Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh:આંતરકોલેજ ખો-ખો સ્પર્ધામાં ઘોડાસરા કોલેજ રનર્સઅપ

    September 16, 2025

    Junagadh: ડો.સુભાષ મહિલા કોલેજની છાત્રાઓ દ્વારા PMને 700થી વધુ પોસ્ટકાર્ડ લખાયા

    September 16, 2025

    Junagadh: નોબલ યુનિ.ના છાત્રોનું કલામહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

    September 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh:આંતરકોલેજ ખો-ખો સ્પર્ધામાં ઘોડાસરા કોલેજ રનર્સઅપ
    • Junagadh: ડો.સુભાષ મહિલા કોલેજની છાત્રાઓ દ્વારા PMને 700થી વધુ પોસ્ટકાર્ડ લખાયા
    • Junagadh: નોબલ યુનિ.ના છાત્રોનું કલામહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
    • Surendranagar: સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા
    • Surendranagar:ગાયનેકના ગોરખધંધા-મહિલા તપાસ વિભાગમાંથી વપરાશ થયેલા કોન્ડોમ મળી આવ્યા
    • Surendranagar: લીંબડીમાં સસ્તા ભાવે કાર ખરીદીમાં છેતરપીંડી
    • Surendranagar: ધજાળા પોલીસે દેશી દારૂનો આથો ઝડપી લીધો
    • Surendranagar: અગરીયાઓને મીઠાનો ટેકાનો ભાવ નકકી કરવો જરૂરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratમાં માતા-પિતા-પુત્રનો સામુહિક આપઘાત
    સુરત

    Suratમાં માતા-પિતા-પુત્રનો સામુહિક આપઘાત

    Vikram RavalBy Vikram RavalMarch 10, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.10

    સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે (8 માર્ચ) પરિવારના ત્રણ સભ્યએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે.

    ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને મૃતકોનાં નામ (1) ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા (પિતા) (2) વનિતાબેન ભરતભાઈ સસાંગિયા (માતા) (3) હર્ષ ભરતભાઈ સસાંગિયા (પુત્ર) હીરામાં મંદી આવતાં પિતા-પુત્રની નોકરી છૂટી મળતી માહિતી પ્રમાણે અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં આવેલી એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં બીજા માળે સસાંગિયા પરિવાર રહેતો હતો.

    પરિવારમાં માતા-પિતા અને પુત્ર હતાં. 50 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પત્ની વનિતાબેન હાઉસવાઈફ હતાં. ત્રીસ વર્ષીય પુત્ર હર્ષ પણ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. જોકે દિવાળી બાદ હીરામાં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી.

    હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેનાં કામ બંધ થઈ ગયા હતા. ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા. જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી, જોકે છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપતાઓ પણ ચૂકવાયા ન હતા, જેથી આર્થિક સંકડામણ આખો પરિવાર અનુભવી રહ્યો હતો.

    ત્રણેય જણ દવા પીધેલી હાલતમાં મળ્યાં હતાં દરમિયાન આજે (8 માર્ચ, 2025) ઘરમાંથી ભરતભાઈ, વનિતાબેન અને તેમનો પુત્ર હર્ષ ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યાં હતાં. આસપાસના લોકો અને સંબંધીઓને જાણ થતાં ઘરે દોડી ગયા હતા. ત્યાર બાદ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    જોકે માતા-પિતા અને પુત્ર ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતાં સગાંસંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.પોલીસે સગાં-સંબંધીઓનાં નિવેદન નોંધ્યાં સામૂહિક આપઘાતની ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ દ્વારા પણ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

    ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે જ ઘરે જઈને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. સગાં-સંબંધીઓનાં નિવેદન પણ નોંધવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. ઘરેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું મળ્યું છે. વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

    ફ્લેટની લોનના હપતા ચડી ગયા હતા:  આ મામલે મૃતકના સાળા દિલીપભાઈએ જણાવ્યું હતું કે વનિતાબેન મારા મામાનાં દીકરી થાય છે અને ભરતભાઈ મારા બનેવી છે. મારા બનેવી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને હર્ષ પણ હીરામાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. દિવાળી બાદ હીરામાં મંદીના કારણે કામ બંધ થઈ ગયું હતું. દરમિયાન મારા બનેવીને દવાખાનું આવ્યું હતું. ત્યાર બાદ લોનના ચારથી પાંચ હપતા ભરાયા ન હતા. કોઈ હેરાન-પરેશાન કરતા હતા, એની તો જાણ નથી, પણ તેને જે ફલેટ લીધો હતો એ પણ તેણે વેચી નાખ્યો હતો.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમણે ફ્લેટ ખરીદ્યો હતો તેમને 50 હજાર કે લાખ રૂપિયા આપ્યા હતા. જોકે ફ્લેટ ખરીદનારને લોન પાસ થઈ ન હતી. દરમિયાન તેમના પૈસા તેઓ પરત માગી રહ્યા હતા. આ બધી માહિતીની મને કોઈ જાણ ન હતી. જોકે હમણા થોડા દિવસ પહેલાં ભાણિયાનો ફોન આવ્યો અને 2,000નું કહ્યું તો મેં તેને 2,000 પણ આપ્યા હતા.

    સુસાઈડ નોટમાં બે લોકોનાં નામનો ઉલ્લેખ: ઙઈં અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે. બી. વનારે જણાવ્યું હતું કે સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં બે લોકોનાં નામ છે. હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારે પોતાના મકાનનો સોદો કર્યો હતો. 22 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો, જેમાં એક લાખ રૂપિયા એડવાન્સ લેવામાં આવ્યા હતા.

    પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ખરીદદારોને ખબર પડી કે મકાન પહેલાંથી જ લોન પર છે, તેથી તેમણે મકાન લેવાની ના પાડી અને એડવાન્સના એક લાખ રૂપિયા પાછા માગ્યા હતા. કાલે પણ સવારે 9:00 વાગ્યે ફોન આવ્યો હતો. મૃતક હર્ષ લોન એજન્ટ તરીકે નોકરી કરતો હતો, જ્યારે તેના પિતા ભરતભાઈ રિટાયર થયેલા હતા. હાલ સુસાઇડ નોટના આધારે તપાસ ચાલુ છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Bardoli માં પ્રેમિકાની છરીના ઘા મારી પ્રેમીએ કરી હત્યા, આરોપીની ધરપકડ

    September 15, 2025
    સુરત

    અમદાવાદમાં ૧.૧૯ કરોડની જ્વેલરી ચોરીનો ભેદ ઉકેલાયો, Surat થી આરોપી ઝડપાયો

    September 15, 2025
    સુરત

    Surat માંથી નકલી વિઝા ફેકટરીનો પર્દાફાશ

    September 2, 2025
    સુરત

    Surat: ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ખોટી સાબિત થઈ

    August 30, 2025
    સુરત

    Bardoli માં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર

    August 30, 2025
    સુરત

    તાપી પંથકમાં મેઘરાજાની સટાસટી : 10 ઇંચ વરસાદ

    August 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh:આંતરકોલેજ ખો-ખો સ્પર્ધામાં ઘોડાસરા કોલેજ રનર્સઅપ

    September 16, 2025

    Junagadh: ડો.સુભાષ મહિલા કોલેજની છાત્રાઓ દ્વારા PMને 700થી વધુ પોસ્ટકાર્ડ લખાયા

    September 16, 2025

    Junagadh: નોબલ યુનિ.ના છાત્રોનું કલામહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

    September 16, 2025

    Surendranagar: સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા

    September 16, 2025

    Surendranagar:ગાયનેકના ગોરખધંધા-મહિલા તપાસ વિભાગમાંથી વપરાશ થયેલા કોન્ડોમ મળી આવ્યા

    September 16, 2025

    Surendranagar: લીંબડીમાં સસ્તા ભાવે કાર ખરીદીમાં છેતરપીંડી

    September 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh:આંતરકોલેજ ખો-ખો સ્પર્ધામાં ઘોડાસરા કોલેજ રનર્સઅપ

    September 16, 2025

    Junagadh: ડો.સુભાષ મહિલા કોલેજની છાત્રાઓ દ્વારા PMને 700થી વધુ પોસ્ટકાર્ડ લખાયા

    September 16, 2025

    Junagadh: નોબલ યુનિ.ના છાત્રોનું કલામહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

    September 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.