Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર

    September 25, 2025

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર
    • Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના
    • Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા
    • ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી Missile નું સફળ પરીક્ષણ કર્યુંઆ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે
    • 26 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 26 સપ્ટેમ્બર નું રાશિફળ
    • વિસ્થાપિત Kashmiri હિન્દુઓને નોકરીમાં છૂટછાટ આપવી જોઈએ, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
    • Mithun Chakraborty વિરુદ્ધ કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી નહીં,કોલકાતા હાઈકોર્ટે ટીએમસી નેતાને આદેશ આપ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»શારદીય નવરાત્રી..ચોથા નોરતે માતા કૂષ્માણ્ડાની ઉપાસના
    લેખ

    શારદીય નવરાત્રી..ચોથા નોરતે માતા કૂષ્માણ્ડાની ઉપાસના

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સૂરાસંપૂર્ણકલશં રૂધિરાપ્લુતમેવ ચ

    દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે.. 

    નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના ચોથા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે તે માતા કૂષ્માંડાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.વ્યવહારમાં નવા જીવને જન્મ આપવા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી કૂષ્માંડા સ્વરૂપ છે. 

    ર્માં દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ કૂષ્માણ્ડા છે.પોતાની મંદ હલ્કા હાસ્યના દ્વારા અંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કૂષ્માણ્ડા દેવી કહેવામાં આવે છે.જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ચારે તરફ અંધકાર પરીવ્યાપ્ત હતો ત્યારે આ દેવીએ પોતાના ઇષત્ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી એટલે સૃષ્ટિના આદિ-સ્વરૂપા,આદિ-શક્તિ કહેવાય છે.તેમનો નિવાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે.સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ ફક્ત તેમનામાં જ છે.તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્ય સમાન દેદીપ્યમાન અને ભાસ્વર છે.અન્ય કોઇ દેવી-દેવતા તેમના તેજની તુલના કરી શકતાં નથી.બ્રહ્માંડની તમામ વસ્તુઓ અને પ્રાણીઓમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે.કૂષ્માંડાનો અર્થ થાય છે જેના ચરણોમાં સમગ્ર સંસાર રહેલો છે.ર્માં આદ્યશક્તિના આ સ્વરૂપમાંથી જ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું છે તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના રોગ અને શોકનો નાશ થાય છે.કૂષ્માંડા એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે કુમ્હડા એટલે કે કોળાની બલી આપવી. 

    ર્માં કૂષ્માણ્ડાને આઠ હાથ છે એટલે તે અષ્ટભૂજા દેવીના નામથી વિખ્યાત છે.તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડલ ધનુષ્ય-બાણ કમળનું પુષ્પ અમૃતપૂર્ણ કલશ ચક્ર તથા ગદા છે.આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ આપનાર જપમાળા છે.તેમનું વાહન સિંહ છે. 

    નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે એટલે આ દિવસે અત્યંત પવિત્ર અને અચંચળ મનથી માતા કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા-ઉપાસના કરવી જોઇએ.માતા કૂષ્માંડા દેવીની ઉપાસનાથી ભક્તના તમામ રોગ-શોક વિનષ્ટ થઇ જાય છે.તેમની ભક્તિ કરવાથી આયુષ્ય બળ યશ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે.માતા કૂષ્માંડા દેવી અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે.જો મનુષ્ય સાચા હ્રદયથી તેમની શરણાગતિ સ્વીકારે છે તેમને અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. 

    શાસ્ત્રો-પુરાણોમાં જે વિધિ-વિધાનનું વર્ણન કરેલ છે તે અનુસાર ર્માં દુર્ગાની ઉપાસના અને ભક્તિ કરવાથી સાધકને તેમની કૃપાનો સુક્ષ્મ અનુભવ થવા લાગે છે.દુઃખરૂપ સંસાર તેના માટે સુખદ અને સુગમ બની જાય છે.માતાજીની ઉપાસના મનુષ્યને સહજભાવથી ભવસાગરથી પાર ઉતરવા માટે સૌથી સુગમ અને શ્રેયસ્કર માર્ગ છે.માતા કૂષ્માંડા દેવીની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરી તેમને સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઇ જાય છે એટલે પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઇચ્છનારે તેમની ઉપાસનામાં હંમેશાં તત્પર રહેવું જોઇએ.આ દિવસનો રંગ નારંગી છે જે ભક્તોને ઉત્સાહ આપે છે.

    યા દેવી સર્વભૂતેષુ મા કુષ્માંડા રૂપેણ સંસ્થિતા,નમસ્તેસ્યૈ નમસ્તેસ્યૈ નમસ્તેસ્યૈ નમો નમઃ 

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    26 સપ્ટેમ્બર, “વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ”

    September 25, 2025
    લેખ

    તંત્રી લેખ…એઆઇ પર્યાવરણ માટે પડકાર ન બને તે માટે, ખાસ ધ્યાન આપવું જોઈએ.

    September 25, 2025
    ધાર્મિક

    Mahanvami Havan વિના નવરાત્રીની પૂજા અધૂરી માનવામાં આવે છે

    September 24, 2025
    લેખ

    Allahabad High Court નો ઐતિહાસિક આદેશ અને જાતિમુક્ત ભારત તરફ યુપી સરકારનું ઝડપી પગલું

    September 24, 2025
    લેખ

    તંત્રી લેખ…બિલ્ડરોની છેતરપિંડી, સુપ્રીમ કોર્ટે કાર્યવાહી કરી

    September 24, 2025
    ધાર્મિક

    Kanya Puja 2025: કન્યા પૂજન ફક્ત અષ્ટમી કે નવમી પર જ કેમ કરવામાં આવે છે? તેનું ધાર્મિક મહત્વ જાણો

    September 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર

    September 25, 2025

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025

    ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી Missile નું સફળ પરીક્ષણ કર્યુંઆ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે

    September 25, 2025

    26 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 25, 2025

    26 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sanjay Kapoor ની વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર

    September 25, 2025

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.