Israel,તા.05
ખાન યુનિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૪ લોકોના મૃતદૃેહ નાસિર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, આમાંથી નવ એક જ પરિવારના છેબે મહિનાના યુદ્ધવિરામ પછી ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં તેના હુમલા વધારી દૃીધા છે. ઇઝરાયેલે આખી રાત ગાઝા પટ્ટી પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૦૦ પેલેસ્ટેનિયન નાગરિકો માર્યા ગયા હતા. ખાન યુનિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૪ લોકોના મૃતદૃેહ નાસિર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આમાંથી નવ એક જ પરિવારના છે. મૃતકોમાં પાંચ બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર ખાન યુનિસ નજીક યુરોપિયન હોસ્પિટલમાં ૧થી ૭ વર્ષના પાંચ બાળકો અને એક ગર્ભવતી મહિલા સહિત અન્ય ૧૯ લોકોના મૃતદૃેહ લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૨૧ મૃતદૃેહોને ગાઝા શહેરની અહલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં સાત બાળકો સામેલ છે. ઇઝરાયેલી હુમલાના એક દિૃવસ પહેલા વરિષ્ઠ સરકારી અધિકારીઓએ કહૃાું હતું કે ઇઝરાયેલ ગાઝાના મોટા વિસ્તારો પર કબજો કરશે. આ પછી પેલેસ્ટાઈન પ્રદૃેશમાં એક નવો સુરક્ષા કોરિડોર સ્થાપિત કરવામાં આવશે. જ્યાં સુધી આતંકવાદૃી જૂથ હમાસ પોતાના શસ્ત્રો ન મૂકે અને બાકીના બંધકોને મુક્ત ન કરે ત્યાં સુધી તે ૧૮ મહિનાથી ચાલતું યુદ્ધ આગળ પણ ચાલુ રહેશે. આ ઉપરાંત ઇઝરાયેલે એક મહિના માટે ખોરાક, બળતણ અને માનવતાવાદૃી સહાયની તમામ આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે પુરવઠો ઓછો થઈ જતાં નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે.આ દૃરમિયાન, ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે જાહેરાત કરી હતી કે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં એક નવો સુરક્ષા કોરિડોર સ્થાપિત કરી રહૃાું છે, જે રાફા શહેરને પેલેસ્ટેનિયન પ્રદૃેશથી કાપી નાખશે. નેતન્યાહૂએ આ સુરક્ષા કોરિડોરનું નામ ‘મોરાગ કોરિડોર રાખ્યું છે, જે રફાહ અને ખાન યુનિસ વચ્ચે હશે.