Gondal તા.6
ગોંડલનાં ઘોઘાવદર ગામે વાડીએ દર્શન કરવા ગયેલા વૃધ્ધાનું પાડોશી ની વાડીનાં કુવા માં પડી જતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું.રાજકોટ રહેતો પુત્ર માતાપિતા ને મળવા આવ્યો હતો.પરંતુ કુદરતે કંઇક જુદુ ધાર્યુ હોય તેમાં માતા નાં આકસ્મિક મોત થી હતપ્રત બન્યો હતો.બનાવ અંગે ગોંડલ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા દોડી આવેલા સ્ટાફે કુવામાં થી મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ઘોઘાવદર રહેતા મંજુબેન પ્રવિણભાઈ ધડુક ઉ.65 સવારે નિત્યક્રમ મુજબ વાડીએ આવેલા સુરાપુરા દાદા નાં મંદિરે દર્શન કરવા ગયા હતાં.દર્શન કરી પરત ફરતી વેળા બાજુમાં આવેલી રાજુભાઇ ચોવટીયા ની વાડીએ કુવા માં પાણી જોવા ડોકીયુ કરતા અચાનક સંતુલન ગુમાવતા કુવાનાં ઉંડા પાણી માં ખાબકયા હતા.અને ડુબી જવા થી તેમનું મોત નિપજ્યુ હતું.
દરમ્યાન રાજકોટ રહેતો પુત્ર ધવલ રવિવાર ની રજા હોય ઘોઘાવદર માતાપિતા ને મળવા આવ્યો હતો.પિતા પ્રવિણભાઈ અન્ય વાડીએ ટ્રેક્ટર ચલાવતા હતા.અને માતા ઘરે નહી દેખાતા શોધખોળ કરી હતી.દરમ્યાન અન્ય કુટુંબીજનો સાથે વાડીએ પંહોચી તપાસ કરતા બાજુની વાડી નાં કુવા માં માતા નો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.બનાવ નાં પગલે પરિવાર શોકમગ્ન બન્યો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. જે બન્ને પરણિત છે. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

