જાદવજીબાપા ધામેલીયાના નામની સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ
Kundheli તા.૮
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાંજણાવદર ગામમાં પાર્વતીની મોજડીથી વિશ્વવિખ્યાત જૂની પેઢીના કલાકાર સ્વ. જાદવજીબાપા ઘામેલીયાના નામની સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ થયું હતું.આંતરરાષ્ટ્રીય હાસ્યકલાકાર , લેખક , ચિંતક તેમજ પદ્મશ્રી વિભૂષિત સમાજસેવક જગદીશ ત્રિવેદી છેલ્લાં નવ વર્ષથી પોતાના દેશ- વિદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે. હાલ તેઓ પોતાના ક્ષેત્રના વડીલ કલાકારોનાં નામની શાળાઓ બનાવી રહ્યાં છે.એ શ્રેણીની પાંચમી અને કુલ સોળમી શાળાનું તા.૮/૮/૨૬ શનિવારે ગઢડા પાસે સાંજણાવદર ખાતે લોકાર્પણ થયું હતું.
જેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા, ગઢડાના ધારાસભ્ય તેમજ સંત સવૈયાનાથ ધામનાં મહંત શ્રી શંભુપ્રસાદજી ટુંડિયા , શાળાનાં દાતા ડો. જગદીશ ત્રિવેદી, કીરણ હોસ્પિટલ સુરતના ચેરમેન અને જળક્રાંતિ અભિયાનના પ્રણેતા પદ્મશ્રી મથુરભાઈ સવાણી તેમજ જૂની પેઢીના હાસ્ય કલાકાર, લેખક અને ચિંતક પદ્મશ્રી શાહબુદીન રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.આ પ્રસંગે જાદવજી બાપાના સુપુત્ર અને જાણીતા હાસ્ય કલાકાર શ્રી સુખદેવ ધામેલીયા તેમજ મોટી સંખ્યામાં કલાકારો, જાદવજી બાપાના ચાહકો, જીલ્લા પ્રાથમિક શિક્ષણ જગતના અધિકારીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાસ હાજર રહ્યા હતા.

