- Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
- Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
- Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
- Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
- ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
Author: Vikram Raval
Talala , તા.૧૨ ગુજરાતમાં દારુબંધી હોવા છતા વારંવાર લોકો નશામાં ધૂત જોવા મળે છે. ગીર સોમનાથના તાલાલાના ફાર્મ હાઉસમાં દારુની મહેફિલ ઝડપાઈ છે. સુરવા-હડમતીયા રોડ પર એથીઝ ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા પાડ્યા હતા. દારુની મહેફિલ માણી રહેલા ૨૩ નશાખોર ઝડપાયા છે. દારુની બોટલો સહિત ૪૧.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તમામ આરોપી રાજકોટના ગોંડલના હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારુબંધી હોવા છતા સુરવા-હડમતીયા રોડ પર આવેલા એથીઝ ફાર્મ હાઉસમાં દારુ પાર્ટી ઝડપાઈ છે. પોલીસે દારુની મહેફિલ કરતા ૨૩ નશાખોર ઝડપ્યા છે. દારુની બોટલો સહિત ૪૧.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી ૩૭ કરોડનો…
Ahmedabad તા.૧૨ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦૩ કેસ નોંધાયા હતા. નવા કેસની સાથે રાજ્યમાં હાલ કોરોનાના કુલ એક હજાર ૨૮૧ એક્ટિવ કેસ છે. જેમાંથી ૨૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે એક હજાર ૨૫૮ દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થયેલા ૧૪૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે સત્તાવાર રીતે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં કોરોનાના નવા ૧૬૯ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક ૮૫૯ પર પહોંચ્યો હતો. શહેરમાં અત્યાર સુધી કોરોનાના ૧,૨૬૦ કેસ નોંધાયા હતા. પાલડી, વાસણા, નવરંગપુરા, સાબરમતી સહિતના વિસ્તારોમાં ૨૪૩…
૧૨ કોલ તેના ફિયાન્સ ચિંતનને કર્યા હતા : આ કોલ દરમિયાન તેણે યુવક સાથે ૧૬ મિનિટ વાત કરી હતી Surat, તા.૧૨ શહેરમાં સાતમી જૂનના રોજ ૨૩ વર્ષની મોડલ અંજલિ વરમોરાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસની પોલીસ તપાસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે મોડેલના મોબાઈલની કોલ ડિટેલ રેકોર્ડની તપાસ શરૂ કરી છે. જેમાં આપઘાત પહેલાં યુવતીએ અઢી કલાકમાં ૨૩ કોલ કર્યાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, યુવતીના આપઘાત પહેલાં અઢી કલાકમાં તેના ફોનમાંથી ૨૩ કોલ કરાયા હતા. જેમાંથી ૧૨ કોલ તેના ફિયાન્સ ચિંતનને…
Surat, તા.૧૨ સુરતના પાલથી યુવકની માતાનું કારમાં અપહરણ કરી રાંદેરની અંબિકા નગરમાં લઈ જઈ ક્રુરતા આચરાઈ હતી. પાલ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. રાંદેરના યુવાને રાજસ્થાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને જણાં ભાગી ગયા હતા. એક વર્ષ બાદ પોતાના ઘરે યુગલ પરત ફર્યું હતું. પરંતુ યુવતીના પરિવારજનો આ વાત ભૂલ્યા ન હતા. જેનો બદલો લેવા માટે અધીરા બન્યા હતા. યુવક મળતો નહીં હોય તેની માતાને ટાર્ગેટ કરાઈ હતી. માતાનું અપહરણ કરી તેને લાકડાના ડંડા પ્લાસ્ટિકની પાઇપ અને ઈંટ વડે સોસાયટીમાં જાહેરમાં ઉભી રાખી તેને માર મારવામાં આવી હતી. આ ક્રુરતામાં ઘરની મહિલાઓ પણ સામેલ હતી.…
વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં ૬૫ વર્ષીય વૃદ્ધના અન્નનળીમાંથી સફળતાપૂર્વક કેરીનો ગોટલો દૂર કરાયો Vadodara, તા.૧૨ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટી ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દી છોટાઉદેપુરના ૬૫ વર્ષીય વૃદ્ધ માટે કેરીનો સ્વાદ ભારે પડ્યો જ્યારે અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો તેમની અન્નનળીમાં ફસાઈ ગયો. આ ઘટના બાદ દર્દી કંઈપણ ગળી શકવામાં અસમર્થ બન્યા હતા, જેના કારણે તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી. દર્દીને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ બજાવતા ડો. હિરેન સોની એ આ પડકારજનક કેસ હાથ ધર્યો. ડો. હિરેન સોનીએ કોઈપણ પ્રકારના ચીરા કે ટાંકા વગર એન્ડોસ્કોપી પદ્ધતિનો ઉપયોગ કરીને અન્નનળીમાં ફસાયેલા કેરીના ગોટલાને સફળતાપૂર્વક બહાર…
૧૫ ઓક્ટોબર સુધી રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે Gandhinagar, તા.૧૨ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી તા. ૧૫ જૂનથી ચાર માસ માટે એટલે કે તારીખ ૧૫ ઓક્ટોબર-૨૦૨૫ સુધી રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાને ધ્યાનમાં લેતાં, વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો…
ગેસ્ટ હાઉસના માલિક રજત ચૌહાણ (૩૧) અને મેનેજર મન્સૂર પીર (૩૫)ની ધરપકડ કરવામાં આવી છે Goa , તા.૧૨ દેશમાં સતત દુષ્કર્મના કેસ સામે આવતા રહે છે. આ વચ્ચે હવે ગોવાથી એક મામલો સામે આવ્યો છે, પોલીસે ગોવામાંથી એક ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે. આ ગેસ્ટ હાઉસમાં ત્રણ સગીર છોકરીઓ સાથે બે પુરુષોએ કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. અધિકારીએ આ મામલે જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ૧૧, ૧૩ અને ૧૫ વર્ષની આ છોકરીઓ એક જ બિલ્ડિંગમાં રહેતી હતી. આ છોકરીઓ સાથે ૭ અને ૮ જૂનના રોજ કલંગુટ…
Washington, તા.૧૨ મહિલાઓ માટે કોઈપણ ફિલ્ડમાં કરિયર બનાવવું સરળ નથી. તેમણે ઘણા પડકારોમાંથી પસાર થવું પડે છે. જ્યારે કોઈ મહિલા ખેલાડી માતા બનવા ઇચ્છતી હોય, ત્યારે પણ તેની કારકિર્દી પર અસર પડે છે. પરંતુ હવે મહિલા ટેનિસ એસોસિએશન (ઉ્છ) એ એક મોટું પગલું ભર્યું છે, જેનાથી ઉ્છ રેન્કિંગમાં ટોપ ૭૫૦ મહિલા પ્લેયર્સને રાહત મળશે. ઉ્છના જણાવ્યા પ્રમાણે કોઈપણ મહિલા ખેલાડી માતા બનવા માંગતી હોય અથવા ભવિષ્યમાં માતા બનવાના હેતુથી એગ ફ્રીઝ (બીજ સાચવવાની પ્રક્રિયા) કરાવવા માંગતી હોય તેને થોડા સમય માટે રમતથી દૂર રહેવાની અને સુરક્ષિત રેન્કિંગ સાથે વાપસી કરવાની તક આપવામાં આવશે. ઉ્છએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ખેલાડીઓ…
આ દુર્ઘટનામાં બાંસવાડાના રહેવાસી પ્રતીક જોશી પોતાના આખા પરિવારની સાથે ફ્લાઇટમાં સવાર હતા Ahmedabad, તા.૧૨ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બાંસવાડા જિલ્લા સાથે સંબંધિત એક દુઃખદ મામલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બાંસવાડાના રહેવાસી પ્રતીક જોશી પોતાના આખા પરિવાર સાથે ફ્લાઇટમાં સવાર હતા. પ્રતીક જોશી આશરે છ વર્ષ પહેલાં લંડન શિફ્ટ થઈ ગયા હતા. હવે તે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે સ્થાયી રીતે વસવાટ માટે લંડન જઈ રહ્યા હતા. પ્રતીક જોશીની પત્નીનું નામ ડો. કોમી વ્યાસ છે. તે એક ડોક્ટર હતી અને તેણે બે દિવસ પહેલાં જ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું, જેથી તે લંડનમાં નવી શરૂઆત…
ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું એર ઇન્ડિયા ફ્લાઇટ સાથે જોડાયેલી દુઃખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ New Delhi, તા.૧૨ રુંવાડા ઉભા કરી દે તેવી હચમચાવી દેતી દુર્ઘટનાનું સાક્ષી અમદાવાદ બન્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશમા સવાર તમામ ૨૪૦ મુસાફરોના મોત નિપજ્યા છે. તો આ દુર્ઘટનામાં બે મુસાફરોનો બચાવ થયો છે. તો બીજી તરફ, ટાટા ગ્રુપે તમામ મૃતકોના પરિવારજનોને ૧ કરોડની સહાયની જાહેરાત કરી છે. ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને આ માહિતી આપતા જણાવ્યું કે, એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ સાથે જોડાયેલી દુઃખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણે આપણે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી.…