- શહેર પોતાની જાતે Israeli PM Benjamin Netanyahu ની ધરપકડ કરી શકતું નથી,Zohran
- Australian મહિલાએ ચાર સરખી છોકરીઓને જન્મ આપ્યો, જેનાથી ડોકટરો સ્તબ્ધ થઈ ગયા
- બૂથ એ ચૂંટણીનું વાસ્તવિક કુરુક્ષેત્ર છે. તેને જીતવાથી ચૂંટણી જીતાય છે,Yogi Adityanath
- India મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
- ૫ વર્ષમાં ૧.૪૨ લાખ કરોડના Bank scam, માત્ર ૪.૫% રિકવર થયા; સંસદમાં રિપોર્ટ રજૂ
- ઈરાન વાતચીત પ્રત્યે ગંભીર નથી, અમે અમારા સાથીઓનું કોઈપણ કિંમતે રક્ષણ કરીશું,Marco Rubio
- Donald Trump ની મોટી જાહેરાત,જેનેરિક દવાઓની આયાત પર ૨૦૦% સુધી ટેરિફ
- Nepal ફરી ધ્રુજ્યું, આટલી તીવ્રતાનો Earthquake અનુભવાયો; લોકો ગભરાયા
Author: Vikram Raval
New Delhi,તા.૩૧ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા લખાયેલ પુસ્તક ’સંઘાતીલ માનવ વિભાગ’ આરએસએસ અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું. પુસ્તક વિમોચન પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ’પૈસા કમાવવા એ ગુનો નથી. હું બધા કાર્યકરોને કહું છું કે પૈસા કમાવવા જોઈએ, પરંતુ રાજકારણ પૈસા કમાવવાનો વ્યવસાય નથી.’ ગડકરીએ સ્વામી વિવેકાનંદના વિચારોનું ઉદાહરણ આપતા કહ્યું, ’ખાલી પેટે કોઈ ફિલસૂફી શીખવી શકાતી નથી.’ કેન્દ્રીય મંત્રી ગડકરીએ આગળ કહ્યું, ’તે કોઈ વિદ્વાન વ્યક્તિ નથી, હોશિયાર વિદ્યાર્થી નથી. હું એવા વર્ગમાંથી આવ્યો છું જે આગળથી ફિલ્મો અને પાછળથી નાટક જુએ છે. કાલે હું દહેરાદૂનમાં મારી ૧૩મી ડીઈ મેળવીશ. હું ડૉક્ટર…
નવીદિલ્હી,તા.૩૧ વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે ભારતના કડક વલણ અને પાકિસ્તાનને ખુલ્લા પાડવાના પ્રયાસોને નોંધપાત્ર સફળતા મળી છે. કોંગ્રેસ નેતા શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે કોલંબિયામાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. કોલંબિયાએ અગાઉ પોતાના નિવેદનમાં પાકિસ્તાનમાં થયેલા જાનહાનિ પર સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, પરંતુ શશિ થરૂરે વાંધો ઉઠાવ્યા બાદ તેણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે બોગોટામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોલંબિયાની પરિસ્થિતિ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોલંબિયા સરકારે પાકિસ્તાનમાં થયેલા નુકસાન પર શોક વ્યક્ત કર્યો તે ભારતને નિરાશ કરે છે, જ્યારે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈતી હતી. શશી…
Morbi,તા.31 સદનસીબે કોઈ જાનહાની નહિ, સતત ધમધમતા વિસ્તારમાં બની ઘટના શહેરના મોટાભાગના હોલસેલરની દુકાનો આવેલ છે તેવા સતત ધમધમતા નવાડેલા રોડ વિસ્તારમાં આજે દુર્ઘટના સર્જાઈ હતી જર્જરિત દુકાનનો છજાનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો ત્યારે સ્થળ પર પડેલા બે વાહનોમાં નુકશાન થવા પામ્યું હતું સદનસીબે જાનહાની થઇ નથી મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ તંત્ર જર્જરિત મકાનો તોડી પાડવાની કામગીરી કરી રહ્યું છે જોકે શહેરમાં અનેક આવા જોખમી ઈમારતો આવેલ છે જેના હજુ સર્વે પણ કરાયા નથી સતત મોતના માંચડા સમાન આવી ઈમારતો તોડી પાડવી જરૂરી છે મહાપાલિકા તંત્રએ તાજેતરમાં મકાનો તોડવાની કામગીરી કરી હતી અને બાકી રહેલા મકાનો તોડી પાડે તે…
Morbi,તા.31 ભૂકંપ સમયથી જર્જરિત હાલતમાં પડ્યું છે મકાન મકાન માલિક નથી મકાન પાડી નાખતા કે નથી વેચતા મોરબી શહેરમાં અનેક જર્જરિત ભયજનક ઈમારતો આવેલ છે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં આવા મકાનો તૂટી પડી કોઈ અકસ્માત સર્જે તે પૂર્વે મકાનો તોડવાની કામગીરી કરી રહ્યું છે પરંતુ શહેરમાં અનેક મકાનો એવા છે જેના હજુ સુધી તંત્ર દ્વારા સર્વે પણ કરવામાં આવ્યા નથી મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવું જ એક મકાન ભૂકંપ સમયથી જર્જરિત હાલતમાં પડ્યું છે જેના માલિક નથી મકાન પાડી નાખતા કે નથી વેચતા જેથી લત્તાવાસીઓને મોટી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે મોરબીના નાની બજાર મેઈન રોડ પર…
Morbi,તા.31 પોલીસ ટીમે સતકર્તા દાખવી કારને આંતરી લઈને ઝડપી લીધી બાદમાં મોક ડ્રીલ જાહેર કરવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે પિસ્તોલ બતાવી કારમાં આવેલ ઇસમોએ ૪૬ લાખની રોકડ ભરેલ થેલો લઈને લૂંટ કરી નાસી ગયા હતા જેથી જીલ્લા પોલીસે નાકાબંધી કરી તુરંત એક્શન લેતા કારને આંતરી લીધી હતી અને લૂંટનો મુદામાલ સહીતની મત્તા કબજે લઈને આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી બાદમાં પોલીસે મોકડ્રીલ જાહેર કરી હતી મોરબી જીલ્લામાં વધતા ગુના અટકાવવા અને પોલીસની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ભોગ બનનારે ફોન કરી જણાવ્યું હતું કે મોરબી મહેન્દ્રનગર…
Morbi,તા.31 છાતીના ભાગે પાટું મારતા ગંભીર ઈજા પહોંચતા પતિનું મોત મોરબીના ગ્રામ્ય પંથકમાં સાવકા પિતાએ દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું હતું સાવકા પિતાએ દીકરીને હવસનો શિકાર બનાવી હતી જે બાબતની પત્નીને જાણ થતા પત્નીએ પતિને છાતીના ભાગે પાટાઓ અને ઢીકા પાટું મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતા યુવાને હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૩૦ ના રોજ કુટુંબી સગાએ આવી જણાવ્યું હતું કે મોરબી પોલીસનો ફોન આવ્યો છે કે તમારા ભાઈનું મોત થયું છે જેથી સરકારી…
Morbi,તા.31 ઘૂટું ગામ નજીકથી આધેડ પોતાની કાર લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે ડ્રાઈવર સાઈડ દરવાજા પાસે ભટકાડી અકમ્સત કરી કારમાં નુકશાન કર્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે હળવદ તાલુકાના માથક ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઝાલાએ ટ્રક જીજે ૧૩ એએક્સ ૮૩૩૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦ ના રોજ ફરિયાદી ધર્મેન્દ્રસિંહ પોતાની કાર જીજે ૦૩ ઈએલ ૧૫૭૫ લઈને માથક ગામથી મોરબી જતા હતા ત્યારે ઘૂટું ગામના ગેટ પાસે હળવદ તરફથી આવતા ટ્રકના ચાલકે ફરિયાદીની કારના ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજા પાસે ભટકાડી નુકશાન કર્યું હતું
Morbi,તા.31 મોરબીના રાજપર નજીક આવેલ ફેક્ટરીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ ૨૮ વર્ષના યુવાને જીવનલીલા સંકેલી લીધી હતી મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે તપાસ ચલાવી છે તે ઉપરાંત વાંકાનેર તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે પ્રથમ બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજપર ગામે આવેલ સદગુરુ કોટન મિલમાં રહેતા લોકેશ વેસ્તાભાઈ સોલંકી (ઉ.વ.૨૮) નામના યુવાને ફેક્ટરીની ઓરડીમાં કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં વાંકાનેરના રાતાવીરડા ગામના તળાવના પાણીમાં ડૂબી જતા અજાણ્યા…
Hardoi,તા.૩૧ યુપીના હરદોઈ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૬ અન્ય લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના મહેમાનોથી ભરેલી કાર બેકાબૂ થઈ ગઈ અને પલટી ગઈ. આ દરમિયાન કારમાં સવાર પાંચ લોકોના મોત થયા, જ્યારે છ લોકો ઘાયલ થયા. આ સમગ્ર ઘટના માજીલા પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂપ્પા પૂર્વા વળાંક પાસેની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલમાં પોલીસ આ મામલે યોગ્ય કાર્યવાહી કરી રહી છે. ખરેખર, આખો મામલો માજીલા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અહીં…
New Delhi,તા.૩૧ દેશના ઘણા ભાગોમાં ચોમાસા પહેલા વરસાદ પડી રહ્યો છે, જ્યારે દક્ષિણ રાજ્યોમાં ચોમાસુ સમય પહેલા આવી ગયું છે. હવામાન વિભાગે આસામમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે જ્યારે હિમાચલ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, આગામી અઠવાડિયે રાજસ્થાનમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જ સમયે, દક્ષિણ રાજ્ય કેરળમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આસામની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડેટા અનુસાર, ધુબરી, દક્ષિણ સલમારા-માનકાચર, ગોલપારા, કોકરાઝાર,…
