Jamnagar,તા.21
જામનગર તાલુકાના ધોરીવાવ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ પુનાભાઈ ખરા નામના 32 વર્ષના દલિત યુવાને પોતાના ઉપર લોખંડના સળિયા તેમજ લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના પિતા અને બે ભાઈઓ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મકાનના ભાગના પ્રશ્ને પોતાના ભાઈઓ અને પિતા સાથે ઝઘડો ચાલે છે, જેના મન દુઃખમાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
પોલીસે અશોકભાઈ ખરાની ફરિયાદના આધારે તેના પિતા પુનાભાઈ કારાભાઈ ખરા, તેમજ બે ભાઈઓ ભાવેશ પુનાભાઈ અને લખન પુનાભાઈ ઉપરાંત નારૂભાઈ વગેરે સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.