Jamnagar તા ૨૬
જામનગરમાં સાધના કોલોની રોડ પર વસંત વાટિકામાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ વિંગ નંબર -૧ માં ફ્લેટ નંબર ૧૦૩ માં રહેતા એક વેપારી ઊંચા કમિશનના બહાને છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને તેઓએ ત્રણ શખ્સો ને રૂપિયા ૨૬.૬૩,૬૩૪ નું પિતળ આપ્યા પછી નાણા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં વસંત વાટિકામાં રહેતા નિલેશભાઈ કનૈયાલાલ અછડા નામના ૪૧ વર્ષના સિંધી વેપારીએ જામનગરના સત્યપાલ સિંહ જાડેજા, વનરાજસિંહ વાળા, તેમજ મયુરસિંહ નામના ત્રણ શખ્સોને રૂપિયા ૨૬,૬૩,૬૩૪ નો પીતલ નો માલ સામાન આપ્યો હતો, અને ત્રણેય શખ્સો એ કમિશનરની લાલચ આપી પીતળ નો જથ્થો મેળવી લીધા પછી નાણા ચૂકવવા માં ઠાગાઠૈયા કર્યા હતા.
ત્યાર પછી ફરિયાદી યુવાને ત્રણેય આરોપીઓને વારંવાર મેસેજ કરીને રૂપિયા આપવાની માંગણી કરી હતી, પરંતુ ત્રણેય આરોપીઓ પૈસા આપવામાં બહાના બતાવી રહ્યા હતા. ત્યારબાદ ફોન ઉપાડવાનું તેમજ મેસેજ નો જવાબ આપવાનું પણ બંધ કર્યું હતું.
જેથી આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ.આર. ડી. ગોહીલે બીએનએસ કલમ ૩૧૬(૨)૩૧૮(૪) અને ૬૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.