- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
પોતાની અભિનય કારકિર્દીને શિખર પર છોડી દઇ આજે બોલિવૂડની ચમક-દમકથી દૂર બિઝનેસની ચમક રેલાવે છે Mumbai, તા.૧૩ મહાનાયક અમિતાભ બચ્ચનની સુદીર્ઘ ફિલ્મી કારકિર્દીમાં અનેક હીરોઇનો સાથે જોડી જમાવીને રૂપેરી પડદે નવાં સોપાનો સ્થાપ્યાં છે. અનેક નવી અને ઓછી જાણીતી હીરોઇનોને અમિતાભ સાથે ચમકવાનો ચાન્સ મળતાં તે રાતોરાત જાણીતી બની ગઇ હતી. આવી જ એક હીરોઇન હતી, પેરિઝાદ, જેણે પોતાની કારકિર્દીને શિખર પર છોડી દીધી હતી. હાલમાં તે ચમક અને ગ્લેમરથી દૂર રહીને કરોડોનો વ્યવસાય કરી રહી છે. પેરિઝાદે પોતાની ૩૩ વર્ષની ઉંમરે બોલિવૂડ છોડી દીધું હતું. આપણે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તેનું આખું નામ પેરિઝાદ ઝોરાબિયન છે.…
એસ. જાનકી અને મહાન ગાયક એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમની જોડીએ દક્ષિણ ભારતીય સિનેમાને સેંકડો સદાબહાર રોમેન્ટિક ગીતો આપ્યા Mumbai, તા.૧૩ દક્ષિણ ભારતીય સિનેમાના સંગીત જગતમાં એસ. જાનકી (શિષ્તલા જાનકી)ના નિધન સાથે દક્ષિણભારતીય ફિલ્મ સંગીત જાણે રાંક બન્યું છે. તેમના અવાજ વગર દક્ષિણનું સંગીત અધૂરું ગણાય છે. તેમને આદરપૂર્વક “જાનમ્મા” અને “દક્ષિણ ભારતની નાઇટીંગેલ” (ગાનકોકિલા) તરીકે ઓળખવામાં આવે છે. સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર (પાર્શ્વ ગાયિકા) એસ. જાનકીના રવિવારે સાંજે અહીં તેમના કનિયાનહુંડી ફાર્મહાઉસ ખાતે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શનિવારે સાંજે શ્વાસની તકલીફ બાદ ૮૮ વર્ષની વયે એક ખાનગી હોસ્પિટલમાં આ ગાયિકાનું અવસાન થયું હતું. એસ. જાનકીનો જન્મ ૨૩…
Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! સોમવારના રોજ ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. ૭૦૦પોઈન્ટના ઘટાડા સાથે શરૂઆત બાદ જોરદાર રિકવરી, ભારે વધઘટ વચ્ચે બજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું.વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતો, મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને શરૂઆતમાં વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે સેન્સેક્સ આશરે ૭૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. જોકે દિવસ આગળ વધતા નીચલા સ્તરે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડો અને લાંબા ગાળાના રોકાણકારો દ્વારા મજબૂત ખરીદી જોવા મળી હતી. બેન્કિંગ, જાહેર ક્ષેત્રની બેંકો, મૂડી સાધન અને પસંદગીના મોટા શેરોમાં થયેલી ખરીદીના કારણે બજારે સમગ્ર દિવસ દરમિયાન જોરદાર પુનઃપ્રાપ્તિ નોંધાવી…
Dehradun તા.13 અયોધ્યા બાદ બદરીનાથ ધામમાં ચડાવા ચોરીના મામલામાં નવો ખુલાસો થયો છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ની આંતરિક એસઆઇટીની તપાસ પુરી થઇ ચૂકી છે. સીસીટીવી ફૂટેજમાં આરોપી પૈસાની હેરાફેરી કરતો જોવા મળે છે. જે મુજબ બદરીનાથ ધામમાં થાળી ભેટની ગણતરી દરમિયાન રોકડ ઉઠાવવાના મામલામાં આરોપી કર્મચારી પ્રમોદ નૌટિયાલ સામે એફઆઇઆર નોંધી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં મહત્વની કડીઓ મળી છે. પોલીસને મંદિર પરિસર અને કાઉન્ટીંગ હોલમાં લાગેલા કેમેરાની ફૂટેજમાં બીકેટીસીનો આરોપી પ્રમોદ નોટિયાળ મોબાઇલ ફોન નીચે નોટોના બંડલ, સોના-ચાંદી જેવા સિક્કા અને ધાર્મિક વસ્તુઓ લઇને બહાર નીકળતો જોવા મળે છે. પોલીસે પુરાવાના આધારે આરોપીની ધરપકડની તૈયારી શરૂ કરી દીધી છે. પોલીસને…
Bangkok, તા.13 થાઈલેન્ડની રાજધાની બેંગકોકના ઉત્તરી ભાગમાં આવેલા એક પ્રખ્યાત પબમાં સોમવારે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત નીપજ્યા. આ જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર હાજર લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી. ઘટના સમયે પબમાં હાજર એક મ્યુઝિશિયનના જણાવ્યા અનુસાર, સ્ટેજની નજીક લાગેલા સર્કિટ બે્રકરમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. તેની ગણતરીની સેક્નડોમાં જ આખા પબની લાઈટો ગુલ થઈ ગઈ અને એક જોરદાર ધડાકો સંભળાયો હતો. ધડાકા સાથે જ પબની અંદર…
Tehran,તા,13 ઈરાન સાથેની સમજુતીનો અંત લાવ્યા બાદ અમેરિકાએ ફરી એક વખત ઈરાન પર મોટા હુમલા શરૂ કરી દીધા છે અને અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ ઈરાનને `પાઠ’ ભણાવવા આ હુમલા કરવામાં આવી રહ્યા છે તો ઈરાને પણ વળતા હુમલામાં ગલ્ફ દેશોમાં અમેરિકી સેના મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાન અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ થતા જ હોર્મુઝ જળમાર્ગ ફરી બંધ થયાના સંકેત છે. અમેરિકી દળોએ હોર્મુઝ જળમાર્ગ અને તેની આસપાસના ઈરાની જહાજો ઉપરાંત તહેરાનમાં તથા આ તમામ પાણી-વિજ પ્લાંટ નિશાન બનાવ્યા હતા. ખાસ કરીને દરિયામાં રહેલી ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડની વિધ્વંશક બોટસને નિશાન બનાવી હતી જે આ ક્ષેત્રમાં વ્યાપારી જહાજો પર હુમલા…
New Delhi, તા.13 અમેરિકા-ઇરાન વચ્ચે ફરી ભીષણ જંગને પગલે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવતા શેર સહિત કોમોડિટી માર્કેટમાં ગભરાટ સર્જાયો હતો. આક્રમક વેચવાલીથી શેર, સોના-ચાંદી તથા રૂપિયો ગગડ્યા હતા જ્યારે ક્રૂડતેલ ફરી 80 ડોલરની નજીક પહોંચી ગયું હતું. ઇરાન-અમેરિકા વચ્ચેનું ફરી શરુ થયેલું યુધ્ધ વધુને વધુ વકરવા સાથે દરિયાઇ પરિવહનના મુખ્ય સ્ત્રોત સમાન હોર્મુઝ ખાડીને બંધ કરી દેવામાં આવી છે. ફરી વખત વિશ્વસ્તરે પેટ્રોલીયમ સંકટ સર્જાવાની આશંકાને પગલે ગભરાટનો માહોલ હતો. શેરબજાર ઉઘડતામાં જ ગેપડાઉન ખુલ્યું હતું. ગભરાટભરી વેચવાલીથી મોટાભાગના શેરો ગગડ્યા હતા. નીચા મથાળે લેવાલીથી થોડી રિકવરી આવવા છતાં રેડઝોનમાં જ હતું. કલ્યાણ જ્વેલર્સ, ભેલ, યુનિયન બેંક, વોલ્ટાસ,…
New Delhi/Kathmandu,તા,13 ભારતને હવે વધુ એક પાડોશી દેશની ચિંતા સર્જાઈ છે. હાલમાં જ ચુંટણી બાદ આક્રમક બનેલા નેપાળ સાથેની સીમા પર નેપાળ સેનાએ ભારતના ક્ષેત્રોમાં `સર્વે’ કરવા પ્રવાસ કરતા બીએસએફએ તેમને રોકયા હતા તથા બન્ને દળો સામસામા આવી ગયા હતા. બન્ને દેશો વચ્ચે સરહદ પર કદી આ પ્રકારના તનાવ સર્જાયો નથી પણ નેપાળમાં બાલેન શાહ સરકાર આવતા વિવિધ મુદાઓ પર તનાવ વધી રહ્યા છે અને તેઓએ સીમા પર તેના દળોની હીલચાલ વધારી દીધી છે. જેમાં બિહારના ચંપારણ ક્ષેત્રમાં એક ભારતીય ગામ પર તેઓએ દાવો કરીને ત્યાં વધારાના સૂરક્ષા દળો ગોઠવવા પ્રયાસ કર્યા હતા અને 40 જેટલા જવાનો નેપાળ સેનાના મેજર…
ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રૂટ પર ભક્તિનગર પીઆઈ જે ડી પરમાર અને પીએસઆઈ એસ એચ ગોહિલની ટીમોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી Rajkot,તા.11 રથયાત્રા પૂર્વે ભક્તિનગર પોલીસે ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આગામી તારીખ 16 ના અષાઢી બીજ પર્વ પર શહેરમાં રથયાત્રા નીકળનાર હોય આ રથયાત્રા દરમિયાન પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે શહેરના જંગલેશ્વર સહિતના સંવેદનશીલ વિસ્તાર અને રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આગામી તા.16 ના અષાઢી બીજ પર્વ પર શ્રી જગન્નાથ મંદિર કૈલાશધામ આશ્રમથી રથયાત્રા નીકળનાર હોય જે રથયાત્રા…
એસએમસી ટીમે દરોડો પાડી પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટીનો ગેરકાયદે વેંપલાનો પર્દાફાશ કર્યો Bhavnagar,તા.11 ભાવનગરના બુધેલ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂ. 4.30 કરોડની કિંમતના 4.306 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબ્જે કર્યો હતો. સ્ટેટ મનીટરિંગ સેલના દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર પીઆઇ આર કે કરમટાની ટીમે ભાવનગરના બુધેલ ગામે બ્લુ સ્કાય સોસાયટી નજીક આવેલ ખાર વિસ્તારની પડતર જગ્યામાં દરોડો પાડી ઇમરાન રહીમભાઈ પરમાર (રહે. આખલોલ, ભાવનગર મૂળ રહે. લીમડા, ઉમરાળા ભાવનગર), સાજીદખાન અયુબખાન પઠાણ (રહે રુવાપુરી રોડ, કુરેશી મોટર ગેરેજ પાસે, ભાવનગર) ફૈઝાન તાલીબભાઈ મધરા (રહે ઇન્દિરાનગર, બુધેલ ગામ, ભાવનગર), સબીર ફારૂકભાઈ સૈયદ (રહે. ઇન્દિરાનગર, બુધેલ ગામ, ભાવનગર)ના કબ્જામાંથી શંકાસ્પદ એમ્બરગ્રીસનો…
