Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Ram Lalla નાં દર્શન કરવા હનુમાનગઢી મંદિરના મુખ્ય પૂજારી મહંત પ્રેમદાસજીએ 200 વર્ષ જુની પરંપરા તોડી
    અન્ય રાજ્યો

    Ram Lalla નાં દર્શન કરવા હનુમાનગઢી મંદિરના મુખ્ય પૂજારી મહંત પ્રેમદાસજીએ 200 વર્ષ જુની પરંપરા તોડી

    Vikram RavalBy Vikram RavalMay 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya,તા.01

    અયોધ્યાના હનુમાનગઢી મંદિરના મુખ્ય પૂજારી મહંત પ્રેમદાસજીએ ગઈ કાલે સદીઓ જૂની પરંપરા તોડીને પહેલી વાર હનુમાનગઢી મંદિરનો પરિસર છોડ્યો હતો અને નવા બનેલા રામમંદિરમાં રામલલ્લાનાં દર્શન કર્યાં હતાં. પરંપરા અનુસાર હનુમાનજીના પ્રતિનિધિ તરીકે હનુમાનગઢીના મુખ્ય પૂજારી મંદિર પરિસરની બહાર નીકળી નથી શકતા.

    તેઓ 56 વીઘામાં ફેલાયેલા હનુમાનગઢી મંદિરમાં જ રહે છે. એ નિયમ એટલો કડક છે કે તેઓ કોઈ જ દુન્યવી કારણસર ગઢીની બહાર પગ મૂકી નથી શકતા, સિવાય કે તેમની તબિયત ખરાબ હોય અને તેમને હોસ્પિટલમાં લઈ જવા પડે.

    જોકે ગઈ કાલે 70 વર્ષના મહંત પ્રેમદાસજી ભગવાન શ્રીરામનાં દર્શન માટે મંદિરની બહાર નીકળ્યા હતા. હજારોની સંખ્યામાં સાધુ-સંતો, હાથી-ઘોડા, ઊંટ અને બેન્ડવાજાં સાથે વાજતેગાજતે તેમણે હનુમાનગઢીથી માત્ર એક જ કિલોમીટર દૂર આવેલા રામ મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા માટે પ્રયાણ કર્યું હતું.

    જયારે 200 વર્ષ પહેલાં હનુમાનગઢીનું સંવિધાન બન્યું અને નિર્વાણી અખાડાના મહંત તેમની ગાદી પર બિરાજ્યા ત્યારથી આ નિયમ છે તો પછી સવાલ એ થાય કે  એવું તે શું થયું કે સદીઓની પરંપરા તોડીને મહંત પ્રેમદાસ ગઢીની બહાર નીકળ્યા?

    તો એની પાછળ વાત કંઈક એવી છે કે. મહંત પ્રેમદાસજીને છેલ્લા સાત મહિનાથી સપનામાં હનુમાનજી આવીને રામલલ્લાનાં દર્શન કરવા જવાનું કહેતા હતા. સતત આવી રહેલા આ સપનાને ધ્યાનમાં રાખીને નિર્વાણી અખાડાની પંચાયત બોલાવવામાં આવી હતી.

    21 એપ્રિલે 400 સભ્યોની એ બેઠકમાં મહંતને રામલલ્લાનાં દર્શન કરવા ગઢીની બહાર નીકળવાનું સર્વાનુમતિએ નક્કી થયું હતું. આ વિધિમાં નાગા સાધુઓના નિશાન સમા ઘોડા અને હાથીઓનો સમાવેશ કરવાનું નક્કી થયું હતું.

    હનુમાન ગઢીથી નીકળીને સાધુઓએ સરયુ નદીમાં પવિત્ર સ્નાન કરીને રામલલ્લાનાં દર્શન કર્યા અને તેમને છપ્પનભોગ ધર્યો હતો. આ શોભાયાત્રાનું 40 સ્થળોએ પુષ્પવર્ષાથી સ્વાગત થયું હતું.

    રામલલ્લાને 4 થાળમાં કુલ 56 વ્યંજનોનો ભોગ ધરવામાં આવ્યો હતો. હલવા-પૂરી અને પકૌડી હનુમાન ગઢીના ભંડારગૃહના શુદ્ધ દેશી ઘીથી બનાવવામાં આવ્યાં હતાં અને બાકીની મીઠાઈઓ બહાર બ્રાહ્મણો પાસે બનાવડાવવામાં આવી હતી.

    રામલલ્લા સામે સનાતન ધર્મના કલ્યાણ માટે તેમણે રામરક્ષા સ્ત્રોતનો પાઠ કર્યો હતો.ગઈ કાલે સૌપ્રથમ વાર મહંત પ્રેમદાજીએ રામ મંદિરની પરિક્રમા કરી હતી અને હવે એ પરિક્રમા અન્ય ભક્તો પણ કરી શકશે.

    Ayodhya Ayodhya-Ram-Mandir Hanumangarhi Temple Mahant Premdasji
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    રાષ્ટ્રીય

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    અન્ય રાજ્યો

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025
    આંતરરાષ્ટ્રીય

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.