Veraval,
પ્રભાસપાટણ,: યાત્રાધામ સોમનાથમાં રેલવે સ્ટેશનની બાજુમાં આધુનિક એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે સરકારી જમીન ખુલ્લી કરાવવા માટે ડિમંલીશન હાથ ધરાયું હતું. સરકારી જમીન પરથી દબાણો હટાવવા કામગીરી હાથ ધરાતા એક તબક્કે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતાં. પરંતુ પોલીસ દ્વારા ટોળા વિખેરી નાખવામાં આવ્યા હતાં. દબાણો હટાવી 4,000 ચોરસ મીટર સરકારી જમીન ખુલલી કરાઈ હતી. હાલ તેની બજાર કિંમત 3.80 કરોડ જેટલી થાય છે.
સોમનાથ ખાતે હાઈ-વે પર રેલવે સ્ટેશનની બાજુમાં આજે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડિમોલીશન કામગીરી હાથ ધરાઈ હતી. રેલવે સ્ટેશનની બાજુમાં નવું એસટી બસ સ્ટેશન બનાવવા માટે સરકારી જમીન પરથી દબાણો હટાવવા તંત્ર ત્રાટક્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમંલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી સરકારી જમીન પરથી દબાણો હટાવવા માટે 7 જેસીબી , 15 ટ્રેકટરો સહિતના સાધનો સાથે મામલતદાર તથા તેમની ટીમ સાથે કામગીરી આજે સવારે હાથ ધરાઈ હતી. કામગીરી શરૂ થતા લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા હતાં. પરંતુ પોલીસ દ્રારા ટોળાને વિખેરી નખાયા હતાં અને ડિમોલીશન જારી રખાયું હતું. દબાણો હટાવી 4,000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી. આ જમીનની હાલની કિંમત 3.80 કરોડ જેટલી થાય છે. ખુલ્લી થયેલી આ સરકારી જમીન આધુનીક ST બસ સ્ટેન્ડ બનાવવા માટે ફાળવાશે. આધનિક એસટી બસ સ્ટેન્ડ બનવાથી સોમનાથ આવતા યાત્રાળુઓની સુવિધામાં વધારો થશે.