Mithapur, તા.20
દેવભૂમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા ગામે આર્થીક પરિસ્થિતી તંગ હોય જેનાથી કંટાળીને મહીલાએ આપઘાત કરી લીધો છે. ખંભાળીયા હરસિઘ્ધી નગરમાં રહેતા રાણીબેન રામભાઈ રૂડાચના પતિનુ ત્રણ વર્ષ પૂર્વે મરણ થયુ હતુ. જેથી ઘરની તમામ જવાબદારી તેણી પર આવતા આ પરિસ્થિતિને પહોંચી વળવા તેણીએ ખોડીયાર રેસ્ટોરન્ટ ચાલુ કર્યુ હતુ જે પણ બરાબર નહિ ચાલતા આર્થીક તંગ સ્થિતિથી કંટાળી તેણીએ ગળાટુંપો ખાઈને આપઘાત કરી લીધાનુ પોલીસમાં જાહેર થયુ છે.