Jamnagar તા. 6
જામનગર મહાનગરપાલિક ની ફૂડ શાખા દ્વારા શહેર ની ૧૨ હોટલો માંથી પનીર ના નમુના જ્યારે જી. જી. હોસ્પિટલ ના રસોડા માંથી ખાદ્ય ચીજોના ૧૦ નમુના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જામનગર ની ૧૨ હોટલ માંથી પનીર ના નમૂના લેવાયા છે તેમાં પેલેજ વેજ ટ્રેટ (મલ્ટી ક્યુસીમ રેસ્ટોરન્ટ) ,પ્રસાદમ રેસ્ટોરન્ટ , ન્યુ શ્રી રામ ડેરી રેસ્ટોરન્ટ ,હોટલ કલ્પના ,રાજભોગ રેસ્ટોરન્ટ , હોટલ આસોપાલાવ ઇન , રેડ ચીલી પાર્સલ પોઈન્ટ ,મદ્રાસ હોટેલ , સેલીબ્રશન
હોટેલ શ્રીજી , જેઠાલાલ રેસ્ટોરન્ટ. અને.આતિથ્ય રેસ્ટોરન્ટ નો સમાવેશ થાય છે.આ ઉપરાંત સરકારી જીજી હોસ્પિટલના રસોડામાંથી ખાદ્ય ચીજોના ૧૦ નમૂના લેવાયા હતા.જેમાં દેશી ચણા શાક(લુઝ) , કોબીઝ બટેકા શાક., મગ રસવારુ શાકત(લુઝ) રોટલી(લુઝ) , સિંગતેલ (તિલક બ્રાંડ કં.પેક)
દૂધ (કાવેરી બ્રાંડ) , તુવેર દાર , પ્યોર ઘી(અમુલ બ્રાંડ કં.પેક) અને શુધ્ધ દેશી ગોળ (રાજમણી બ્રાન્ડ.કં.પેક) નો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.