Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America માં હિન્દુ મંદિર વિરુદ્ધ ‘હેટ ક્રાઈમ’, ત્રણ વખત હુમલો કરી 20થી 30 રાઉન્ડ ફાયરિંગ

    July 2, 2025

    Syria and Israel 77 વર્ષ જૂની દુશ્મનાવટનો અંત આવશે

    July 2, 2025

    વડાપ્રધાન Narendra Modi આજે પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા

    July 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America માં હિન્દુ મંદિર વિરુદ્ધ ‘હેટ ક્રાઈમ’, ત્રણ વખત હુમલો કરી 20થી 30 રાઉન્ડ ફાયરિંગ
    • Syria and Israel 77 વર્ષ જૂની દુશ્મનાવટનો અંત આવશે
    • વડાપ્રધાન Narendra Modi આજે પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા
    • Shefali એ અવસાનના દિવસે વિટામીન ‘સી’ની ડ્રિપ લીધી હતી
    • Dahegam માં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ
    • આજે South Gujarat નાં 3 જિલ્લામાં રેડ ઍલર્ટ,24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ
    • Vadodara કરજણ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુ
    • Vadodara નજીક રાયકા ગામે દીપડાએ દેખા દીધી, ગ્રામજનોમાં ગભરાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Rahul Gandhi એ ગુજરાત કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો, માંગ્યા હારના કારણો
    અમદાવાદ

    Rahul Gandhi એ ગુજરાત કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો, માંગ્યા હારના કારણો

    Vikram RavalBy Vikram RavalMarch 7, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સિનિયર નેતાઓ, કાર્યકરો સાથે રાહુલ ગાંધીની બેઠક,કોંગ્રેસને સક્રિય કરવા રણનીતિ

    આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ.

    Ahmedabad,તા.૭

    વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમનો આ પ્રવાસ બહુ જ મહત્વપૂર્ણ માનવામા આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીને હજી બે વર્ષ બાકી છે. પરંતુ રાહુલ ગાંધીએ અત્યારથી જ ગુજરાતનો મોરચો સંભાળી લીધો છે. જોકે, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓેને અનેક સવાલો કર્યા હતા.

    ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા કરવામા આવી હતી. સાથે જ હાલના સંગઠન માળખામાં બદલાવને લઈ પણ ચર્ચા કરાઈ. એપ્રિલથી યોજાનાર સંવિધાન યાત્રા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. ત્યારે આ બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

    પોલિટિકલ અફેર કમિટીના તમામ નેતાઓને રાહુલ ગાંધીએ સૌથી પહેલા સાંભળ્યા હતા. જેમાં રાહુલ ગાંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આક્રમકતા સાથે પ્રજા વચ્ચે જવાની વાતો કરી હતી. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને રજુઆત કરી કે સતત ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્કમાં રહે.

    રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ સવાલો કર્યા હતા. રાહુલ ગાંધીએ નેતાઓને પૂછ્યું કે, સવર્ણ વર્ગ કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યો છે. અનેક સમસ્યાઓ હોવા છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો એ સવાલ પણ તેમણે કર્યો. જ્યારે પણ ત્રીજો પક્ષ કે અન્ય સ્થિતિ બને ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે? ભાજપના મતમાં કેમ ભંગાણ નથી થતું? ૩૦ વર્ષથી એકહથ્થુ શાસન હોવા છતાં ભાજપના મત ઓછા કેમ નથી થતા અને કોંગ્રેસના મત કેમ નથી વધી રહ્યા? હીરા ઉદ્યોગ, કાપડ અને સિરામિક સહિતના ઉદ્યોગોમાં મંદી જોવા છતાં રોષ કેમ બહાર નથી આવતો?

    રાહુલ ગાંધી ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા અને શહેરના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોને રૂબરૂ મળી ઉત્સાહ તેમને ઉત્સાહ વધાર્યો હતો  રાહુલ ગાંધીના આગમન નિમિત્તે તેમના કાર્યકરો અને ધારાસભ્ય પણ તેમના ભવિષ્યના પ્લાન અને નિર્ણયો અંગે તેમના મંતવ્ય વ્યક્ત કર્યા હતાં. જીગ્નેશ મેવાણીએ આપતા જણાવ્યું કે, “તમે, લખીને રાખો અમે ૨૦૨૭ ગુજરાતમાં ભાજપને હરાવીશું, કોંગ્રેસ નવી બની કોંગ્રેસ સત્તા હાંસલ કરશે” તેમણે કહ્યું કે, ’રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશનની તૈયારી માટે આવ્યા છે. આગળના ગુજરાતના ઇલેક્શનમાં કોંગ્રેસની શું ભૂલ થઈ અને આગળ શું સુધારવું જોઈએ તે અંગેની વિસ્તૃત બેઠક યોજવામાં આવી રહી છે. પાર્લામેન્ટના મંચ પર રાહુલ ગાંધીએ ભાજપને ચેલેન્જ આપ્યું હતું કે ગુજરાતમાં અમે તેમણે હરાવીશું. આથી અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પણ કહીએ છીએ કે અમે ભાજપને હરાવીશું.’

    આ દરમિયાન કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય સંયોજક લાલજી દેસાઇએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેમણે લીધેલ પ્રાણ કે અમે ભાજપને હરાવીશું તે દિશામાં કોંગ્રેસના દરેક કાર્યકર હવે કામ કરશે. તેમની મુલાકાત દરમિયાન આવનાર સમયમાં ૨૦૨૭ માં ગુજરાતમાં કોંગ્રેસ હશે તેમજ ભાજપના શોષણમાંથી ગુજરાતને મુક્ત કરાવીશું. તે માટે અલગ અલગ મુદ્દે ખાસ રણનીતિ બનાવીશું. ઉપરાંત ભવિષ્યમાં પદયાત્રા કરી સામાન્ય જાણતા વચ્ચે પણ જઈશું.

    તેમણે વધુમાં જણાવ્યું કે, ’હાલ ભાજપમાં પણ જૂથવાદ જોવા મળી રહ્યો છે, આ જૂથો ગણવા અઘરા છે. ભાજપમાં તો જિલ્લા પ્રમુખોની યાદી પણ ફૂટી જાય છે. ભાજપમાં અમિત શાહ, આનંદીબેનના જૂથો કામ કરી રહ્યા છે તો હવે સીઆર પાટીલનો નવો જૂથ ઊભો થઈ રહ્યો છે.’

    આ પહેલા રાહુલ ગાંધીનો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. એરપોર્ટ થી રાહુલ ગાંધી સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનું પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે સેવાદળ દ્વારા સલામી અપાઇ હતી , કોંગ્રેસ કાર્યલાય પર રહેલા રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ બપોર પહેલા ત્રણ બેઠક કરી હતી રાજીવ ગાંધી ભવન ખાતે સવારે રાહુલ ગાંધી પૂર્વ પ્રદેશ પ્રમુખઓ અને પૂર્વ વિપક્ષ નેતાઓ,વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેઠક તેમજ વિવિધ ફ્રન્ટલ અને સેલ-ડિપાર્ટમેન્ટના ચેરમેનઓ સાથે સંવાદ કર્યો હતો.

    કોંગ્રેસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોલિટિકલ અફેર કમિટીના તમામ નેતાઓને રાહુલ ગાંધીએ સાંભળ્યા હતા. રાહુલ ગાંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આક્રમકતા સાથે પ્રજા વચ્ચે જવાની વાતો કરી હતી. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરશે. લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ના હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ હતી.

    રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓને સવાલ કર્યો હતો કે, સવર્ણ વર્ગ કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યો છે. અનેક સમસ્યાઓ હોવા છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો એ સવાલ ઉભો કર્યો હતો.  જ્યારે પણ ત્રીજો પક્ષ કે અન્ય સ્થિતિ બને ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે? ભાજપના મતમાં કેમ ભંગાણ નથી થતું? ત્રીસ વર્ષથી એકહથ્થુ સાશન હોવા છતાં ભાજપના મત ઓછા કેમ નથી થતા અને કોંગ્રેસના મત કેમ નથી વધી રહ્યા?  હીરા ઉદ્યોગ, કાપડ અને સિરામિક સહિતના ઉદ્યોગોમાં મંદી જોવા છતાં રોષ કેમ બહાર નથી આવતો? રાહુલ ગાંધી ૮, માર્ચના રોજ તેમની મુલાકાતના બીજા દિવસે એસ.જી હાઈ-વે પાસે આવેલા રાજપથ ક્લબ પાસેના ઢછ ક્લબ ખાતે રાજ્યભરથી આવેલા કોંગ્રેસી કાર્યકરોને સંબોંધી સ્થાનિક પરિસ્થિતિ અંગે સંવાદ કરશે. આ સંવાદમાં જિલ્લાથી લઈને તાલુકો અને શહેર કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાશે. આ સંવાદમાં હાલની રાજ્ય સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ કેવી રીતે લઈ જવી, આગામી લોક ચેતના અને લોક સંપર્ક માટેના કાર્યક્રમોની ચર્ચા સાથે રાજ્યના નાગરિકોની હયાત સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરશે.

    આ બાદ રાહુલ ગાંધી આ સંવાદના ભાગરૂપે જિલ્લા હોદ્દેદારોથી લઈ કાર્યકરો, ધારાસભ્યો, સાંસદ સાથે કોંગ્રેસને કેવી રીતે સશક્ત બનાવવી એ અંગે ખુલ્લા દિલે ચર્ચા કરશે. રાહુલ ગાંધી પાયાના કાર્યકરો સાથે વન ટુ વન ચર્ચા પણ કરશે. ૮ માર્ચના રોજ બપોરે ચર્ચા બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થશે. રાહુલ ગાંધીની અમદાવાદ ખાતેની આ બે દિવસીય મુલાકાત બાદ ૮ અને ૯ એપ્રિલના રોજ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન યોજાવાનું છે, આ અંગે પણ ચર્ચા થશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    America માં હિન્દુ મંદિર વિરુદ્ધ ‘હેટ ક્રાઈમ’, ત્રણ વખત હુમલો કરી 20થી 30 રાઉન્ડ ફાયરિંગ

    July 2, 2025
    આંતરરાષ્ટ્રીય

    Syria and Israel 77 વર્ષ જૂની દુશ્મનાવટનો અંત આવશે

    July 2, 2025
    રાષ્ટ્રીય

    વડાપ્રધાન Narendra Modi આજે પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા

    July 2, 2025
    અમદાવાદ

    Ahmedabad વિમાન અકસ્માતના પીડિતો એર ઇન્ડિયા-બોઇંગ સામે કોર્ટમાં જશે

    July 2, 2025
    રાષ્ટ્રીય

    ગ્રામીણ ભારતની માથાદીઠ આવકમાં વધારો : Lifestyle પણ બદલાઇ ગઇ

    July 2, 2025
    રાષ્ટ્રીય

    અચાનક થતા મૃત્યુ માટે કોવિડ વેકસીન નહીં પણ લાઇફ સ્ટાઇલ વધુ જવાબદાર : ICMR

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    America માં હિન્દુ મંદિર વિરુદ્ધ ‘હેટ ક્રાઈમ’, ત્રણ વખત હુમલો કરી 20થી 30 રાઉન્ડ ફાયરિંગ

    July 2, 2025

    Syria and Israel 77 વર્ષ જૂની દુશ્મનાવટનો અંત આવશે

    July 2, 2025

    વડાપ્રધાન Narendra Modi આજે પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા

    July 2, 2025

    Shefali એ અવસાનના દિવસે વિટામીન ‘સી’ની ડ્રિપ લીધી હતી

    July 2, 2025

    Dahegam માં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ

    July 2, 2025

    આજે South Gujarat નાં 3 જિલ્લામાં રેડ ઍલર્ટ,24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ

    July 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America માં હિન્દુ મંદિર વિરુદ્ધ ‘હેટ ક્રાઈમ’, ત્રણ વખત હુમલો કરી 20થી 30 રાઉન્ડ ફાયરિંગ

    July 2, 2025

    Syria and Israel 77 વર્ષ જૂની દુશ્મનાવટનો અંત આવશે

    July 2, 2025

    વડાપ્રધાન Narendra Modi આજે પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા

    July 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.