Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bihar: ચૂંટણી પંચ એકશન મોડમાં, મોકામામાં હત્યાકાંડ બાદ હથિયાર જમા કરાવવા આદેશ

    November 3, 2025

    Reserve Bank ચાંદીને કોલેટરલ તરીકે માન્યતા આપી,એપ્રિલ 2026થી માન્ય ગણાશે

    November 3, 2025

    World Cup જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરની પ્રતિક્રિયા,અંત નહીં, આ તો આરંભ છે

    November 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bihar: ચૂંટણી પંચ એકશન મોડમાં, મોકામામાં હત્યાકાંડ બાદ હથિયાર જમા કરાવવા આદેશ
    • Reserve Bank ચાંદીને કોલેટરલ તરીકે માન્યતા આપી,એપ્રિલ 2026થી માન્ય ગણાશે
    • World Cup જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરની પ્રતિક્રિયા,અંત નહીં, આ તો આરંભ છે
    • ત્રણ વર્ષમાં એક અબજ લોકોએ અપનાવ્યું AI
    • Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું
    • GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી
    • Reliance Center સહિત Anil Ambani Group ની રૂા.3084 કરોડની 40 મિલ્કતો ટાંચમાં લેવાઈ
    • women’s team પર ઈનામોનો વરસાદ : રૂા.90 કરોડ મળશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ શાસ્ત્રોક્ત નિષ્કામભાવપૂર્વક કરવું જોઇએ.
    લેખ

    પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ શાસ્ત્રોક્ત નિષ્કામભાવપૂર્વક કરવું જોઇએ.

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્રદ્ધા પરથી શ્રાદ્ધ શબ્દ બન્યો છે.શ્રદ્ધાપૂર્વક કરેલા કાર્યને શ્રાદ્ધ કહે છે.જેમને આપણી ઉપર ઉપકાર કર્યો હોય,જેમના દ્વારા આપણને કંઈ લાભ થયો છે તેમના પ્રત્યે આદર પ્રગટ કરવો,તેમના પ્રત્યે કૃતજ્ઞ હોવું એ શ્રદ્ધાળુનું પરમ કર્તવ્ય છે.શ્રાદ્ધ એ ફક્ત કર્મકાંડની વિધિ નથી.શ્રાદ્ધ એટલે પૂર્વજોનું કૃતજ્ઞતાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને આદર સહિત સ્મરણ કરવું.ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુઘીના સોળ દિવસ શ્રાદ્ધના દિવસો કહેવાય છે.શ્રાદ્ધ એટલે શુદ્વ સંકલ્પોની શ્રદ્વાંજલિ.આપણા પૂર્વજો જેઓ આપણી વચ્ચેથી શરીર છોડીને ગયા છે એમની પાછળ કરવામાં આવતી શ્રદ્વાપૂર્વકની વિઘિ.

    કબીરજીનો એક પ્રસંગ છે કે એકવાર તેમના ગુરૂ રામાનંદજી કહે છે કે આપ ગાયનું દૂઘ લઈ આવો  જેથી આજે આપણે શ્રાદ્ધ કરીએ.કબીરજી દૂધ લેવા જાય છે ત્યાં રસ્તામાં એક ગાય મરેલી પડી છે તેને કબીરજી ઘાસ નાંખે છે અને રાહ જુએ છે કે ગાય ઉભી થાય અને મને દૂઘ આપે ! આ બાજુ તેમના ગુરૂજી કબીરજીની રાહ જોતા હતા.ઘણો સમય પસાર થયો છતાં તેઓ આવ્યા નહિ તો તેમને શોધવા ગુરૂજી પોતે જાય છે તો જુએ છે રસ્તામાં કબીરજી એક મૃત ગાય પાસે બેઠા હોય છે.ગુરૂજી  પૂછે છે કે આ શું કરો છો? ત્યારે કબીર કહે છે કે આ ગાય ઘાસ ખાય અને પછી દૂઘ આપે તો દૂધ લઇને આવીશ.ગુરૂજી કહે છે કે આ ગાય તો મરેલી છે એ ઘાસ કેવી રીતે ખાશે? ત્યારે કબીરજી કહે છે કે આપણે શ્રાદ્ધ કરીને વાસ નાંખીએ છીએ તો એ ભોજન મૃત પિતૃઓને કેવી રીતે પ્રાપ્ત થાય? આ પણ એક વિચારણીય બાબત છે.

    કહેવાનો ભાવ એ છે કે જીવતાં જીવત આપણે એવા કર્મ કરવા જોઈએ કે જેનાથી આપણા માતાપિતા કે વડીલો સંતુષ્ટ થાય,ખુશ થાય,રાજી થાય,આર્શીવાદ આપે પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે આવા પુત્ર અથવા સંતાનો કેટલા? જીવતાં-જીવ આપણે આપણા માતાપિતાને વૃદ્વાશ્રમોમાં મુકી આવીએ છીએ.જો માતાપિતા આપણી સાથે રહેતા હોય તો પણ એમની સાથે સારો વ્યવહાર કરતા નથી તેમ છતાં મા-બાપ પોતાના સંતાનો માટે કયારેય ખરાબ ઈચ્છતા નથી,તેઓ હંમેશા એ જ આર્શિવાદ આપે છે કે દિકરા ખુશ અને સુખી રહેજે.

    શ્રાદ્ધમાં કાગડાને જ કેમ વાસ નાખવામાં આવે છે? તેની પાછળ પણ વિજ્ઞાન છે.આપણા ૠષિ મુનીઓએ આ વિજ્ઞાનની વાતોને ઘર્મ સાથે જોડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.આ દિવસોમાં કાગડા ઈંડા મૂકે છે એને પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે.આ કાગડો વડ અને પીપળો કે જે ચોવીસ કલાક પ્રાણવાયુ આપે છે એના બીજ ખાય છે એના પેટમાં એની પ્રોસેસ થાય છે પછી એની ચરક જયાં પડે છે ત્યાં વડ કે પીપળાના છોડ ઉગે છે.આમ મનુષ્ય જાતિને બચાવવા ઓકિસજન મળી રહે તે માટે કાગડાને બચાવવા જરૂરી છે એટલે કાગડાને કાગવાસ નાંખવામાં આવે છે.ભાદરવા મહિનામાં શરીરમાં પિત્તની વૃદ્ધિ થતી હોય છે એટલે આયુર્વેદ પ્રમાણે દૂઘ અને ચોખાની ખીર બનાવીને આરોગવામાં આવે તો આ પિત્તનું શમન થાય છે એટલે દૂઘ-પાક ખાવાનો મહિમા છે.

    માતા–પિતા અને ગુરૂનો ઉપકાર આપણી ઉપર સૌથી વધારે છે તેના બદલામાં તેમના પ્રત્યે અખૂટ શ્રદ્ધા રાખી તેમને મનુષ્ય દેહધારી દેવતા માનવા અને તેમના ઉપર શ્રદ્ધા રાખવી.આ કૃતજ્ઞતા ભાવ મનમાં રહે તે ખૂબ જ જરૂરી છે.પિતૃઓના મૃત્યુની પુણ્યતિથિના દિવસે શ્રાદ્ધ કરવાની એટલે તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરવાની વિધિ શાસ્ત્રોમાં બતાવી છે.સત્કર્મ ભલે સ્વેચ્છાએ કર્યું હોય કે અનિચ્છાએ કે કોઈ વિશેષ હેતુ માટે કર્યું હોય તો પણ ઉત્તમ કર્મોનું ફળ ઉત્તમ જ મળે છે.શ્રાદ્ધ નિમિતે જે દાનધર્મ કરવામાં આવે છે તેનું ફળ તે સ્વર્ગીય વ્યક્તિને ભલે મળે કે ના મળે પરંતુ દાન કરનાર વ્યક્તિ માટે તે કલ્યાણકારક છે.સત્કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી.શ્રાદ્ધની મહત્તા એટલા માટે સ્વીકારવી જોઈએ કે શ્રાદ્ધના રીવાજના કારણે અનિચ્છાએ પણ લોકો ધર્મકાર્ય કરવા વિવશ બને છે.શ્રાદ્ધ દ્વારા શ્રદ્ધા જીવિત રહે છે.જીવિત પિતૃઓ અને ગુરૂજનો પ્રત્યે શ્રદ્ધા પ્રક્ટ કરવા માટે એમની અનેક પ્રકારે સેવાપૂજા કરી તેમને સંતુષ્ટ કરવા જોઇએ પરંતુ સ્વર્ગીય પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવા,પોતાની કૃતજ્ઞતા પ્રક્ટ કરવા કોઈ નિમિત્ત જરૂરી છે આ નિમિત્ત એ શ્રાદ્ધ છે.

    આપણે ભગવાનના અવતારો દેવતાઓ ઋષિઓ મહાપુરૂષો અને પૂજનીય વડીલોની તિથિઓ ઉજવીએ છીએ,તેમના ગુણોનું વર્ણન કરીએ છીએ,એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને એમનાં ચરિત્રો અને વિચારોમાંથી પ્રેરણા મેળવવાની છે.જો આપણા મનમાં એવો તર્ક ઉભો થતો હોય કે મૃત્યુ પામેલી વ્યક્તિએ તો બીજી જગ્યાએ જન્મ પણ લઈ લીધો હશે તો પછી તેમની તિથિ ઊજવવાનો શો અર્થ? આ તર્ક ખોટો છે.મનુષ્ય માટીનું રમકડું નથી કે જે તૂટી જવાથી કચરાના ઢગલામાં તિરસ્કારપૂર્વક ફેંકી દેવામાં આવે.તેમનો યશ યુગો સુધી રહે છે અને તે એટલું જ કામ કરે છે જેટલું જીવિત શરીર કરે છે.આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ યોગેશ્વર ભગવાન કૃષ્ણ પ્રહલાદ સત્યવાદી હરિશ્ચંદ્ર ધ્રુવ દાનવીર કર્ણ શિવાજી રાણાપ્રતાપ તપસ્વી તિલક જગતગુરૂ શંકરાચાર્ય ગૌતમ બુદ્ધ મહાવીર નાનક કબીર વગેરે જીવિત નથી પરંતુ તેમનો યશોદેહ આજે પણ એટલું જ કામ કરે છે જેટલું જીવિત શરીર કરતું હતું.કરોડો વ્યક્તિઓને તેમના જીવનમાંથી પ્રેરણા અને પ્રકાશ પ્રાપ્ત થાય છે.

    શ્રાદ્ધ અને તર્પણનો મૂળ હેતુ આપણી કૃતજ્ઞતા અને આત્મિયતાની સાત્વિક વૃત્તિઓને જાગૃત કરવાનો છે.આ પ્રવૃત્તિઓ જીવિત અને જાગૃત રહે તે જગતની સુખ-શાંતિ માટે અત્યંત આવશ્યક છે.આવી આવશ્યક વૃત્તિઓનું પોષણ કરવા શ્રાદ્ધ જેવાં અનુષ્ઠાન જરૂરી છે.મૃત્યુ પામ્યા પછી જીવ નાશ પામતો નથી.તે કોઈને કોઈ રૂપમાં આ સંસારમાં રહે જ છે.એના પ્રત્યે બીજાઓની સદભાવના તથા દુર્ભાવના ખૂબ જ સહેલાઈથી પહોંચે છે.શ્રદ્ધા-કૃતજ્ઞતા આપણા ધાર્મિક જીવનની કરોડરજજુ છે.જો આ શ્રદ્ધા નીકળી જાય તો બધી જ ધાર્મિક ક્રિયાઓ વ્યર્થ,નિરસ અને પ્રયોજન વગરની બની જાય.

    ભૌતિક્વાદી નાસ્તિક દ્રષ્ટિકોણ અને ધાર્મિક આસ્તિક દ્રષ્ટિકોણમાં મુખ્ય આ જ તફાવત છે.ભૌતિકવાદી નિરસ શુષ્ક ક્ઠોર દષ્ટિકોણવાળો માણસ સ્થળ બુદ્ધિથી વિચારે છે કે પિતાજી મૃત્યુ પામ્યા હવે મારે અને એમને શું સંબંધ? જ્યાં હશે ત્યાં પોતાનાં કર્યા કર્મ ભોગવતા હશે,તેમના માટે હું શું કામ દુ:ખી થાઉ? આનાથી બિલ્કુલ ઊલટું ધાર્મિક દ્રષ્ટિવાળો માણસ સ્વર્ગીય પિતાના અગણિત ઉપકારોને યાદ કરીને કૃતજ્ઞતાના ભારથી નતમસ્તક બની જાય છે.તે ઉપકારમયી સ્નેહમયી સ્વર્ગીય મૂર્તિના નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગનું સ્મરણ કરતાં કરતાં એનું હૃદય ભરાઈ જાય છે,એનું હ્રદય પોકારે છે હે સ્વર્ગીય પિતૃઓ ! તમે ભલે સશરીર અહીયાં નથી પરંતુ તમારો આત્મા આ લોકમાં ક્યાંક તો હશે જ. તમારા ઋણથી દબાયેલો હું તમારાં ચરણોમાં શ્રદ્ધાની અંજલિ અર્પણ કરૂં છું.

    ધાર્મિક કર્મકાંડ સ્થૂળ રીતે તો બહુ મહત્વ ધરાવતાં નથી પરંતુ તે બધાની પાછળ જે ભાવનાઓ રહેલી છે તે જ મહત્વની છે.આ ભાવનાઓ જ માણસને સુખી સમૃદ્ધ સ્વસ્થ સંપન્ન વૈભવશાળી યશસ્વી પરાક્રમી અને મહાન બનાવે છે.જીવનમાં આપણા ઉપર ત્રણ ૠણ છે જે ચૂકવવાના હોય છેઃપિતૃૠણ-દેવૠણ અને ૠષિૠણ. ઉપકારનો બદલો ચૂક્વવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ જેથી આપણી ઉપર રહેલો ઋણનો બોજો હલકો બને.જે ઉપકારી પૂજનીય આત્માઓ સ્વર્ગે સિધાવ્યા છે એમના પ્રત્યે મનમાં કૃતજ્ઞતા રાખવી જોઈએ અને સમય આવ્યે કૃતજ્ઞતા પ્રક્ટ કરવી જોઈએ.શ્રાદ્ધમાં ભાવના મહત્વની છે.શ્રદ્ધા અને ભાવનાનો આપણે ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…ફરી એક વાર ભાગદોડમાં લોકો માર્યા ગયા, આ ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ શીખી શક્યું નથી

    November 2, 2025
    લેખ

    શું Trump-Xi Jinping કરાર ખરેખર યુનાઇટેડ સ્ટેટ્સ માટે વ્યૂહાત્મક સફળતા છે

    November 1, 2025
    લેખ

    જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે

    November 1, 2025
    લેખ

    તંત્રી લેખ…મેનિફેસ્ટો હવે લોકપ્રિય વચનોનો સમૂહ બની ગયા છે

    November 1, 2025
    લેખ

    આત્મમંથનથી આત્મોન્નિતિ તરફ ૭૮મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ

    November 1, 2025
    લેખ

    High Court નો ચુકાદો:વૃદ્ધ સાસરિયાઓ સાથે દુર્વ્યવહાર, ઝઘડો અથવા અવગણના માનસિક ક્રૂરતા ગણવામાં આવશે

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bihar: ચૂંટણી પંચ એકશન મોડમાં, મોકામામાં હત્યાકાંડ બાદ હથિયાર જમા કરાવવા આદેશ

    November 3, 2025

    Reserve Bank ચાંદીને કોલેટરલ તરીકે માન્યતા આપી,એપ્રિલ 2026થી માન્ય ગણાશે

    November 3, 2025

    World Cup જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરની પ્રતિક્રિયા,અંત નહીં, આ તો આરંભ છે

    November 3, 2025

    ત્રણ વર્ષમાં એક અબજ લોકોએ અપનાવ્યું AI

    November 3, 2025

    Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું

    November 3, 2025

    GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી

    November 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bihar: ચૂંટણી પંચ એકશન મોડમાં, મોકામામાં હત્યાકાંડ બાદ હથિયાર જમા કરાવવા આદેશ

    November 3, 2025

    Reserve Bank ચાંદીને કોલેટરલ તરીકે માન્યતા આપી,એપ્રિલ 2026થી માન્ય ગણાશે

    November 3, 2025

    World Cup જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરની પ્રતિક્રિયા,અંત નહીં, આ તો આરંભ છે

    November 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.