New Delhi,તા.08
દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર તથા અન્ય ચુંટણી કમિશ્નરની નિયુક્તિ માટેની પેનલમાં સરકાર કાનુની સુધારાની સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની ભૂમિકાની બાદબાકી કરી તેના સ્થાને કેન્દ્રીય કાનૂનમંત્રી અથવા કોઈ કેન્દ્રીય મંત્રીની સાથે વડાપ્રધાન-વિપક્ષના નેતાની ત્રણ સભ્યોની કમીટી બનાવી તેને પડકારતી રીટમાં સુપ્રીમ કોર્ટ એક તરફ સરકારે જે `ઝડપ’ બતાવી તેના પર કટાક્ષ કરતા જણાવ્યું કે, અમો ઈચ્છીએ કે દેશની અદાલતોમાં ન્યાયમૂર્તિની નિયુક્તિનો પણ આજ પ્રકારે ઝડપ સરકાર બતાવશે.
તો બીજી તરફ સમગ્ર પેનલમાં સરકાર જે રીતે નિર્ણાયક બને છે તેના પર પણ ગંભીર ટીપ્પણી કરી હતી. સરકારે 2023માં સીઈસી અને અન્ય ચુંટણી કમિશ્નર નિયુક્તિ-શરતો અને સેવા તથા ઓફિસમાં કામકાજની મુદત વિ.માં ફેરફાર અંગેનો એક કાનૂન બદલ્યો હતો.
સરકારે હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર ગ્યાનેશકુમાર તથા ચુંટણી કમિશ્નર એસ.એસ.સંધુની 2023માં આ કાનૂનમાં સુધારાની સાથે જ નિયુક્તિ કરી હતી તેમાં `ઝડપ’થી ચુંટણીપંચ આશ્ચર્યમાં નડી ગયું હતું.
સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ દિપાંકર દતા તથા ન્યાયમૂર્તિ સતીષ ચંદ્રા શર્માએ જે રીતે સરકારે પેનલમાં ફેરફાર કર્યા તેની સામે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે પોલ-પેનલની નિયુક્તિમાં સરકારનું પ્રભુત્વ હોવું જોઈએ નહી.
નહીતર `યસ-મેન’ની નિયુક્તિની સંભાવના રહે છે જેની સીધી અસર ચુંટણીપંચની નિષ્ફળતા પર થશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ચુંટણી પંચ નિષ્પક્ષ હોય તે પ્રજાસતાક-લોકતંત્ર માટે જરૂરી છે.
અરજદારના ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે, ગ્યાનેશકુમાર તથા સિંધુની નિયુક્તિ કોઈ પણ પ્રકારની અસરકારક ચર્ચા વગર જ કરવામાં આવી હતી. તા.13 માર્ચ 2023 સુધી નામોની યાદી પણ તૈયાર થઈ ન હતી. વિપક્ષના નેતાને 200 નામો અપાયા હતા અને બીજા દિવસે કમીટી નિયુક્ત કરાઈ અને છ નામો શોર્ટ લીસ્ટ કરાયા હતા.
અરજદારના ધારાશાસ્ત્રીએ રજુઆત કરી કે તમો જયારે કોઈને અબાધીત સતા આપો તો આવું બને છે. આ અગાઉ સુનાવણી મુલત્વી રાખવાની સરકારની વિનંતી નકારતા સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ અત્યંત મહત્વની બાબત છે એને લાંબો સમય રોકી શકાય નહી.
સરકારે મુખ્ય ચુંટણી કમિશ્નરની નિયુક્તિની પેનલમાં જે રીતે મુખ્ય ન્યાયમૂર્તિની બાદબાકી કરી ને મુદો પણ રાજકીય વિવાદ બની ગયો હતો અને હાલ મુખ્ય ચુંટણી કમિશ્નરની કામકાજની પદ્ધતિ અંગે પણ વ્યાપક પ્રશ્નો ઉભા થયા છે.

