New Delhi, તા.23
દેશના હાઈવે પર હવે વરસાદનું પાણી વ્યર્થ નહીં જાય, ઘટતા ભુજલ સ્તરને રોકવા માટે કેન્દ્ર સરકાર તેના 13 વર્ષ જુના નિયમોમાં મોટા ટેકનીકલ ફેરફાર કર્યા છે. હાઈવે પર બનેલા ટ્રેન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમને કાપ જમા થવાથી બચાવવા માટે ટેકનીકલી અપગ્રેડ કરવામાં આવશે.
જેથી દર વર્ષે અબજો લીટર વર્ષા જળ (લગભગ 924 અબજ લીટર) સીધા ભુજળમાં સમાહીત થઈ શકશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં હાઈવેના કિનારે બનેલ પારંપારીક ટ્રેન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ કેટલાંક સમયમાં જ માટી અને કાપ જમા થઈ જવાના કારણે ચોક (બંધ) થઈ જતા હતા.
આ સમસ્યાના નિવારણ માટે મંત્રાલયે તેના માટે ખાસ ડીઝાઈન લે-આઉટ જાહેર કર્યા છે. નવા નિયમ અંતર્ગત હવે બધા નવા હાઈવે પ્રોજેકટસ પર પુરી રીતે લાગુ થશે. જે અંતર્ગત ડિઝલ પ્રોજેકટ રિપોર્ટ બનાવતી વખતે જ આ સંરચનાઓનાં સ્થળોને ચિન્હીત કરવી છે.
આ સાથે જ જુના અને જે હાઈવે પ્રોજેકટસનું કામ પુરૂ થઈ ચુકયુ છે.તેમાં પણ શેડયુલ-સીમા જરૂરી સંશોધન કરીને જુના હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં સુધારા કરવામાં આવશે. કાર્યકારી એજન્સીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ સાઈટની જરૂરીયાત મુજબ નવી સીસ્ટમને જુના નિર્માણમાં પણ સામેલ કરે.
અનેક રાજયોની સ્થિતિ ખરાબ
વિશેષજ્ઞોનાં અનુસાર કોઈપણ ક્ષેત્રમાં પર્યાવરણ સંતુલન જાળવી રાખવા માટે ભુજલ દોહનનો દર 60 ટકાથી ઓછો ન હોવો જોઈએ. જેને `સેફ ઝોન’ માનવામાં આવે છે. પણ અનેક રાજયોની સ્થિતિ ખુબ જ ખરાબ છે.
દિલ્હીમાં ભુમિગત જલ દોહનની સ્થિતિ સૌથી ગંભીર શ્રેણીમાં છે. અહીં દર લગભગ 98.16 ટકા છે. અનેક શહેરી ગ્રામીણ બ્લોક અતિ દોહનની સ્થિતિમાં છે. જયાં પાણીનું સ્તર સામાન્યથી સેંકડો ફૂટ નીચે છે.
ભારતમાં થાય છે સરેરાશ 1100 મિલીમીટર વરસાદ
નવી દિલ્હીઃઅધિકૃત અનુમાન મુજબ ભારતમાં સરેરાશ 1100 મી.મી.વાર્ષિક વરસાદ થાય છે જો 80 ટકાને આધાર માનવામાં આવે તો માત્ર 1 કી.મી. લાંબો નેશનલ હાઈવે વર્ષભરમાં લગભગ 6160 ઘનમીટર એટલે કે 61 લાખ 60 હજાર લીટર વર્ષે જળનું ઉત્પાદન કરે છે.
દેશમાં કુલ નેશનલ હાઈવેની લંબાઈ લગભગ 1,50,000 કી.મી.છે.આ પ્રકારે વર્ષે 924 અબજ લીટર વર્ષે જળ સીધુ ભુમિગત જલભંડારમાં મોકલી શકાય છે. આ ભુજલ સ્તરને સુધારણા માટે એક ખુબ જ મોટુ યોગદાન સાબિત થશે.

