Chennai,તા.16
મહેન્દ્ર સિંહ ધોની ઈજાને કારણે વર્તમાન IPL સીઝનમાં રમી શક્યો નથી, પરંતુ CSK ના પ્રદર્શન પર તેનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે. CSK ના સહાયક કોચ શ્રીધરન શ્રીરામે મેચ પહેલા નૂર અને ધોની વચ્ચે થયેલી વાતચીત વિશે વાત કરી.
શ્રીરામે કહ્યું, “ધોનીએ પ્રેકિ્ટસ સેશન દરમિયાન નૂર સાથે લાંબી વાત કરી અને તેને વધુ લેગ બ્રેક બોલિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યો. મને લાગે છે કે આજે તેનાથી મદદ મળી, અને પરિણામો બધા માટે જોવા જેવા છે.”અકીલ હુસૈન અને નૂર વિશે શ્રીરામે કહ્યું, “મને લાગે છે કે તેઓ એકબીજાના પૂરક છે. તેઓ બંને સારી રીતે વાતચીત કરે છે.”

