Amreli, તા.7
સાવરકુંડલા ખાતે આવેલ ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા યોજાયેલ ભવ્ય નવસર્જન વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં સાવરકુંડલા નગરના નગરજનો ખૂબજ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ના અધ્યક્ષ સંસ્થાના પાયાના પથ્થર સંત પરમ પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી તેમજ સંસ્થાનાં વડાશાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી સાથે કાર્યક્રમના મુખ્ય મહેમાન મહેશભાઈ કસવાલા સાવરકુંડલા, લીલીયા વિસ્તારના ધારાસભ્ય તેમજ અતિથિ વિશેષમાં સાવરકુંડલા સિવિલ કોર્ટેના મુખ્ય ન્યાયાધીશ પઠાણ સાહેબ, સાવરકુંડલા નગર પાલિકાના પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી, સાવરકુંડલા તાલુકાનાના કોંગ્રેસ અગ્રણી નેતા ચંદ્રેશભાઈ રવાની, સાવરકુંડલા અખબાર ક્ષેત્રે અગ્રણી પ્રદીપભાઈ દોશી તેમજ તમામ અખબાર ક્ષેત્રના પત્રકારો, ભાજપ અગ્રણી જીવનભાઈ વેકરીયા પ્રવીણભાઈ સાવજ, રાજેશ ભાઈ નાગ્રેચા, સાવરકુંડલા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ વિગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત હનુમંત વંદના સંગીતની સુરાવલી સાથે હનુમાન ચાલીસાનું ગાન જેસર રોડ ગુરુકુળના આચાર્ય કૌશિકભાઇ ગોસ્વામી અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલ.
કાર્યક્રમ દરમિયાન આવેલ મહેમાનો નું વૃક્ષ ના નાના કુંડાઓ આપીને સ્વાગત કરવામાં આવેલ. સંસ્થા ના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી એ મંગલ પ્રવચન કરેલ હતું. સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ જેમાં ગુરૂકુળના ઇતિહાસની તથા વર્તમાન શૈક્ષણિક ફેરફારોની જાણ કરી હતી.
ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ની રૂપરેખા સાયન્સ વિભાગના આચાર્ય શ્રી હરેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ.
આ તકે ગુરૂકુળ શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જે બોર્ડ ની પરીક્ષા માં નંબર મેળવેલ છે તેઓને તેમના વાલી સાથે સંસ્થા દ્વારા અભિનંદન પત્ર, હાર તેમજ રોકડ રકમ થી સાવરકુંડલા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની સાથે અમરેલી થી આવેલા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના આશિષભાઈ જોશી, ચૌહાણ, જયેશભાઈ પરમાર, વાળાના હસ્તે સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમ ની આભાર વિધિ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી એ કરી હતી.

