Nepal,તા.02
નેપાળમાં ભયાનક પૂર સંકટ બાદ ભારત અને ચીને કરેલી મદદ બદલ વડાપ્રધાન બાલેન શાહે આજે (2 સપ્ટેમ્બર) સંસદમાં બંને દેશોને થૈંક્યૂ કહ્યું છે. વડાપ્રધાન કહ્યું કે, આપત્તિ વ્યવસ્થાપન માટે તેઓ પ્રથમ દિવસથી જ આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા વિદેશી મદદ લેવામાં ખચકાટ અનુભવવા અંગે સવાલો ઉઠતા બાલેન શાહે કહ્યું કે, ‘આટલું મોટું સંકટ હોય તો આંતરરાષ્ટ્રીય સહયોગ ન લઉ, તેવો કોઈ સવાજ ઉભો થતો નથી.નેપાળમાં 26 ઓગસ્ટના રોજ અચાનક આવેલા પુરમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત હજુ પણ 4000થી વધુ લોકો ગુમ હોવાની માહિતી સામે આવી છે. પૂર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બાલેન શાહ (PM Balen Shah)ને ફોન કરીને મદદ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ભારત નેપાળમાં સતત મદદ મોકલી રહ્યું છે. આમાં ખાણી-પીણી, દવાઓ, બ્રિજ બનાવવાનો સામાન સામેલ છે. આ ઉપરાંત DNA નિષ્ણાંતની ટીમ પણ મોકલવામાં આવી છે.પૂર વખતે માહિતી આપવામાં વિલંબ થવા અંગે સરકારને સવાલ કરાયો હતો. તો વડાપ્રધાન શાહે કહ્યું કે, ‘અમારી સરકારે પૂર આવવાની માહિતી આપવા માટે 1.1 મિલિયન SMS મોકલ્યા હતા.’ સમયસર માહિતી ન આપવાના આક્ષેપોને રદીયો આપતા તેમણે કહ્યું કે, ‘આ આફત વિચારી ન શકાય તેવી હતી. સંકટની માહિતી મળતા જ સરકારે 1.1 મિલિયન નાગરિકોને તાત્કાલીક SMS મોકલ્યા હતા.’PM બાલેન શાહે રાજ્ય અને લોકલ સ્તરે સંકલન સાધવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના સવાલનો પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘અમારું તંત્ર રાજ્ય અને લોકલ સ્તરે સતત વાતચીત કરી રહી છે. સંકલન દ્વારા જ રાહત અને બચાવનું કામ કરવામાં આવી રહ્યું છે.’જ્યારે પૂર આવ્યું ત્યારે હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં અનેક લોકો ફસાઈ ગયા હતા, જેમના રેસ્ક્યૂ અંગે પણ સરકાર પર સવાલો ઉઠાવાતા હતા, ત્યારે આ અંગે શાહે કહ્યું કે, ‘રાજ્યના તમામ તંત્ર શરૂઆતથી જ રેસ્ક્યૂ કરી રહી છે. ટનલમાં ફસાયેલા લોકોને બચાવવાનું રેસ્ક્યૂ તદ્દન અલગ પ્રકારનું હોય છે, તેથી તે અંગે ટેકનિકલ માહિતી હોવી પણ જરૂરી છે. સરકાર ઉપલબ્ધ તમામ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને લોકોને સલામત બહાર કાઢવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.’

