Srinagar તા.29
પહેલગામ હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદુર વચ્ચે કાશ્મીરમાં આતંકવાદીઓનો ધીમી ગતિએ ખાત્મો કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરક્ષા દળોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી હોય તેમ લશ્કર-એ-તોયબાના બે ત્રાસવાદીઓને જીવતા પકડવામાં આવ્યા છે. અને હથીયારો-વિસ્ફોટકો
કબ્જે લેવાયા છે.
કાશ્મીરનાં શોપીયામાં સૈન્ય, પોલીસ તથા સીઆરપીએફના સંયુકત અભિયાનમાં બન્ને ત્રાસવાદીઓને જીવતા ઝડપી લેવાયા હતા તેમની પાસેથી બે એકે 56 રાયફલ ચાર મેગેઝીન, બે હેન્ડ ગ્રેનેડ તથા અન્ય વિસ્ફોટકો મળી આવ્યા હતા. આધારકાર્ડ પણ મળ્યા હતા.
સુરક્ષા એજન્સીનાં સુત્રોએ કહ્યુ કે ઈરફાન બશીન તથા ઉઝેર સાલમ નામાનં બન્ને આતંકવાદીઓ સુરક્ષાદળોનાં સર્ચ ઓપરેશનમાં ઘેરાઈ ગયા હતા. બન્ને એન્કાઉન્ટરથી બચવા માટે શરણે થઈ ગયા હતા.બન્નેની ધરપકડને મોટી સફળતા ગણવામાં આવે છે.
પૂછપરછમાં મહત્વના ખુલાસા થવાની સંભાવના છે.શોપીયાનાં બસકુચન ક્ષેત્રમાં શંકાસ્પદ હિલચાલની બાતમીથી સમગ્ર વિસ્તાર કોર્ડન કરાયો હતો જયારે બન્ને ત્રાસવાદી બગીચામાં નજરે ચડયા હતા. જવાનોએ તૂર્ત એલર્ટ થઈને પડકાર્યા હતા. એન્કાઊન્ટરની વોર્નીંગ આપતા બન્ને શરણે થઈ ગયા હતા.
પહેલગામ હુમલા બાદ સુરક્ષાદળો દ્વારા ચોકકસ વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને તેમાં આ સફળતા મળી હતી.