Rajkot તા.૨૨
રાજકોટ બેયર આજે રજૂ કરે છે, ટ્રાન્સ, એક નવીનતમ જંતુનાશક જે ખાસ કપાસમાં થતી મોલો-મસી, લીલી પોપટી અને સફેદ માખીના બચ્ચા સહિત ચૂસીયા જીવાતો સામે અસરકારક રીતે રક્ષણ કરવામાં ખેડૂતોને મદદ કરવા માટે તૈયાર કરવામાં આવેલું એક નવું જંતુનાશક છે. એક જ સોલ્યુશન્સમાં બે પુરક ક્રિયા પદ્ધતિઓ વિકલ્પોના સંયોજન સાથે, ટ્રાન્સ એ એક વ્યાપક-વ્યવસ્થાપન નિયંત્રણ પૂરું પાડે છે, જે સ્વસ્થ પાક, સુધારેલી ઉત્પાદકતા અને ખેડૂતોની નફાકારકતામાં વધારો કરે છે. આ પ્રોડક્ટ જુલાઈ ૨૦૨૬થી મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ બંગાળ સહિતના મુખ્ય કપાસ ઉગાડતા રાજ્યોમાં મળશે.
ભારતમાં કપાસની ખેતી એક સાથે અનેક ચૂસીયા જીવાતોનો સામનો કરી રહી છે, આ જીવાતોની પ્રતિકારક શક્તિ વધારી રહી છે અને જીવાત સમૂહ માટે વ્યાજબી દરમાં અસરકારક ઉકેલો મળી રહ્યા નથી. આ પડકારો ઘણીવાર પાકની શક્તિમાં તથા ઉપજમાં ઘટાડો અને ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચમાં વધારો કરવા બાજુ દોરી જાય છે.આ વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિકસાવવામાં આવેલ, ટ્રાન્સ એ બે અદ્યતન કેમિસ્ટ્રીની પુરક ક્રિયા પદ્ધતિને એકસાથે જોડે છે.

