Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક

    October 28, 2025

    Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો

    October 28, 2025

    Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક
    • Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો
    • Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો
    • Rajkot ફાઇનાન્સ કપનીના કર્મચારીએ કારનું ડીપી 5 લાખ ઓળવી જઈ યુવક સાથે કરી ઠગાઈ
    • Rajkot માં દેશી દારૂના હાટડા પર પોલીસ ત્રાટકી
    • India and Australia વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૩૨ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે
    • Babar Azam ની મનમાની હવે સહન કરવામાં આવશે નહીં, તેમની બેટિંગ પોઝિશન બદલાશે; મુખ્ય કોચ
    • Tilak Verma પોતાની પહેલી મેચમાં મોટો સીમાચિહ્ન હાંસલ કરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»જેનું મન સમતામાં સ્થિર છે તેને જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે
    ધાર્મિક

    જેનું મન સમતામાં સ્થિર છે તેને જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હે ધનંજય ! તૂં આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઇ કર્તવ્યકર્મો કર કેમકે સમત્વ એ જ યોગ કહેવાય છે.યોગ કોને કહેવાય તેની સ્પષ્ટતા આ શ્ર્લોકમાં કરી છે. કર્મનાં પરીણામોમાં સમભાવ રાખવો તે યોગ છે.આવા યોગમાં દ્રઢતા કર.દ્રઢતા વિના સ્થિરતા ન થાય. સ્થિર થયેલા ભક્તને યોગસ્થ કહ્યો છે.જીવનમાં બધા જ ક્ષેત્રમાં સફળતા મળે તેવી ખાતરી હોતી નથી. સફળતા-નિષ્ફળતાના બે પાટા ઉપર ગાડી ચાલતી હોય છે.બંન્નેમાં જે સ્વસ્થ થઇને સમભાવ રાખી શકે તે યોગી કહેવાય છે.

      ગયા શ્ર્લોકમાં ફળની આશા વગર જ કામ કરવાનું કહ્યું તેનું અહિં સમર્થન કર્યુ છે.કોઇપણ કર્મમાં,કોઇપણ કર્મના ફળમાં,કોઇપણ સ્થળ, કાળ,ઘટના,પરિસ્થિતિ, અંતઃકરણ,બહિકરણ..વગેરે પ્રાકૃત વસ્તુમાં તારી આસક્તિ ના થાય તો જ તૂં નિર્લિપ્તતાપૂર્વક કર્મ કરી શકે છે.કામ કરીએ એટલે સફળતા અથવા અસફળતા મળે જ તેમાં સમાન ભાવ રાખવો.આ સમાન ભાવ એટલે શું? તે સમજવું જોઈએ.પ્રયત્ન મારો અને પરીણામ ઈશ્વરનું આ સમજવું એટલે સમત્વભાવ.મારી જવાબદારી છે ઉત્કૃષ્ટ કૃતિ કરવી તે છે.જેવી કૃતિ હશે તેવું પરીણામ મળશે અને તેની જવાબદારી મારી નથી પણ ભગવાનની છે.આપણું કામ તો આપણી પૂર્ણતઃ મહેનત કરવી તે છે પછી આપણે ચિંતા કર્યા વગર સૂઈ જવાનું.આમ જો કરશું તો આપણે સૂઈ જઈશું તો ચિંતા ભગવાન કરશે.આરંભ કરેલાનો અંત નથી એટલે કે કરેલું ફોગટ જતુ નથી.અહિં કરેલું અહિંયા અને આ જન્મે જ ભોગવવાનું છે.ભગવાન કોઈનો હિસાબ ઉધાર રાખતો નથી.કામ કરો અને પરિણામ મેળવો પણ જો પરિણામ માટે કામ કરશો તો પરિણામ નહિ મળે.

    સિદ્ધિ-અસિદ્ધિમાં સમ બન્યા પછી સમતામાં નિરંતર અટલ-સ્થિર રહેવું એ જ યોગસ્થ થવાનું છે. આસક્તિનો ત્યાગ કરવાથી સિદ્ધિ-અસિદ્ધિમાં સમતા થઇ જશે.બીજું સિદ્ધિ મળશે કે નહિ મળે તે જોવાની પણ મારે જરુર નહિ.લાખ પ્રયત્નો હશે અને ભગવાનની ઈચ્છા નહી હોય તો સિદ્ધિ મળશે નહિ અને થોડો પણ પ્રયત્ન હોવા છતાં ભગવાનની ઈચ્છા હશે તો ચોક્કસ સિદ્ધિ મળશે તેથી “સિદ્ધિ” ને ધ્યાનમાં ન રાખતા કાર્યની વૃત્તિ અને કાર્યનાં પાવિત્ર્યને ધ્યાનમાં રાખવું જોઈએ તેને જ કહેવાય સમત્વ.

    સમતા જ યોગ છે એટલે કે સમતા પરમાત્માનું સ્વરૂપ છે.તે સમતા અંતઃકરણમાં નિરંતર ચાલુ રહેવી જોઇએ.જેઓનું મન સમતામાં સ્થિર થઇ ગયું છે એ લોકોએ જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે કેમકે બ્રહ્મ નિર્દોષ અને સમ છે તેથી તેઓની સ્થિતિ બ્રહ્મમાં જ છે.સ્થૂળ-સુક્ષ્મ અને કારણ શરીરથી થવાવાળી તમામ ક્રિયાઓને પોતાના માટે નહી પરંતુ ફક્ત સંસારની સેવારૂપે કરવાની છે-આમ કરવાથી સમતા આવી જાય છે.

    સકામકર્મની અપેક્ષાએ સમબુદ્ધિની શ્રેષ્ઠતા બતાવતાં ભગવાન ગીતા(૨/૪૯)માં કહે છે કે..

    દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનજ્જય

    બુદ્ધો શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ

    બુદ્ધિયોગ (સમતા) કરતાં સકામકર્મ દૂરથી અત્યંત જ નીચલી કક્ષાનું છે એટલે હે ધનંજય ! તૂં સમબુદ્ધિનો જ આશ્રય લે કેમકે ફળનો હેતુ બનનારા અત્યંત દીન છે.

    બુદ્ધિયોગ એટલે કે સમતાની અપેક્ષાએ સકામભાવથી કર્મ કરવું એ અત્યંત નિકૃષ્ટ છે કારણ કે કર્મ પણ ઉત્પન્ન અને નષ્ટ થાય છે તથા તે કર્મોના ફળનો પણ સંયોગ અને વિયોગ થાય છે પરંતુ યોગ (સમતા) નિત્ય છે.તેનો ક્યારેય વિયોગ થતો નથી,તેમાં કોઇ વિકૃતિ આવતી નથી.જો કર્મોમાં સમતા નહી રહે તો શરીરમાં અહંતા-મમતા થઇ જશે અને શરીરમાં અહંતા-મમતા હોવી એ જ પશુબુદ્ધિ છે. સમતામાં નિરંતર સ્થિર રહેવું એ જ એનું શરણ લેવું છે.સમતામાં સ્થિર રહેવાથી સ્વરૂપમાં પોતાની સ્થિતિનો અનુભવ થશે.કર્મોના ફળની ઇચ્છાવાળા બનવું એ અત્યંત નિકૃષ્ટ છે.કર્મ,કર્મફળ,કર્મસામગ્રી અને શરીર વગેરે કરણોની સાથે પોતાનો સબંધ જોડી દેવો એને જ કર્મફળનો હેતુ બનવું કહે છે.

    કર્મફળ છોડીને કર્મ કરવાની વાત ચાલે છે.પહેલા ભગવાને કહ્યું કે સમત્વથી કર્મ કર-આ યોગ કહેવાય અને અહિં કહે છે કે આ ફળની આશા વગર કરેલા કર્મો જ ઉત્તમ છે કારણ કે તે માણસને ચોટતા નથી.ફળની આશા વગર કામ કરવું એ ઉત્તમ છે તેમ ગીતા કહે છે.આવું એક પણ કામ આપણે કર્યુ છે ખરૂં? આપણું દરેક કામ પહેલાં પરિણામ જ તપાસે છે.ફાયદો શું થશે? આ જ આપણું ગણિત છે.લાખો રૂપિયા ખર્ચીશું પણ નફો કેટલો મળશે? સમય પુરતો આપીશું પણ સંબંધ કેટલો કામ લાગશે? છોકરાને ખુબ ભણાવીશું પછી પગાર કેવો મળશે? તે છોકરી સાથે લગ્ન કરાવીશું પણ સન્માન કેટલું મળશે? આ જ આપણો વ્યવહાર છે.બધે જ ફાયદાવાદી શિક્ષણ મળે છે તેથી સમાજ નિસ્તેજ, નિર્વિર્ય અને નિરાશ થયો છે. “મળશે શું” ના લીધે માણસ “બનશે શું” તે જ નક્કી કરી શકાતું નથી.દરેક વાતનો વેપાર ચાલે છે.

    ફળની ઈચ્છા વગર કામ કરવું તે જ કામ ભગવાન તરફ હોય શકે. નિષ્કામ કર્મ જ યોગ કહેવાય. સવારે વહેલા ઉઠી કપાલભાતિ કરવા એટલા પુરતો યોગ નથી પણ ભગવાન સાથે જોડાઈ જવું તે યોગ છે. સ્વાર્થથી કરેલા કામોથી મારો જીવનવિકાસ નથી પણ નિ:સ્વાર્થ રીતે ભક્તિ તરીકે કરેલાં કામો જ મારો વિકાસ છે.ભક્તિ એટલે ખુશામત નહિ પણ ભક્તિ એટલે સમજણ.મારો ભગવાનના લીધે દુનિયાનાં દરેક જીવ સાથે સંબંધ છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ભારતની બહુભાષી ડિજિટલ ક્રાંતિ-ભાષાકીય ડિજિટલ પુનરુજ્જીવન-માતૃભાષામાં ડિજિટલ અધિકારો

    October 28, 2025
    લેખ

    તંત્રી લેખ…એસઆઇઆરનો બીજો રાઉન્ડ, ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પસંદગી

    October 28, 2025
    લેખ

    વોશિંગ્ટન પોસ્ટની વિશ્વસનીયતા પર સવાલ!ભારતની નીતિઓ પર આધારહીન હુમલાઓ?

    October 28, 2025
    લેખ

    LIC માત્ર સંસ્થાજ નહીં, એક એવું વચન જેના પર લોકોનો વિશ્વાસઅટલ છે

    October 28, 2025
    લેખ

    ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?

    October 27, 2025
    લેખ

    ૪૭મી આસિયાન સમિટ,૨૬-૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ – કુઆલાલંપુર, મલેશિયા – સમાવેશીતા અને ટકાઉપણું

    October 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક

    October 28, 2025

    Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો

    October 28, 2025

    Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો

    October 28, 2025

    Rajkot ફાઇનાન્સ કપનીના કર્મચારીએ કારનું ડીપી 5 લાખ ઓળવી જઈ યુવક સાથે કરી ઠગાઈ

    October 28, 2025

    Rajkot માં દેશી દારૂના હાટડા પર પોલીસ ત્રાટકી

    October 28, 2025

    India and Australia વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૩૨ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે

    October 28, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક

    October 28, 2025

    Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો

    October 28, 2025

    Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો

    October 28, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.