New Delhi,તા.09
સર્વોચ્ચ અદાલતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના એક આદેશને માન્ય રાખતા કહ્યું કે ભાડુત જો ઔદ્યોગીક એકમમાં પર્યાવરણના નિયમોનો ભંગ કરે તો તેના માટે મકાન માલીકને જવાબદાર ગણાવી શકાય નહી.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સતીષચંદ્ર શર્માની ખંડપીઠે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની અપીલ ફગાવી હતી. અગાઉ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ આ પ્રકારે આદેશ આપ્યો હતો.
જેમાં સુરતમાં એક મકાન માલીક સામે રૂા.25 લાખનો જે દંડ કરાયો હતો તે રદ કર્યો હતો. આ અંગે એક કેમીકલ ફેકટરીએ પર્યાવરણ સંબંધી મંજુરી વગર કામકાજ ચાલુ કર્યુ અને પ્રદુષણ ફેલાવ્યુ હતું.
આ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કાર્યવાહી કરી હતી. જેમાં આ ફેકટરી-શેડ ભાડે આપનાર મકાન માલીકને પણ જવાબદાર ગણાવી તેના પર રૂા.25 લાખનો દંડ ફટકાર્યો હતો જેની સામે ગ્રીન ટ્રીબ્યુનલમાં પણ મકાન માલીકને જવાબદાર ગણાવી શકાય નહી તેવો ચુકાદો આપ્યો જેની સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સુપ્રીમમાં અપીલ કરી તે પણ ફગાવાઈ હતી અને મકાન માલીકને રાહત આપી હતી.

