- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
પત્રલેખાએ અમારા માટે રસોઈ કરી હોય તો મને વાસણ સાફ કરવા ગમે છેઃ રાજકુમાર રાવ Mumbai, તા.૧૮ આમ ભલે પતિ-પત્નીઓ આખું વર્ષ પ્રેમથી રહેતાં હોય કે તેમ છતાં વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે તેઓ ટીનેજર્સની માફક એકબીજા માટે કોઈ સરપ્રાઇઝ કે નાની ગિફ્ટ પણ આપતા રહેતા હોય છે. પરંતુ રાજકુમાર રાવ અને પત્રલેખાનું આવું નથી. કારણ કે તેમણે હંમેશા એકબીજાની સાથે રહેવાનું અને એકબીજા માટે નાનું કશુંક ગમે તેવું કરતાં રહેવાનું વચન આપેલું છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કપલે ઘરમાં બંનેની સમાન જવાબદારીઓ અંગે વાત કરી હતી. પત્રલેખાએ રાજકુમાર રાવ સાથેના મજબુત નાતા વિશે કહ્યું,“અમે બંનેએ શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે અમારા…
ગયા વર્ષે જ્યારે રણવીરે પોતાના બર્થડે નિમિત્તે આ બ્રાન્ડની જાહેરાત કરી ત્યારે તેના ફૅન્સે તેના ખુબ વખાણ કર્યા હતા Mumbai, તા.૧૮ રણબીર કપૂરે શુક્રવારે મુંબઈમાં પોતાનો લાઇફ સ્ટાઇલ સ્ટોર લોંચ કર્યો છે. બાન્દ્રામાં તેણે ‘આર્ક્સ’નામની બ્રાન્ડનો સ્ટોર શરૂ કર્યો છે. આર્ક્સ એ માત્ર એક નવી બ્રાન્ડ નથી પરંતુ તે રણબીર કપૂરની પોતાની વ્યક્તિગત સ્ટાઇલ છે, તેનું સ્નીકર્સ માટેનું પેશન અને સામાન્ય ફેશનમાં પણ ઉત્તમ ગુણવત્તા જાળવી રાખવા માટેની તેની શિસ્ત આ બ્રાન્ડમાં છલકાય છે. આર્ક્સમાં કાળજીપૂર્વક પસંદ કરેલા કેટલાંક કાપડમાંથી બનેલા આરામદાયક ફિટિંગ વાળા ટ્રાઉઝર, હંમેશા અને કોઈ પણ પ્રસંગે કે સ્થળે પહેરી શકાય એવા સફેદ ટી-શર્ટ, શર્ટ અને સ્ટાઇલિશ…
Mumbai, તા.૧૮ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’માં જાલી રેડ્ડીની ભૂમિકા ભજવનાર દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા ડાલી ધનંજય હવે પરિણીત છે. તાજેતરમાં, તેમણે એક ખાનગી સમારંભમાં તેમની પ્રેમિકા ડૉ. ધન્યથા ગૌરકલર સાથે લગ્ન કર્યા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફિલ્મમાં, બંને મંડપમાં એકબીજા સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા.તાજેતરમાં, દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા ડાલી ધનંજય, જેમણે દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા ૨’ માં જાલી રેડ્ડીનું પાત્ર ભજવ્યું હતું, તેમણે લગ્ન કર્યા છે. તેમણે તાજેતરમાં જ મૈસુરના એક્ઝિબિશન ગ્રાઉન્ડ્સ ખાતે એક ખાનગી સમારંભમાં તેમની પ્રેમિકા ડૉ. ધન્યતા ગૌરકલર સાથે લગ્ન કર્યા. આ ખાસ પ્રસંગ માટે, ડાલીએ મૈસુર…
Bangladesh,તા.૧૮ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ એવા પોલીસકર્મીઓની વિધવાઓ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કર્યો જેમના પતિઓ વિરોધીઓના હુમલામાં માર્યા ગયા હતા. સંવાદ દરમિયાન, તેમણે બાંગ્લાદેશમાં વધતી જતી આતંકવાદી પ્રવૃત્તિઓની નિંદા કરી અને કહ્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા યુનુસે દેશને આતંકવાદી રાજ્યમાં ફેરવી દીધો છે. આ દરમિયાન તેમણે વચન આપ્યું હતું કે પીડિત પરિવારોને મદદ કરવામાં આવશે અને હત્યારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થી આંદોલન દરમિયાન સિરાજગંજમાં પોલીસકર્મીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હિંસા દરમિયાન અહીં ઘણા પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. આ હિંસા પર શેખ હસીનાએ કહ્યું, “હું પાછો ફરીશ અને આપણા પોલીસકર્મીઓના મૃત્યુનો બદલો લઈશ.” તેમણે કહ્યું કે…
Kolkata,તા.૧૮ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભ પર ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીના નિવેદનનો સાધુઓ અને સંતોએ સખત વિરોધ કર્યો છે.તેમના એક કાર્યક્રમમાં મમતા બેનર્જીએ કહ્યું, ’મહાકુંભ હવે મહાકુંભ રહ્યો નથી પણ ’મૃત્યુ કુંભ’માં ફેરવાઈ ગયો છે.’ મમતા બેનર્જીના આ નિવેદન સામે વિરોધ શરૂ થઈ ગયો છે. પોતાના લાંબા સંબોધન દરમિયાન, મુખ્યમંત્રીએ યુપી સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું. ’દીદી’એ ઈંમહાકુંભ૨૦૨૫ પર બોલતી વખતે કોલકાતામાં આપેલા પોતાના નિવેદનમાં પોતાનો મુદ્દો ફરીથી રજૂ કર્યો. તેણીએ કહ્યું, ’આ ’મૃત્યુંજય કુંભ’ છે… હું મહાકુંભનો આદર કરું છું, હું પવિત્ર માતા ગંગાનો આદર કરું છું.’ પણ તેની પાસે કોઈ યોજના…
Mumbai,તા.૧૮ ગૌતમ ગંભીર જ્યારથી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા છે, ત્યારથી તેઓ ટીમની જીત કરતાં વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પણ આવો જ એક વિવાદ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ટીમ ઇન્ડિયામાં બધું બરાબર નથી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મોટો ખેલાડી ગૌતમ ગંભીરથી ખૂબ ગુસ્સે છે અને આ ગુસ્સાનું કારણ તેનો નિર્ણય છે. એક મોટા પત્રકારે દાવો કર્યો છે કે તે ખેલાડી વિકેટકીપર-બેટ્સમેન છે અને તેથી એવી શક્યતા છે કે ઋષભ પંત જ તે ખેલાડી છે જે ગૌતમ ગંભીરથી ગુસ્સે છે. ચાલો તમને જણાવીએ કે શા માટે? સુત્રોનો દાવો છે કે ટીમ…
Morbi,તા.18 મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧ લાખથી વધુ રકમના ૨૫૭ મિલકત ધારકોને ગત તારીખ ૦૧/૦૧/૨૦૨૫ થી તારીખ ૦૯/૦૨/૨૦૨૫ સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવેલ. જેમાંથી ૪૨ મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન ટેકસ શાખા દ્વારા ૯ મિલકતોને સીલ કરવામાં આવી હતી. તેમજ રૂ.૭૫,૦૦૦ થી રૂ.૧,૦૦,૦૦૦ સુધીની રકમ બાકીના મિલકત ધારકોને વોરંટ બજવણી કરવાની કામગીરી ટેકસ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટેકસ શાખાની ટીમ દ્વારા ૬ મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવી હતી. જેમાંથી ૫ મિલકત ધારકો દ્વારા સ્થળ પર જ ચેક અને રોકડ-રકમ આપીને બાકી વેરાની ભરપાઈ કરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન ૧ મિલકતને સીલ કરવામાં આવી હતી. મોરબી શહેરની જનતાને બાકી વેરાની તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
Morbi,તા.18 મોરબી જીલ્લાની હળવદ અને વાંકાનેર નગરપાલિકા માટે રવિવારે મતદાન બાદ આજે મત ગણતરી યોજાઈ હતી જેમાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપની જીત નક્કી માનવામાં આવતી હતી તે ઉપરાંત હળવદ નગરપાલિકાની ૨૮ માંથી ૨૭ બેઠકો જીતી ભાજપે બંને નગરપાલિકા પર કબજો કર્યો છે સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યા છે જેમાં હળવદ નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકોની મત ગણતરી પૂર્ણ થતા ભાજપે ૨૭ બેઠકો પર કબજો જમાવ્યો છે અને કોંગ્રેસને નામ પુરતી માત્ર એક જ બેઠક પર સંતોષ માનવો પડ્યો છે હળવદ પાલિકામાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું પરંતુ તેનું ખાતું ખુલવા પામ્યું નથી જયારે વાંકાનેર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮…
Morbi,તા.18 મોરબીમાં વેપારીએ ઊંચા વ્યાજે રૂપિયા ૧૫ લાખ લીધા હતા જેને બદલે ૧૮.૫૨ લાખની રકમ ચૂકવ્યા છતાં વ્યાજખોર ઇસમ દ્વારા વધુ દસ લાખની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના વિશ્વકર્મા પાર્કમાં રહેતા મિથુનભાઈ મોહનભાઈ કંધનાણી નામના વેપારી યુવાને આરોપી ચિરાગ ઉર્ફે જીગાભાઈ વિનોદભાઈ ખખ્ખર રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે દોઢ વર્ષ પૂર્વે ધંધામાં રૂપિયાની જરૂરત હોવાથી નવાડેલા રોડ પર મહાવીર ટ્રેડીંગ વાળા ચિરાગ ખખ્ખર પાસેથી રૂપિયા ૫ લાખ વ્યાજે લીધા હતા જેનું રોજનું રૂપિયા ૫૦૦૦ લેખે રૂપિયા ૬ લાખ વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા અને ફરી ધંધામાં જરૂરત…
Morbi,તા.18 આરોપી પાસેથી ચોરાઉ બાઈક કબજે લીધું અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોરી કરેલ બાઈક સાથે મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ નારોલ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પુરણસિંગ લલ્લુરામ નિશાળ રહે યુપી વાળો હાલ ઘૂટું ગામ પાસે આવેલ બાપા સીતારામ ચોકડી પાસે ઉભો છે જે બાતમીને આધારે રેડ કરતા આરોપીને ઝડપી લીધો હતો જેની પાસે જુનું બાઈક મળી આવ્યું હતું જેની પૂછપરછ કરતા વર્ષ ૨૦૧૮ માં આરોપીએ તેના…
