Junagadh તા. ૧૬ :
માંગરોળમાં સાસરીયાઓએ માર મારી, શારીરીક માનસિક દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ પરણિતાએ માંગરોળ પોલીસ મથકે નોંધાવતા, પોલીસે આરોપી પતિ, સાસુ, સસરા અને જેઠ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, અપ્સાબેન સઈદ ખાદીમએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં તેણીના પતિ સઈદ ખાદીમ, સાસુ નુરજહાબેન, સસરા મુસાભાઈ તથા જેઠ જુબેરભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પરિણીતાને તેના પતિ સહિતના સાસરા પક્ષના આરોપીઓએ ગાળા ગાળી કરી, મારમારી, અવાર નવાર શારીરીક માનસિક દુ:ખ ત્રાસ આપેલ છે, જે ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ, સાસુ, સસરા અને જેઠ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

