મહુવા તાલુકાના તરેડી વાલાવાવ રોડ પર સરકારના જમીન વિકાસ નિગમ દ્વારા પી.ડી.લાઇટ એનજીઓના સહયોગથી વર્ષ-૨૦૦૫માં મોટું તળાવ બનાવ્યું હતું.તળાવ બનવાથી તરેડી,વાલાવાવ,માળવાવ,સથરા વિગેરે ગામોના પાણીના તળ ઉંચા આવવાથી ખેતીપાકોમા વધારો થવાની સાથોસાથ અને અનેક જીવોને પીવાનું પાણી મળતું થયું હતું. પરંતુ, તા.૭ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ વરસાદના કારણે આ તળાવનો પાળો તૂટી ગયો હતો. તે અંગે ગ્રામજનોએ સંબંધિત વિભાગનેે લેખિત જાણ કરી હતી. જોકે જીલ્લા પંચાયતના સિંચાઇ શાખાના ઇજનેરે એક ફદીયાની ગ્રાટ નથી તેવું રટણ રટયું હતું અને ગ્રામ પંચાયતને મનરેગા યોજના હેઠળ કામ કરવા ભલામણ કરતા થોડું કામ થયું પણ ગત ચોમાસામાં એટલે કે તા.૧૭ જુન,૨૦૨૪ના રોજ વરસાદના પાણીથી બીજી વખત પાળો તુટવાથી મીઠું પાણી દરીયામા જતું રહ્યું હતું.જે અંગે ફરી સિંચાઈ વિભાગને જાણ કરાયા બાદ એક મહિના પછી સિંચાઇ વિભાગના મુખ્ય અધિકારીએતેની ટીમ સાથે સર્વે કરી પંચરોજકામ કર્યું હતું. જો કે, આ સર્વે અને રોજકામના આઠ મહિના વિતી ગયા છે છતાં હજું તેનું રિપેરિંગ શરૂ થયું નથી,તેવામાં તળાવ રિપેરિંગનું કામ સાત દિવસમાં શરૂ કરવાની માંગ સાથે ખેડૂત કલ્યાણ સમિતિના ચેરમેને મહુવાના સિંચાઈ વિભાગને આવેદન પાઠવી માંગ કરી હતી. અને સાત દિવસમાં કામગીરી શરૂ નહી થાય તો જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ અને કારોબારીના ચેરમેનની કચેરીને તાળાં મારવાની સંગઠનના પ્રદેશ પ્રમુખે ચીમકી ઉચ્ચારી હતી.
Trending
- Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
- Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
- Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
- Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
- PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
- Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
- Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
- Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા

