Prayagraj,તા.27
પ્રયાગરાજ ખાતે 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભનું ગઈ કાલ 26 ફેબ્રુઆરીએ સમાપન થયું છે. જોકે, આજે પણ મેળામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. લોકો સંગમ સ્નાન માટે આવી રહ્યા છે. તેમજ મેળામાં દુકાનો પણ લાગેલી છે.
સીએમ યોગી, બંને ડેપ્યુટી સીએમ સાથે ગુરુવારે સવારે પ્રયાગરાજ પહોંચ્યા. મહાકુંભના સમાપન પર સીએમ યોગીએ પહેલા અરૈલ ઘાટ પર સફાઈ કરી હતી. ત્યાર બાદ ગંગામાં કચરો બહાર કાઢ્યો હતો. અને પછી ગંગાનું પૂજન કર્યું હતું.
સફાઈ કર્મચારીઓ સાથે જમીન પર બેસીને ભોજન લીધું
સીએમ યોગીએ સફાઈ કર્મચારીઓ સાથે જમીન પર બેસીને ભોજન લીધું હતું. બન્ને ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને કેશવ મોર્ય પણ હાજર રહ્યા હતા. સીએમે કહ્યું કે, કાલે મહાકુંભની પૂર્ણાહુતિ થઈ છે. શ્રદ્ધાનો આટલો મોટો મેળાવડો દુનિયામાં ક્યાંય થયો નથી. કોઈ ઘટના બની નથી.
સપા પર નિશાન સાંધતા યોગીએ કહ્યું હતું કે, ‘વિરોધી દુરબીન અને માઈક્રોસ્કોપ લગાવીને બેઠા હતા. છતાં પણ તેમને એવું કાંઈ જ ન મળ્યું. દુષ્પ્રચારનો કોઈ તક તેમણે નથી છોડી. યોગીએ મહાકુંભ સાથે જોડાયેલા સફાઈ કર્મચારીઓને 10 હજારનું બોનસ આપવાની જાહેરાત પણ કરી છે. કહ્યું સફાઈ કર્મચારીઓને દર મહિને 8થી 11 હજાર રુપિયા પગાર મળે છે. જે એપ્રિલ મહિનાથી વધારીને 16 હજાર કરવામાં આવશે.’