Gandhinagar, તા.2
વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નાગરિક ભાગીદારી દ્વારા સુશાસનના વિચાર મંત્રને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે મહત્ત્વની પહેલ કરી છે. તેના અંતર્ગત ભારત સરકારની સાથે-સાથે ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યમાં 2 ઑક્ટોબર ગાંધી જયંતીથી 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપાયી જયંતી સુધી રિફોર્મ ઉત્સવ ઉજવવામાં આવશે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો પાસેથી મળતી રજૂઆતો અને સૂચનોમાંથી પદ્ધતિગત સુધારણાના સૂચનો ઓળખવા, તેમનું વર્ગીકરણ કરવા અને સમયબદ્ધ રીતે તેમને અમલમાં મૂકવાનો છે કે જે સમગ્ર વ્યવસ્થામાં વ્યાપક અસર કરી શકે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વહીવટી સુધારણા અંગે ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે અને તેમણે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના પણ કરી છે. એ જ દિશામાં ભારત સરકારની પહેલથી ઉજવાનાર આ રિફોર્મ ઉત્સવ માત્ર ફરિયાદ નિવારણ પૂરતું સીમિત નહીં રહે, પણ નાગરિકના સૂચનને એક કાર્યક્ષમ સુધારામાં પાંતરિત કરી, તેને અમલી બનાવવાનો વ્યવસ્થિત પ્રયાસ બનશે. અભિયાનનો અંતિમ ઉદ્દેશ્ય એવો છે કે નાગરિકનો અવાજ સૂચનથી આગળ વધીને અમલપાત્ર સુધારામાં પરિવર્તિત થાય અને તેનાં પરિણામો લોકો સુધી પહોંચે.
મુખ્યમંત્રીના સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગે રિફોર્મ ઉત્સવના અસરકારક આયોજન, સંચાલન, અમલીકરણ અને દેખરેખ માટે રાજ્ય કક્ષાની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં સભ્યો તરીકે તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ રહેશે. જરૂરિયાત મુજબ અન્ય અધિકારીઓનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવશે.
આ ઉપરાંત; રિફોર્મ ઉત્સવના સંકલન માટે રાજ્ય કક્ષાએ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ (વહિવટી સુધારણા અને તાલીમ પ્રભાગ વસુતાપ્ર)ને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ; દરેક વહીવટી વિભાગ અને જિલ્લામાં પણ નોડલ અધિકારીની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે જેથી અભિયાનના દરેક તબક્કાની કામગીરી સુવ્યવસ્થિત રીતે આગળ વધે.
રિફોર્મ ઉત્સવને માત્ર ગાંધીનગર કે રાજ્ય કક્ષાની પહેલ ન રાખતા તેને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા જિલ્લા કક્ષાએ પણ સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લા કક્ષાની સમિતિના અધ્યક્ષ તરીકે કલેક્ટર અને સહ-અધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી રહેશે. નિવાસી અધિક કલેક્ટર સહિત ખેતીવાડી, આરોગ્ય, સમાજ સુરક્ષા, બેન્કિંગ, વીજ કંપની અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.
2 ઑક્ટોબરથી જન મંથન છ દરેક પંચાયતમાં નાગરિકોની સીધી ભાગીદારી
ગાંધી જયંતી એટલે કે 2 ઑક્ટોબરથી રિફોર્મ ઉત્સવનો મુખ્ય તબક્કો શ થશે. તેમાં દરેક પંચાયતમાં જન મંથન સભા યોજાશે. આ સભામાં વરિષ્ઠ મહાનુભાવોના સંબોધન સાથે નાગરિકોને રિફોર્મ ઉત્સવ અંગે જાગૃત કરવામાં આવશે. નાગરિકોને સ્થળ પર જ પોતાના સૂચનો રજૂ કરી શકાય તે માટે વોલન્ટિયર્સ અને મારફતે હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવશે.
વાચાથી વહીવટી વ્યવસ્થા સુધી : ત્રણ તબક્કામાં સુધારાની પ્રક્રિયા
રિફોર્મ ઉત્સવમાં પ્રથમ તબક્કો જન મંથનનો રહેશે, જેમાં 2થી 31 ઑક્ટોબર સુધી નાગરિકોના સૂચનો એકત્ર કરવામાં આવશે. ત્યાર બાદ 10 ઑક્ટોબરથી 30 નવેમ્બર સુધી વિમર્શ તબક્કામાં વિભાગો સૂચનોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને અમલપાત્ર સુધારાઓ ઓળખશે અને તેને ક્વિક વિન્સ તથા મધ્યમ ગાળાના સુધારા તરીકે વર્ગીકૃત કરશે.
ત્રીજા તબક્કા જન સમાધાનમાં 10 ઑક્ટોબરથી 20 ડિસેમ્બર સુધી ક્વિક વિન્સનો અમલ કરવામાં આવશે. મધ્યમ ગાળાના સુધારાઓ માટે અમલીકરણનો રોડમેપ તૈયાર કરીને પોર્ટલ પર મૂકવામાં આવશે અને તેના અમલની શઆત પણ કરવામાં આવશે.

