Amreli, તા.28
ખાંભા ગીરના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સાંજના સમયે ધરતીકંપનો લોકોને અનુભવ થયા બાદ આજે ફરી એક વખત ધરતીકંપ આવતાં ધરા ધ્રુજી ઊઠી હતી. જેને લઈ લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્ય પંથકના ઇંગોરાળા, નાના વિસાવદર,નાની ધારી ગામે આજે સાંજના 5.31 મીનીટે ધરતીકંપ અનુભવાયો હતો. આ ધરતીકંપની રની તીવ્રતાનો હોવાની ગાંધીનગર સિસમોલોજી વિભાગે પુષ્ટી આપી હતી.