Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
    • ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
    • પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
    • Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
    • Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
    • Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
    • ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
    • બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Ram Navami એ અયોધ્યામાં ઉજવાશે ‘દિવાળી’, ઘેર-ઘેર પ્રગટશે દીપ
    અન્ય રાજ્યો

    Ram Navami એ અયોધ્યામાં ઉજવાશે ‘દિવાળી’, ઘેર-ઘેર પ્રગટશે દીપ

    Vikram RavalBy Vikram RavalApril 1, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya,તા.01

    અયોધ્યામાં ચૈત્ર રામનવમી પર રામ જન્મોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રયાસ છે કે રામલલાના સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય. જયાં, આ વખતે પણ રામ જન્મભૂમિમાં વિરાજમાન રામલલાના લલાટ પર સૂર્ય તિલકની અનોખી પરંપરા નિભાવવામાં આવશે, ત્યાં ઘર-ઘર દીપ પ્રગટશે અને દિવાળી ઉજવવામાં આવશે.

    નગરવાસીઓ પોતાના ઘરની સામે સ્વાગતમાં રંગોળી બનાવશે. ચૈત્ર રામનવમી પર 9 અપ્રિલે અહીં 30 લાખ શ્રદ્ધાળુઓ આવવાનુ અનુમાન છે, જેને જોઈને ક્રાઉડ મેનેજમેન્ટ પર પણ સતત કામ થઈ રહ્યું છે.

    4 મિનિટ સુધી સૂર્ય તિલક: પ્રભુના પ્રાગટય ઉત્સવ સમયે રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યાથી 4 મીનીટ સુધી ગર્ભગૃહમાં વિરાજમાન રામલલાના લલાટ પર હાઈટેક વ્યવસ્થાથી સૂર્યતિલક કરવામાં આવશે.

    ટેકનીકલ ટીમે આ વર્ષથી તેની કાયમી વ્યવસ્થા કરી છે, જે 20 વર્ષ સુધી દર વર્ષે રામનવમીમાં સંચાલીત થશે. લાઈવ પ્રસારણ થશે: શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું કહેવું છે કે રામનવમીએ પ્રભુ રામ જન્મોત્સવ અને સૂર્યતિલકના દર્શન કરવા અહીં પહોંચેલા બધા શ્રદ્ધાળુઓની ઈચ્છા રહેશે પરંતુ મંદિરની સીમીત ક્ષમતા મુજબ પાત્ર કેટલાક લોકો જ સાક્ષાત ગર્ભગૃહમાં તેને જોઈ શકશે.

    બાકી શ્રદ્ધાળુઓ ટ્રસ્ટે ખાસ યોજના બનાવી છે. અયોધ્યાના વિભિન્ન સ્થાનો પર મોટી મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે જેના પર લાઈવ પ્રસારણ થશે. સાથે સાથે દુરદર્શન પર પણ આ ભવ્ય આયોજનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

    મંદિર-મંદિર દ્વારે-દ્વારે ઉત્સવ: રામમંદિરને આકર્ષક લાઈટીંગ અને ફુલોની સજાવટથી સજાવવામાં આવી રહ્યું છે. મુખ્ય આયોજન રામ જન્મભૂમિ મંદિર અને કનક ભવનમાં થશે. આ સાથે જ અયોધ્યાના લગભગ 5 હજાર મંદિરોમાં પણ રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવશે.

    અયોધ્યાના નાગરિક આ પાવન પર્વને ખાસ બનાવવા માટે પોતાના ઘરોની સામે રંગોળી બનાવશે અને દીપ પ્રગટાવીને પ્રભુ શ્રીરામના જન્મોત્સવને ધામધૂમથી ઉજવશે. રામમંદિરમાં સ્થાપિત ગોસ્વામી તુલસીદાસની પ્રતિમાનું અનાવરણ પણ આ દિવસે કરવામાં આવશે.

    ભવ્ય મંદિરમાં આ બીજી રામનવમી: રામનવમી મેળાની શરૂઆત થતા જ અયોધ્યામાં વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે. મંદિરમાં પ્રવચન, રામકથા, ગાયન અને ભજન સંધ્યાના આયોજનો થઈ રહ્યા છે. અયોધ્યાના મુખ્ય સંત રાજકુમારદાસ કહે છે. આ વર્ષે રામનવમીનું પર્વ અયોધ્યા માટે ખાસ છે.

    ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ આ બીજી રામનવમી હશે અને આ વખતે તૈયારીઓ પહેલાથી વધુ ભવ્ય છે. કરોડો શ્રદ્ધાળુ આ પાવન પર્વના સાક્ષી બનવા માટે અયોધ્યા તરફ વધી રહ્યા છે. અયોધ્યાના સંત ડો. રામવિલાસ વેદાંતી બતાવે છે કે રામ જન્મભૂમિ મંદિરમાં રામાનંદી પરંપરા અનુસાર પુજા થાય છે.

    અયોધ્યામાં સ્ટે હોમના બિઝનેસ ઝડપથી ફૂલીફાલી રહ્યો છે. સ્ટે હોમ સંચાલક રઘુનાથ કહે છે- રામ મંદિર બન્યા બાદ અયોધ્યામાં પર્યટન અને શ્રધ્ધાળુઓની સંખ્યામાં અગણિત વધારો થયો છે, જેથી અમને સારી આવક થઈ રહી છે. રામ નવમીને લઈને રામ પથ અને ધર્મ પથના કિનારે ધાર્મિક વસ્તુઓની દુકાનોમાં ચહલ પહલ છે.

    લાડુ વિક્રેતા અંશુ ગુપ્તા કહે છે- આ મેળાથી વર્ષ ભરની સૌથી વધુ કમાણી થાય છે. ધાર્મિક પુસ્તકોના વિક્રેતા સુશીલ મૌર્યનું કહેવું છે કે શ્રધ્ધાળુઓ ધાર્મિક પુસ્તકોમાં ખાસ રુચિ દેખાડે છે. રામ પથના ચંદ્રા હોટેલના સંચાલક અચલ ગુપ્તા કહે છે કે તેમનો વ્યવસાય અનેકગણો વધી ગયો છે.

    અયોધ્યાનો પ્રસિધ્ધ ચૈત્ર રામનવમી મેળો 30 માર્ચથી જ શરૂ થઈ ગયો છે, જે 6 એપ્રિલ રામ જન્મોત્સવ સુધી નિરંતર ચાલશે. અનિલ મિશ્ર કહે છે કે રામનવમીના અવસર પર 30 લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવવાની સંભાવના છે. પ્રશાસને મહાકુંભની તર્જ પર જ ભીડ નિયંત્રણની યોજનાઓ બનાવી છે.

    મંદિરના દર્શન માર્ગ પર શ્રધ્ધાળુઓની સુવિધા માટે કેનોપી બનાવવામાં આવી રહી છે જેથી તેમને બળબળતી ગરમીમાંથી રાહત મળી શકે. દર્શન માર્ગ પર મેટ બિછાવવામાં આવી રહી છે. જેથી ઉઘાડા પગ ચાલી રહેલા શ્રધ્ધાળુઓને પરેશાની ન થાય. મુખ્ય સ્થળો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

     

    Ayodhya celebrated Ram Navami
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025
    રાષ્ટ્રીય

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry

    September 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    કિર્ક હત્યા કેસમાં Kash Patel ને સંસદમાં હાજર થવા ફરમાન,એફબીઆઇ ચીફનું પદ ગુમાવશે?

    September 15, 2025
    અન્ય રાજ્યો

    Rahul Gandhi એ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પીડિતોને મળ્યા

    September 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Nepal ના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી સુમનાએ આરએસપી છોડી દીધી, સુશીલા કાર્કીના મંત્રીમંડળમાં જોડાઈ શકે છે

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025

    Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી

    September 15, 2025

    Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી

    September 15, 2025

    Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.