New Delhi,તા.07
આરએસએસના વડા મોહન ભાગવતે ગઈકાલે મુંબઈમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા 2000થી વધુ જેન-ઝી સાથેના સંવાદમાં નવી પેઢીને અગાઉની પેઢી કરતા વધુ દેશભકત તથા ઈમાનદાર છે તેવું જણાવીને એક તરફ આંદોલનકારીઓને દેશદ્રોહી-બંધારણ વિરોધી ગણાવવાના પ્રયાસને નિષ્ફળ કર્યા છે અને કહ્યું કે સરકાર જો અગાઉથી જ પરીસ્થિતિ પારખી આંદોલનકારીઓ સાથે વાતચીત કરી લીધી હોત તો આ સ્થિતિની જરૂર જ પડી ન હોત.
તેઓએ કહ્યું કે સરકારમાં ખામીઓ હતી તેથી તો આંદોલન થયું. આંદોલન ભારે થાય છે. જયારે વાતચીત થતી નથી કે નિષ્ફળ નિવડે છે. તેઓએ આ કાર્યક્રમમાં યુવાઓના પ્રશ્નોના જવાબ આપ્યા અને તેઓએ એ પણ કહ્યું કે કદી આંદોલન થવું જોઈએ નહી તેવું હું કહી શકતો નથી. બંધારણ આપણને આંદોલનનો અધિકાર આપ્યો છે.
આ આંદોલન કઈ રીતે કરવું જોઈએ, કોઈ વ્યક્તિ નહી સીસ્ટમ સામે હોવું જોઈએ તેવી સલાહ આપી હતી. ભાગવત એ જંતર મંતર પર લાઠીચાર્જ પેલેટ ગનના ઉપયોગ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે તે કયાં કારણોસર થવું તે જાણવું પડશે. છતા હું જો કોઈપણ આંખ બંધ કરીને ભરોસો કરુ તો તે જેન-ઝી હશે.
દેશમાં જંતર મંતરથી અનેક ભાગોમાં છેડાયેલા જેન-જીના આંદોલન બાદ હવે સૌ કોઈ આ નવી પેઢીને મનાવવામાં વ્યસ્ત છે અને તેમાં ગઈકાલે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘના વડા મોહન ભાગવતે પ્રથમ વખત જેન-ઝી સાથેના ખુલ્લા સંવાદમાં સ્પષ્ટ કર્યુ કે તેઓ જો કોઈ પર આંખ પર બંધ કરીને ભરોસો કરે તો તે જેન-ઝી છે.
આમ તેઓએ હવે સંઘની નવી રણનીતિના સંકેત આપ્યા છે અને સાથોસાથ ભાજપને પણ મોકલ્યા છે. શ્રી ભાગવતે જેન-ઝીની લાગણીઓને પંપાળી સંઘ તેની સાથે હોવાનું પણ અહેસાસ કરાવવા પ્રયાસ કર્યા છે. આમ સરકારને પણ શ્વાસ લેવાની એક તક આરએસએસ એ આપી છે અને જેન-ઝીની આક્રમકતાથી ભાજપને જે પરેશાની સર્જાઈ છે તે પણ હળવી થશે તેવું ભાજપ માને છે.
આમ સંઘ પ્રમુખે ભાજપ માટે આગળ વધવાનો માર્ગ કરી દીધો છે. સરકારે અને ભાજપ જેન-ઝીમાં સુરક્ષા છે તેમાં આ બન્ને તરફથી જો સંવાદની કોઈ પ્રક્રિયા થઈ હોત તો તે સ્વીકાર્ય બની જ ન હોત તે નિશ્ચિત છે. ભાજપમાં પણ અનેક પ્રવકતા હજું પણ જેન-ઝીના આંદોલનને દેશદ્રોહી, બંધારણ વિરોધી તથા ડાબેરી તાકાતવાળા બતાવવાનું ચુકતા નથી તે વચ્ચે ભાજપે જેન-ઝીનો તમામ ગુસ્સો- ફરિયાદો વ્યાજબી છે તેવું કહી તેની `સ્ટીમ’ ગુસ્સાની ગરમી બહાર કાઢવાની તક આપી છે.
જો કે સરકારના વલણ વચ્ચે સંઘ કેટલું કરી શકશે તે પ્રશ્ન છે. આ જેન-ઝીને કોઈ પરદામાં રાખી શકાતી નથી તે જાણે છે કે સંઘ-ભાજપ એક જ છે. વાસ્તવમાં જેન-ઝીના આંદોલને પુરી રાજકીય આલમ સામે પ્રશ્નો ઉભા કરી દીધા હતા. જેન-ઝી માટે આરએસએસ કોઈ ફેકટર જ નથી પણ સંઘ વડાએ હવે જેન-ઝી સાથે જોડાવાનો પ્રશ્ન કર્યો છે.
પ્રશ્ન એ જ આવે છે કે શું 75+ની માનસીકતા ધરાવતા અને એક જ વિચારધારામાં રહેતા લોકો જેન-ઝીની ખુલ્લી માનસીકતાને સમજી શકશો. સરકારે તો તેને કાયદો-વ્યવસ્થા તરીકે જ તેઓનો પ્રયાસ કર્યો. હવે સંઘ તેને કઈ રીતે મીશન મોડમાં ફેરવવા માંગે છે જેન-ઝીનો સંવાદ એ પ્રથમ પગથીયુ છે.
આ જનરેશનના યુવાઓના માતા-પિતાએ ભાજપ-સંઘ સાથે જોડાયેલા હોય તો પણ તેના સંતાનો તે પરવા કરતા નથી. સંઘ યુવાઓને જોડવાના કાર્યક્રમમાં પણ તેની જૂની પેઢીને આગળ ધરે છે. તેથી તે જેન-ઝીને મનાવી શકશે કે કેમ તે પ્રશ્ન છે. હિન્દુ મુસ્લીમ જેવા મુદાઓ જેન-ઝીને કોઈ અર્થ ધરાવતા નથી. મહત્વનું એ છે કે મોહન ભાગવત જે ભાષા બોલે તે સરકાર બોલવા તૈયાર છે!
સંઘ વડા આ માસના અંતે અમેરિકા-કેનેડાના પ્રવાસે જશે
આરએસએસના વડા મોહન ભાગવત સંઘને વૈશ્વિક ફલક આપવા અમેરિકા-કેનેડાના પ્રવાસે જશે. તેઓ આ માસના છેલ્લા સપ્તાહમાં આ બે દેશોની મુલાકાત લેશે જેનો સંપર્ક અભિયાન નામ અપાયુ છે. સંઘની 100મી વર્ષગાંઠના ભાગરૂપે આ પ્રવાસ યોજાનાર છે.
અહી તેઓ ભારતીયો સાથે સંવાદ કરશે. તેઓ અમેરિકામાં ન્યુયોર્કના મેનહટ્ટનમાં તા.29ના રોજ અહી ભારતીય સમુદાયે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. બાદમાં તેઓ કેનેડા જશે અને કોઈ સંઘ વડાની આ પ્રથમ કેનેડા મુલાકાત હશે. તેઓ બાદમાં બ્રિટનની પણ મુલાકાત લઈ શકે છે.

