Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ
    • Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા
    • Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત
    • 198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં
    • Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા
    • Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી
    • Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»New Allergenic ઉપદ્રવ ‘એર-ફ્રેશનર’
    હેલ્થ

    New Allergenic ઉપદ્રવ ‘એર-ફ્રેશનર’

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઓરડાની બંધિયાર ગંધ દૂર કરવા જતાં થાય છે શરદી-શ્વસનને લગતી વ્યાધિનો હુમલો

    Mumbai,તા.14

    જો તમને સામાન્ય રીતે થતી હોય તેના કરતાં વધારે શરદી થતી જણાય, તમે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવો, તો શક્ય છે કે તમે જેટલી વખત તમારા ઘરની બાલ્કનીમાં જાઓ છો, એટલી વાર તમે હવામાં રહેલા પરાગકણની એલર્જીનો ભોગ બનો છો.

    તમારું ઘર આખો દિવસ બંધ પડયું હોય તો સાંજે ઘરે પાછા ફર્યા પછી બંધિયાર રૂમની વાસ દૂર કરવા તમે એર-ફ્રેશનર છાંટવાની ટેવ ધરાવતા હો તો હવેથી બે વખત વિચાર કરીને તેનો વપરાશ કરજો. એર-ફ્રેશનરની એલર્જીથી તમને શરદી થઈ શકે છે.

    નિમિષા કુલકર્ણી કહે છે કે છેલ્લા થોડાં મહિનાથી મારા પતિ નિખિલ વારંવાર શિરોવેદનાની ફરિયાદ કરતાં હતાં. તેમની માઈગ્રેનની સમસ્યા પણ વકરી હતી. તબીબો પાસે સંખ્યાબંધ ચક્કર ખાધા પછી પણ તેમની સમસ્યા દૂર થવાનું નામ નહોતી લેતી.

    નિખિલ કુલકર્ણી કહે છે કે આ સમય દરમિયાન મેં એક સામયિકમાં એર-ફ્રેશનરથી થતી એલર્જી વિશે વાંચ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે અમે જ્યારથી પોમેરિયન પાળ્યું ત્યારથી એર-ફ્રેશનરનો વપરાશ શરૂ કર્યો હતો. અને તે સમયથી જ મને માથાન દુખાવા અને માઇગ્રેનની તકલીફ વધી ગઈ હતી.

    તાજેતરમાં થયેલા સંશોધનમાં જણાઈ આવ્યું હતું કે એર-ફ્રેશનરથી એલર્જીની સમસ્યા સર્જાય છે. મોટા ભાગના એર-ફ્રેશનરમાંથી નીકળતા વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ (વીઓસી), એટલે કે હવામાં ભળી જાય એવા રાસાયણિક ઘટકોને લીધે અસ્થમા, શ્વસનને લગતી સમસ્યાઓ અને એલર્જી થાય છે. જ્યારથી બજારમાં એર-ફ્રેશનર મળવા લાગ્યાં છે ત્યારથી લોકોમાં એલર્જીનું પ્રમાણ વધતું ચાલ્યું છે. કરિશ્મા દાતે કહે છે કે જ્યારે જ્યારે હું રૂમમાં એર-ફ્રેશનર છાંટુ છું ત્યારે ત્યારે મને શરદી થઈ જાય છે અને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે છે. અમારા ફેમિલી ફિઝિશિયને અમને એર-ફ્રેશનર વાપરવાની ચોખ્ખી ના પાડી છે.

    કરિશ્મા દાતેની જેમ જ બબિતા કહે છે કે એર-ફ્રેશનરથી મારાં અસ્થમાની તકલીફથી પીડાતા વૃધ્ધ સાસુને તરત જ અસ્થમાનો એટેક આવે છે. આ સિવાય પણ એર-ફ્રેશનરથી થતી હાનિની સંખ્યા ઓછી નથી.

    ભાવિની મલ્હોત્રા કહે છે કે થોડાં દિવસ પહેલા મારા પુત્રની ત્વચા પર ફોલ્લીઓ ઉપસી આવી. જોતજોતામાં તેનું આખું શરીર પાણી ભરેલા ગુંમડાથી ભરાઈ ગયું. પછીથી અમને ખ્યાલ આવ્યો કે અમે જ્યારથી નવું લાવેલું એર-ફ્રેશનર વાપરવાનું શરૂ કર્યું ત્યારથી આ સમસ્યા સર્જાઈ છે. પણ આ અનુભવ પછી હું ઘરમાં વપરાતા કોઈપણ રસાયણયુક્ત ઉત્પાદન પ્રત્યે એકદમ સાવધ થઈ ગઈ છું.

    નિષ્ણાતો કહે છે કે જેમના ઘરમાં પાળતૂ પ્રાણી હોય તેણે પણ એર-ફ્રેશનરના વપરાશથી દૂર રહેવંુ જોઈએ. તેનાથી પાળતૂ પ્રાણીને પણ હાનિ પહોંચે છે. કુમાર મહેતાએ આ ઉત્પાદનનો વપરાશ શરૂ કર્યો પછી તેમના પાળતૂ સ્પાર્કલને સુધ્ધાં નાકમાંથી પાણી વહેવા લાગ્યું હતું.

    વિડંબણા એ છે કે આપણા ઘરને જંતુરહિત રાખવા માટે આપણે જે ઉત્પાદનો વાપરીએ છીએ તે વાસ્તવમાં આપણને માંદા પાડે છે. તેમાંય એર- ફ્રેશનર તો આપણી અવદશા કરી નાખે છે. આમ છતાં બંધિયાર હવાની વાસ દૂર કરવા એર-ફ્રેશનર વાપરવું જ હોય તો રસાયણયુક્ત ઉત્પાદનને બદલે ફૂલોથી બનેલાં એર-ફ્રેશનર વાપરવા સલાહભર્યાં છે.

    air-freshener
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025
    લેખ

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025
    રાષ્ટ્રીય

    દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે

    June 7, 2025
    હેલ્થ

    ફુદીના અને આદુથી બનેલું આ પીણું ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    ચીન બાદ હવે America માં કોરોનાના નવા વેરિયેન્ટનો પગપેસારો

    May 30, 2025
    ગુજરાત

    Gujarat માં કોરોના સંક્રમિતોનો આંકડો વધી 190 થયો, અમદાવાદમાં સૌથી વધુ 131 કેસ

    May 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025

    198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં

    June 16, 2025

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.