુ-કાશ્મીર અને લદાખ એ કાયમ ભારતના જ હીસ્સો રહેશે. ત્યાગીએ પાકમાં માનવ અધિકારોના ભંગ, લઘુમતીઓ પર અત્યાચાર, લોકતાંત્રીક મુલ્યોનો હાંસ તે તેની વિદેશ નીતિનો ભાગ છે. અમો પાક પ્રયોજીત ત્રાસવાદી પીડિત ક્ષેત્રમાં સામાન્ય સ્થિતિ બનાવવા પ્રયત્નશીલ છીએ. પાકે આ બેઠકમાં ભારત સામે જે ઝેર ઓકયુ હતુ તેનો જવાબ દેવાનો ભારતને અધિકાર મળે છે તે મુજબ આ જવાબ આપ્યો છે.